SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः ३ मायीस्वरूपम् १६८ सूत्रम् अथ तृतीयस्थानकाध्ययने तृतीयः उद्देशः બીજો ઉદ્દેશક કહેવાયો, હવે ત્રીજા ઉદ્દેશકનો પ્રારંભ કરાય છે. અહિંથી પહેલાના ઉદ્દેશકમાં જીવનાં વિચિત્ર ધર્મો પ્રરૂપિત કર્યાં, અહિં પણ તેનું (જીવધર્મોનું) જ પ્રરૂપણ કરાય છે. એવી રીતે આ સંબંધ વડે આવેલ આ ઉદ્દેશકના આદિ ત્રણ સૂત્રો કહે છે— तिहिं ठाणेहिं मायी मायं कट्टु णो आलोतेज्जा णो पडिक्कमेज्जा णो गिंदिज्जा गो गरहिज्जा णो विउट्टेज्जा गो विसोहेज्जा णो अकरणाते अब्भुट्ठेज्जा णो अहारिहं पायच्छित्तं तवोकम्मं पडिवज्जेज्जा, तंजहा - अकरिंसु वाऽहं करेमि वाऽहं करिस्सामि वाऽहं १ | तिहिं ठाणेहिं मायी मायं कट्टु णो आलोतेज्जा णो पडिक्कमिज्जा जाव णो पडिवज्जेज्जा तंजहा - अकित्ती वा मे सिता अवण्णे वा मे सिया, अविणते वा मे सिता २ । तिहिं ठाणेहिं मायी मायं कट्टु णो आलोएज्जा जाव णो पडिवज्जेज्जा तंजहा - कित्ती वा मे परिहातिस्सति, जसे वा मे परिहातिस्सति, पूयासक्कारे वा मे परिहातिस्सति ३ । तिहिं ठाणेहिं मायी मायं कट्टु आलोएज्जा पडिक्कमेज्जा निंदेज्जा जाव पडिवज्जेज्जा, तंजहा- मायिस्स गं अस्सं लोगे गरहिते भवति, उववाए गरहिए भवति, आयाती गरहिया भवति ४ । तिहिं ठाणेहिं मायी मायं कट्टु आलोएज्जा जाव पडिवज्जेज्जा, तंजहा - अमायिस्स णं अस्सिं लोगे पसत्थे भवति, उववाते पसत्थे भवइ, आयाई पसत्था भवति ५ । तिहिं ठाणेहिं मायी मायं कट्टु आलोएज्जा जाव पडिवज्जेज्जा, तंजहा - णाणट्टयाए, दंसणट्टयाए, चरित्तट्टयाए ६ ॥ સૂ॰ ૧૬૮ ॥ (મૂળ) ત્રણ સ્થાનકે માયી (કપટી) માયા કરીને (ગુપ્ત અકાર્ય કરીને) આલોચે નહિં અર્થાત્ ગુરુ સમક્ષ કહે નહિં, પડિક્કમે નહિં, નિંદે નહિં, ગણા કરે નહિં, વિત્રોટે નહિ—તે વિચારને મૂકે નહિં, વિશોધે'નહિં—આત્માની શુદ્ધિ કરે નહિં, ફરીથી કરીશ નહિં એમ સ્વીકારે નહિં, યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત તપકર્મને ગ્રહણ કરે નહિં, તે આ પ્રમાણે—મેં આ પાપ કર્યું તે કેમ નિંદું? અથવા હું હમણા પાપ કરું છું અથવા ભવિષ્યમાં આ પાપ કરીશ માટે કેમ પ્રાયશ્ચિત્ત લઉં (૧), ત્રણ સ્થાનકે માયી માયા કરીને આલોચે નહિં, પડિક્કમે નહિ, યાવત્ પ્રાયશ્ચિત્ત તપને સ્વીકાર નહિં, તે આ પ્રમાણે –જો આલોચીશ તો મારી અપકીર્તિ થશે, મારો અવર્ણવાદ–અપયશ થશે, અથવા મારો (બીજા સાધુઓ વડે) અવિનય થશે (૨), ત્રણ સ્થાનકે માયી માયા કરીને આલોચે નહિં યાવતુ પ્રાયશ્ચિત્ત તપ સ્વીકાર નહિં, તે આ પ્રમાણે—મારી કીર્તિની હાનિ થશે, યશની હાનિ થશે અથવા પૂજા-સત્કારની હાનિ થશે (૩), ત્રણ સ્થાનક વડે માયાવી માયા કરીને આલોચના કરે, પ્રતિક્રમણ કરે—પાપથી પાછો હઠે યાવત્ પ્રાયશ્ચિત્ત તપને સ્વીકારે, તે આ પ્રમાણે—માયાવીને આલોકગહિત–નિંદિત થાય છે, ઉપપાત ગર્ષિત થાય છે અર્થાત્ કિલ્બિષિક વગેરેમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી ચ્યવીને હલકા મનુષ્ય વગેરેમાં જે ઉપજે છે તે આજાતિ-ગર્ષિત થાય છે (૪), ત્રણ સ્થાનક વડે કપટી માયા કરીને આલોચના કરે યાવત્ પ્રાયશ્ચિત્ત તપને સ્વીકારે, તે આ પ્રમાણે—માયા રહિતને આલોક પ્રશસ્ત થાય, ઉત્તમ દેવમાં . 220
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy