________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः ३ सांभोगिक अनुज्ञास्वरूपम् १७३ - १७४ सूत्रे અસામાચારીને પોતે સાક્ષાત્ જોઈને, તથા ૨ 'સTH' ત્તિ॰ શ્રદ્ધા છે જેને વિષે તે શ્રાદ્ધ-શ્રદ્ધા કરવા યોગ્ય છે વચન જેનું એવો કોઈપણ અન્ય સાધુ, તેનું વચન નિશમ્ય—અવધારીને, તથા પહેલી વખત, બીજી વખત યાવત્ ત્રીજી વખત મોસં— મૃષાવાદ પ્રત્યે અકલ્પનું ગ્રહણ અને પાસસ્થાને દેવા વગેરે વડે સાવદ્ય વિષયની પ્રતિજ્ઞાના ભંગ લક્ષણને આશ્રયીને અર્થાત્ ત્રીજી વખત મૃષા બોલીને પાછો વળે તો તેને આલોચના કરાવે અને એને લાયક પ્રાયશ્ચિત્ત અપાવે છે. ચોથી વખતના જૂઠાને આશ્રયી પ્રાયઃ પાછો વળતો નથી તેમજ તેને અહંકારભાવ હોવાથી આલોચના ન આપવી. આલોચન કીધે છતે પણ એને પ્રાયશ્ચિત્તનું દાન નથી. આ કારણથી ચોથી વખત અસંભોગના કારણને ક૨ના૨ પ્રત્યે વિસંભોગિકને કરતો થકો આજ્ઞા પ્રત્યે ઉલ્લંઘન કરતો નથી, આ પ્રસ્તુત છે. કહ્યું છે કે—
एव दो व तिन्निव, आउट्टंतस्स होइ पच्छित्तं । आउट्टंतेऽवि तओ, परिणे तिण्हं विसंभोगो ॥ १०३ ॥ । [ नि. भा० २०७५ इति ]
આ ગાથાની ચૂર્ણિ—'સ સંભોગો અસુદ્ધ નિહંતો પોઞો મળ-સંતા પડિનોયા મિચ્છામિ દુક્કડં, ા પુો एवं करिस्सामो, एवमाउट्टो जमावन्नो त्तं पायच्छित्तं दारं संभोगो । एवं बीयवाराए वि, एवं तइयवासए वि, तइयवाराओ પરો પત્થવારા તમેવાવાર સેવિઝા ઞાડŻતસ્સ વિવિસંોનો' કૃતિ [નિશીથ પૂર્ણ તિ] તે સાંભોગિક સાધુ એક વાર અશુદ્ધ (આહારાદિ) ગ્રહણ કરનારને પ્રેરણા કરતો થકો તે અશુદ્ધ ગ્રહણ કરનાર કહે છે કે–તમારા વડે પ્રેરણા કરાતે છતે મને મિથ્યા દુષ્કૃત થાઓ, ‘ફરીથી હું એમ કરીશ નહિઁ' એવી રીતે પાછો વળતો થકો જે પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય તે પ્રાયશ્ચિત્ત આપીને તે સાંભોગિક કરાય છે, એમ બીજી વાર અને ત્રીજી વાર પણ પાછા વળનારને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અપાય છે. ત્રીજી વાર પછી ચોથી વારમાં તે જ અતિચારને સેવીને પાછા વળનારને પણ વિસંભોગિક કરાય છે. (૧૦૩)
અહિં પહેલા બે સ્થાન અતિશય મોટા દોષના આશ્રયરૂપ છે, તેથી તેમાં જાણવા માત્ર અને સાંભળવા માત્ર છતે વિસંભોગિક કરાય છે. ત્રીજું સ્થાન તો બહુ અલ્પ દોષવાળું છે. તેમાં તો ચોથી વખતે અસંભોગિક કરાય છે. ।।૧૭૩॥
'અનુત્ર' ત્તિ અનુજ્ઞાનમનુજ્ઞા—અધિકાર આપવો, આવયંતે—મર્યાદાવૃત્તિ વડે સેવાય છે તે આચાર્ય અથવા પાંચ પ્રકારના આચારમાં જે સાધુ (સારા) છે તે આચાર્ય. કહ્યું છે કે—
पंचविहं आयारं, आयरमाणा तहा पयासंता । आयारं दंसेन्ता, आयरिया तेण वुच्चति ।।१०४।। [आव.नि० ९९८] જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારના આચારનું આચરણ કરતા થકા તેમજ અનુષ્ઠાનરૂપથી બીજાને પ્રકાશતા થકા, અને પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાદ્વાર વડે આચારને દેખાડતા થકા મુમુક્ષુ વડે જે કારણથી સેવાય છે તે કારણથી આચાર્યો કહેવાય છે. (૧૦૪) વળી
सुत्तत्थविऊ लक्खणजुत्तो गच्छस्स मेढिभूओ य । गणतत्तिविप्पमुक्को, अत्थं वाएइ आयरिओ || १०५ ||
સૂત્રાર્થના જાણના૨, શરીરના લક્ષણ સહિત, ગચ્છના મેઢીભૂત અને સમુદાયની ચિંતાથી રહિત એવો આચાર્ય, સ્વ–૫૨ શિષ્યોને શાસ્ત્રના અર્થની વાચના આપે છે. (૧૦૫)
આચાર્યનો ભાવ આચાર્યતા, તે વડે આગળ ગણાચાર્યનું ગ્રહણ કરવાથી અહિં અનુયોગાચાર્યપણાએ એવો અર્થ છે. તથા પેત્ય—સમીપે આવીને, અધીયતે—જેની પાસેથી ભણાય છે તે ઉપાધ્યાય. કહ્યું પણ છે—
संमत्तनाणदंसण- जुत्तो सुत्तत्थतदुभयविहिन्नू । आयरियठाणजोगो, सुत्तं वाएइ उवझाउ [ज्झाओ] ।। १०६ ।।
સમ્યજ્ઞાન, દર્શનયુક્ત, સૂત્ર, અર્થ અને તદ્દભય વિધિના જાણનાર, આચાર્યપદને લાયક અને સૂત્રની વાચના આપનાર ઉપાધ્યાય કહેવાય. (૧૦૬)
ઉપાધ્યાયનો ભાવ તે ઉપાધ્યાયતા, તે વડે; તથા ગણ–જેને સ્વસ્વામીસંબંધ વડે સાધુનો સમુદાય છે તે ગણી-ગણાચાર્ય, તેનો ભાવ તે ગણાચાર્યતા, તે વડે એટલે કે ગણના નાયકપણા વડે એ ભાવ છે. તથા સમ્યસંગતા, ઔત્સર્ગિકગુણ યુક્ત આચાર્યાદિપણાએ જે અનુજ્ઞા તે સમનુજ્ઞા. અનુયોગાચાર્યના ઔત્સર્ગિક ગુણો આ પ્રમાણે—
224