________________
३ स्थानकाध्ययने उद्देशः ३ सांभोगिकअनुज्ञास्वरूपम् १७३-१७४ सूत्रे श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ तम्हा वयसंपन्ना, कालोचियगहियसयलसुत्तत्था । अणुजोगाणुण्णाए, जोगा भणिया जिणिंदेहिं ॥१०७॥ [पञ्चव० ९३२]
વ્રતસંપન્ન-વ્રતના પાળનારા, ઉચિત કાળમાં સકલ સૂત્ર અને અર્થને ગ્રહણ કરનારા મુનિઓને જિનૈદ્રોએ અનુયોગની અનુજ્ઞાને લાયક કહેલા છે. (૧૦૭). इहपर(इहरा उ)मोसावाओ, पवयणखिंसा य होइ लोयंमि । सेसाण वि गुणहाणी, तित्थुच्छेओ य भावेणं ॥१०८।।
[पञ्चव० ९३३] - પૂર્વ કહેલ ગુણોથી વિપરીત વ્યક્તિને અનુજ્ઞા દેવામાં ગુરુને મૃષાવાદ લાગે છે તથા લોકમાં શાસનની નિંદા થાય છે, બીજાઓને પણ ગુણની હાનિ થાય છે અને યોગ્ય નાયકના અભાવે તીર્થનો અવશ્ય ઉચ્છેદ થાય છે.(૧૦૮)
| ગણાચાર્યના પણ ઔત્સર્ગિક ગુણો નીચે પ્રમાણે જાણવાसुत्तत्थे निम्माओ, पियदढधम्मोऽणुवत्तणाकुसलो । जाईकुलसंपन्नो, गंभीरो लद्धिमंतो य ॥१०९॥ संगहुवग्गहनिरओ, कयकरणो पवयणाणुरागी य । एवंविहो उ भणिओ, गणसामी जिणवरिंदेहिं ।।११०।।
[પશિવ૦ ૨૩૨૫-૨૬ તિ] સૂત્ર અને અર્થમાં નિષ્ણાત, પ્રિયધર્મી, દઢધર્મી, અનુવર્તનામાં કુશલ-ઉપાયને જાણનાર, જાતિ અને કુલસંપન્ન, ગંભીર તેમજ લબ્ધિવાળા હોય તથા ઉપદેશાદિ વડે સંગ્રહ અને વસ્ત્રાદિના ગ્રહણ વડે ઉપગ્રહમાં તત્પર, બીજાઓ અહિં વસ્ત્રાદિ વડે સંગ્રહ અને ઉપદેશ વડે ઉપગ્રહ કહે છે, કૃતકરણ-ક્રિયાના અભ્યાસી, પ્રવચન-શાસન પર અનુરાગવાળો, બર’ શબ્દથી બીજાના હિતને માટે સ્વભાવથી પ્રવૃત–આવા પ્રકારનો ગણસ્વામી-ગણી જિનેશ્વરોએ કહેલ છે. (૧૦૯-૧૧૦)
શંકા–જો એવા પ્રકારના ગુણોના અભાવમાં અનુજ્ઞાનો પણ અભાવ હોવાથી બીજી સમનુજ્ઞા કેમ થશે? ઉત્તર-કહેલ ગુણો અન્યતમ (કોઈક) ગુણોના અભાવમાં પણ કારણવિશેષથી આ (અનુજ્ઞા) સંભવે છે. જો એમ ન હોય તો નીચેના શ્લોક પ્રમાણે કેવી રીતે કહી શકાય?
जे यावि मंदि त्ति गुरुं विइत्ता, डहरे इमे अप्पसुए त्ति नच्चा । हीलंति मिच्छं पडिवज्जमाणा, करेंति आसायण ते गुरूणं ॥१११॥ [दशवै० ९/१/२ ति]
જે કોઈપણ (દ્રવ્ય સાધુઓ) ગુરુ પ્રત્યે મંદબુદ્ધિવાળા જાણીને, આ ગુરુ લઘુ વયવાળા છે, થોડા ભણેલા છે એમ જાણીને હેલના કરે છે. તે મિથ્યાત્વને પ્રાપ્ત થયા થકા ગુરુઓની આશાતના કરે છે. (૧૧૧) - આ કારણથી કેટલાએક ગુણોનો અભાવ હોવા છતાં પણ અનુજ્ઞા છે. સમગ્ર ગુણના ભાવમાં તો સમનુજ્ઞા છે. અથવા
સ્વી મનોજ્ઞાઃ–પોતાની સરખી સામાચારીવાળાપણાએ જે ગમતા તે સ્વમનોજ્ઞો, અથવા મનોજ્ઞ જ્ઞાનાદિ સહિત તે સમનોજ્ઞો, અર્થાત્ એક સંભોગવાળા સાધુઓ, ત્રણ પ્રકારે કેમ? તે સંબંધે કહે છે–આચાર્યપણું વગેરે. ભિક્ષુ, ક્ષુલ્લક વગેરે ભેદો છતાં પણ તેની વિવક્ષા કરી નથી, કારણ કે અહીં ત્રણ સ્થાનકનો અધિકાર ચાલે છે. પર્વ ૩વસંય' રિ૦ એમ સમનુજ્ઞાની જેમ આચાર્યપણાદિ વડે ત્રણ પ્રકારે છે, ઉપસંપત્તિ-જ્ઞાનાદિ માટે સમીપ જવારૂપ, હું આપનો છું એવો સ્વીકાર, તે આ પ્રમાણે—પોતાના આચાર્યાદિ વડે આદેશ કરાયેલ કોઈક સાધુ સમ્યકુશ્રુતગ્રંથો (આગમો)ના અથવા દર્શનપ્રભાવક શાસ્ત્રો (સમ્મત્તિતર્ક અને તત્ત્વાર્થ વગેરે)ના સૂત્ર (મૂલપાઠ) અને અર્થનું ગ્રહણ (અભ્યાસ) કરવા માટે ૧, સ્થિરીકરણ (દઢ કરવું) કરવા માટે ૨ અને ભૂલેલાને સાંધી લેવા (પૂર્ણ કરવા) માટે ૩, વળી ચારિત્રની પુષ્ટિ માટે, વૈયાવૃત્ય માટે અથવા તપસ્યાને માટે ગુરુએ સંદિષ્ટ–કહેલ અન્ય આચાર્યને જે સ્વીકારે છે અર્થાત્ તેમની પાસેથી ઉપસંપદા સ્વીકારે. કહ્યું છે કે– 1. વર્તમાનમાં અયોગ્ય ગણાચાર્યના કારણે કેટલાએ ગચ્છો સમુદાય વિલુપ્ત થઈ ગયા છે.
225.