________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
તંનહા-ડોસા, મફ્રિમા, નહા ।। સૢ૦ ૧૭૨ ।।
(મૂ0) ત્રણ પ્રકારે પુરુષ કહેલ છે, તે આ પ્રમાણે—સૂત્રના ધરનાર, અર્થના ધરનાર અને તદુભય–સૂત્ર અને અર્થ બન્નેના
ધરનાર. ||૧૬૯ll
३ स्थानकाध्ययने उद्देशः ३ सांभोगिक अनुज्ञास्वरूपम् १७३ - १७४ सूत्रे
કલ્પે–નિગ્રંથને અથવા નિગ્રંથીને ત્રણ પ્રકારના (જાતના) વસ્ત્રો ધરવા માટે, પરિભોગ–પહેરવા માટે, તે આ પ્રમાણે–જંગમજ–ઊનનું વસ્ત્ર વગેરે, ભંગિક–રેશમનું અગર શણનું વસ્ત્ર, સૌમિક-કપાસનું વસ્ત્ર ૧, કલ્પે–સાધુને અથવા સાધ્વીને ત્રણ (જાતના) પાત્ર ધરવા માટે (રાખવા માટે), વાપરવા માટે, તે આ પ્રમાણે—તુંબડાનું પાત્ર, કાષ્ઠ– લાકડાનું પાત્ર અને કૃતિકા-માટીનું પાત્ર. ૧૭૦
ત્રણ સ્થાનક–કારણ વડે વસ્ત્રને ધારણ કરે, તે આ પ્રમાણે—લજ્જાના નિમિત્તે, શાસનની હેલણા ન થાય તે માટે અને શીત વગેરે પરીષહ ટાળવા માટે. ।।૧૭૧॥
ત્રણ આત્મરક્ષકો કહેલા છે, તે આ પ્રમાણે—૧ ધાર્મિક પ્રેરણા વડે બીજાને અકાર્યથી નિવૃત્ત કરવા માટે ઉપદેશ કરનાર આત્મરક્ષક હોય છે, ૨ અકાર્યથી અટકાવવા અસમર્થ હોવાથી મૌન રહેનાર આત્મરક્ષક હોય છે અને ૩ અકાર્યથી અટકાવવાને અસમર્થ હોવાથી પોતે ત્યાંથી ઊઠીને એકાંત સ્થાનમાં ચાલ્યા જાય તે આત્મરક્ષકે થાય છે. તૃષાથી પીડાતા સાધુને ત્રણ પ્રકારના પાણીની દાત લેવા માટે કલ્પે, તે આ પ્રમાણે—ઉત્કૃષ્ટદાત (ઘણું પાણી), તેથી હીન મધ્યમદાત અને જેના વડે એક વખત તૃષા છીપે તે જઘન્યદાત. II૧૭૨
(ટી૦) 'તઓ પુરી' ત્યાદ્િ॰ સુગમ છે, વિશેષ કહે છે—આ ત્રણ ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. II૧૬૯॥
તેઓની જ બાહ્ય સંપત્તિને બે સૂત્ર વડે કહે છે—'પ્પી'ત્તિ કલ્પતે—યોગ્ય છે. 'ધારિત્તપ્’ત્તિ॰ સ્વીકાર કરવામાં, 'હિન્દુ' પહેરવા માટે. અથવા 'ધાર્યા સવમોનો, પરિહરો હોર્ પરિમો 'ત્તિ ધારણ કરવાથી ઉપભોગ અને પરિહરણ તે પરિભોગ કહેવાય છે. શિય—જંગમ પ્રાણીથી ઉત્પન્ન થયેલ ઊન વગેરેના વસ્ત્ર, શિય—અતસીમય વનસ્પતિવિશેષથી બનેલું તથા હોમિય—કપાસનું વસ્ત્ર. અલાબુ–સ્તુંબડાનું પાત્ર, દારુ—લાકડાનું પાત્ર અને માટીનું પાત્ર–સરાવલું, ઢાંકણું અને ઘડો વગેરે. શેષ સુગમ છે. ।।૧૭૦
વસ્ત્રને ગ્રહણ ક૨વાના કારણોને કહે છે—'તિદ્દી' ત્યાદ્રિ ી– ì—લજ્જા અથવા સંયમ છે નિમિત્ત જે ધરવાનો ડ્રીપ્રત્યય, નુગુપ્સા—નગ્ન અંગના દર્શનથી શાસનની હીલના ન થાઓ એ જ નિમિત્ત છે જેમાં તે દુર્ગંચ્છાપ્રત્યય, એવી જ રીતે શીત, ઉષ્ણ, દંશ અને મશક વગેરે પરીષહો છે નિમિત્ત જેમાં તે પરીષહપ્રત્યય. કહ્યું છે કે—
वेडव्विऽवाउडे वाइए य हीरि खद्धपजणणे चेव । एसिं अणुग्गहट्टा, लिंगुदयट्ठा य पट्टो उ || १०० || [ओघ. नि० ७२२]
વસ્ત્રના અભાવમાં વિકૃત લિંગ છતે, વાયુના પ્રકોપથી ઉન્નત થયે છતે, સ્વયં લજ્જાવાળો છતે, અતિ મોટું મેહન (લિંગ) છતે એઓના અનુગ્રહ માટે અને સ્ત્રીને જોવાથી લિંગની જાગૃતિની રક્ષા માટે જ પટ્ટ–ચોલપટ્ટક કહેલ છે. (૧૦૦) તથા— 1 तणगहणाऽनलसेवानिवारणा धम्म- सुक्कझाणट्ठा। दिट्टं कप्पग्गहणं, गिलाणमरणट्टया चेव ॥ १०१ ॥
[ોષ.નિ૦૭૦૬ ત્તિ]
તૃણ-ઘાસનું લેવું અને અગ્નિની સેવા–તપવું, એ બન્નેનું નિવારણ કરવા માટે, તથા ધર્મ અને શુક્લધ્યાનને માટે, ગ્લાનને માટે અને મૃતકને ઢાંકવા માટે કલ્પ-ઓઢવાનું વસ્ત્ર ગ્રહણ કરવાનું તીર્થંકર ભગવંતોએ કહેલું છે. (૧૦૧) વસ્ત્ર ગ્રહણ કરવાના કારણના પ્રસંગથી પાત્રના પણ પ્રકારો કહે છે—
अतरंत-बाल-वुड्डा, सेहाऽऽदेसा गुरू असहुवग्गो । साहारणोग्गहालद्धिकारणा पायगहणं तु।। १०२ ।।[ओघ नि० ६९२ ] 1. વજ્ર ન હોવાથી અગ્નિ વગેરેના આરંભમાં પ્રવર્તે અને ધ્યાનમાં સ્થિરતા ન રહે.
222