________________
३ स्थानकाध्ययने उद्देशः ३ सांभोगिक अनुज्ञास्वरूपम् १७३ - १७४ सूत्रे
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ગ્લાન, બાલ, વૃદ્ધ, શૈક્ષ્ય-વડીદીક્ષા ન લીધેલ, પ્રાથુર્ણક–નવીન આવેલ સાધુ, આચાર્યાદિદીક્ષિત સુકુમાર રાજપુત્ર વગેરે, એઓના ઉપખંભ–આધા૨ માટે અને પાત્રલબ્ધિ નથી તે માટે પાત્રનું ગ્રહણ કહેલ છે. (૧૦૨) ૧૭૧॥
નિગ્રંથના પ્રસંગથી નિગ્રંથોને જ અનુષ્ઠાનથી સાત સૂત્ર વડે કહે છે—'તો આપે' ત્યાદ્રિ સૂત્રો સુગમ છે. વિશેષ કહે છે—આત્મા પ્રત્યે રાગદ્વેષથી, અકૃત્યથી અથવા ભવરૂપ કૂવાથી જેઓ રક્ષા કરે છે તે આત્મરક્ષકો. 'થર્મિયા પહિપોયા' ત્તિ ધાર્મિક ઉપદેશ વડે–તમારા જેવાને આમ કરવા માટે યોગ્ય નથી ઇત્યાદિ વડે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગ કરનારને પ્રેરણા કરનાર—ઉપદેશક થાય છ, તેથી તે (ઉપસર્ગ કરવાથી) નિવર્તે છે, તેથી અકૃત્ય કાર્યનો કરનાર થતો નથી, આ કારણથી આત્મા રક્ષિત–રક્ષાવાળો થાય છે ૧, મૌન રહેનાર—વાણીનો સંયમ ક૨ના૨ અર્થાત્ ઉપેક્ષા કરનાર થાય ૨. પ્રેરણાનો અવિષય એટલે કે—કહ્યું માનશે નહિ માટે અને ઉપેક્ષા કરવામાં અસમર્થ છતે તે સ્થાનથી ઊઠીને પોતે જનરહિત સ્થાન પ્રત્યે જાય ૩. તાયતઃ— તરસ પીડા વગેરેથી પરાભવ પામેલ સાધુને એવો અર્થ છે. વેદનાદિ (છ) કારણો વડે આહારનું લેવું જિનેશ્વરોએ કહેલું છે. 'તઓ' ત્તિ॰ ત્રણ 'વિયડ' ત્તિ પાનક આહાર (પાણી)ની દત્તિઓ–એક ધારા વડે દેવારૂપને ગ્રહણ કરવા માટે—પીડાને ઉપશમાવવા માટે, ઉત્કર્ષ–પ્રકર્ષના યોગથી ઉત્કર્ષા, અથલા જે ઉત્કર્ષે છે તે અર્થાત્ ઉત્કૃષ્ટ–પ્રચુર પાનકરૂપ, જે દત્તિ વડે દિવસ પર્યંત પણ તૃષા સમાવે છે ૧, તેથી જે હીન તે મધ્યમદત્તિ અને જે ત્તિ વડે એક જ વખત તૃષા રહિત થાય છે અથવા યાપના માત્ર–સ્વલ્પકાલ તૃષાની શાંતિ પામે છે તે જઘન્યદત્તિ. પાનક(પીણું)ના વિશેષથી જ ઉત્કૃષ્ટાદિ કહેવી, તે આ પ્રમાણે—કલમશાલ (ચોખા)ની કાંજીનું ઓસામણ વગેરે અથવા દ્રાક્ષનું પાનક (પીણું) વગેરેની પહેલી દત્તિ, સાઠી ચોખાદિની કાંજી વગેરેની મધ્યમદત્તિ અને ઘાસના ધાન્યની કાંજી વગેરે અથવા ગરમ પાણીની ત્રીજી જઘન્યદત્તિ છે. અથવા દેશ, કાળ અને પોતાની રુચિના વિશેષથી ઉત્કૃષ્ટ વગેરે જાણી લેવું. ૧૭૨॥
तिहिं ठाणेहिं समणे निग्गंथे साहम्मियं संभोगियं विसंभोगियं करेमाणे णातिक्कमति, तंजहा – सतं वा दट्टु, सड्डिस्स वा निसम्म, तच्चं मोसं आउट्टति चउत्थं नो आउट्टति ।। सू० १७३ ।।
તિવિધા અનુજ્ઞા પદ્મત્તા, તંનહા−માયયિત્તાપ, ઇવજ્ઞાયત્તાપ, પિત્તાતે । તિવિધા સમજુન્ના પન્નત્તા, તનહાઆયિત્તાતે, વાાયત્તાતે, નખત્તાતે વ વસંપયા, ભ્રં વિનન્હા ।। સૂ॰ ૭૪ ||
(મૂ0) ત્રણ સ્થાનક–કારણ વડે શ્રમણ નિગ્રંથ, સમાન ધર્મવાળા સાંભોગિક (અન્યોન્ય આહારાદિ દેવાના વ્યવહારવાળા) પ્રત્યે વિસંભોગિકને કરતો થકો આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. પોતે તેના અકાર્યને જોઈને અને શ્રદ્ધેય–વિશ્વાસ કરવા યોગ્ય મુનિના વચનનો ચોક્કસ નિર્ણય કરીને, ત્રીજી વખત જૂઠું બોલનારને આલોચના આપે, ચોથી વખત જૂઠું બોલે
તો આલોચના ન આપે. પછી વિસંભોગવાળો કરે. ।।૧૭૩/
ત્રણ પ્રકારે અનુજ્ઞા–સામાન્યથી પદવીનું આપવું કહેલ છે, તે આ પ્રમાણે—આચાર્યપણાએ, ઉપાધ્યાયપણાએ અને ગણાચાર્યપણાએ. ત્રણ પ્રકારે સમજ્ઞા-વિશેષથી પદવી આપવી કહેલ છે, તે આ પ્રમાણે—આચાર્યપણાએ, ઉપાધ્યાયપણાએ અને ગણાચાર્યપણાએ. એવી રીતે ઉપસંપદા (જ્ઞાનાદિ ગુણ મેળવવા માટે અન્ય આચાર્યને સ્વીકારે– તેની સેવા કરે) કહેલ છે તે આ પ્રમાણે—આચાર્યઉપસંપદા, ઉપાધ્યાયઉપસંપદા અને ગણીઉપસંપદા. એમ જ ત્યાગ કરવારૂપ અર્થાત્ પ્રમાદાદિ દોષને કારણે આચાર્યાદિને છોડી જવું તે વિજહણા જાણવી. ।।૧૭૪॥ (ટી૦) 'સાર્દમિય' તિ॰ જે સમાન ધર્મ વડે ચાલે છે—વર્તે છે તે સાધર્મિક પ્રત્યે, સમ્—એકત્ર, મો—ભોજન, અર્થાત્ એક સાથે ભોજન તે સંભોગ, સાધુઓનો સમાન સામાચારીપણાએ પરસ્પર ઉપધિ વગેરેનો દેવાલેવારૂપ સંવ્યવહાર છે જેનો તે સંભોગિક, વિસંભોગ–દાનાદિ (દેવું લેવું) વગેરેનો નથી વ્યવહાર જેનો તે વિસંભોગિક, તેને કરતો થકો આજ્ઞા અથવા સામાયિક પ્રત્યે ઉલ્લંઘતો નથી, કારણ કે કહેલને કરનાર છે. ૧ સંભોગિક વડે કરાતી અસંભોગિકની સાથે દાન–ગ્રહણાદિરૂપ
223