SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः २ परमतखंडनम् १६७ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ પૂછતા નથી, કારણ કે અત્યંત વિરોધ વડે અસંભવ હોય છે, તે આ પ્રમાણે—જો કરેલું કર્મ છે તો દુઃખ માટે થતું નથી, એમ કેમ કહેવાય છે? જો દુઃખને માટે ન થાય તો કરેલું કર્મ કેમ કહેવાય? કારણ કે કરેલ કર્મનો ન થવારૂપ અભાવ હોય છે અર્થાત્ કર્મ દુ:ખને માટે થાય. ૩-તેઓમાં 'વાસવિતા' જે નહિં કરેલું કર્મ તે દુઃખને માટે થતું નથી, તે ભંગને તેઓ પૂછતા નથી, કારણ કે નહિં કરેલ અને અવિદ્યમાન કર્મ ગધેડાના શીંગડાની જેમ હોતું જ નથી. આ ત્રણ ભંગના નિષેધને આશ્રયીને આ સૂત્રનો ત્રણ સ્થાનકમાં અવતાર કરેલ છે, એમ સંભાવના કરાય છે. ત્રીજો ભંગ તો તેને સમ્મત છે, માટે તે ભંગને તેઓ પૂછે છે. આ કારણથી કહે છે–તેઓમાં વાસાવતા યિતે'—જે પૂર્વે નહિં કરેલું કર્મ તે દુઃખને માટે થાય છે, તે ક્રિયા (કર્મ) ને તેઓ પૂછે છે. ભૂતકાળમાં કરેલ (કર્મ)ના અપ્રત્યક્ષપણાથી તેમજ અવિદ્યમાનપણાથી અને દુઃખના અનુભવનું પ્રત્યક્ષ થવા વડે વિદ્યમાનપણાએ નહિં કરેલ કર્મનું દુઃખ થવા રૂપ તે પક્ષને સંમત હોય છે. પૂછનારાઓનો આ અભિપ્રાય છે કે—જો નિગ્રંથો પણ નહિં કરેલું જ કર્મ પ્રાણીઓને દુઃખને માટે થાય છે એમ સ્વીકારે તો બહુ જ સારું; કારણ કે અમારા સમાન તેઓનું જાણપણું થાય. આ હેતુને માટે શેષ ભંગોને નહિં પૂછતાં થકા ત્રીજા ભંગને જ તેઓ પૂછે છે, આ તાત્પર્ય છે. 'રે' રિતે નહિં કરેલ કર્મને સ્વીકારનારાઓનો 'વં–આ કહેવામાં આવનાર પ્રકારરૂપ વક્તવ્ય-કથન હોય, અથવા તેઓ જ આ પ્રકારે બીજાઓને કહે છે. હવે એમ તત્ત્વવાદીઓને વક્તવ્ય-પ્રરૂપણા કરવા યોગ્ય હોય. કર્મ નહિં કર્યો છતે દુઃખના ભાવથી ચિ—ન કરવા યોગ્ય, ન બાંધવા યોગ્ય-ભવિષ્યકાલમાં જીવોને ન પ્રાપ્ત થવા યોગ્ય, શું? –દુઃખ, દુઃખના હેતુપણાથી કર્મ, 'મ' ત્તિ નહિં કરેલપણાથી નહિં સ્પર્શ કરવા યોગ્ય કર્મ, વળી ચિમાજી–વર્તમાનકાળમાં બંધાતું અને તં– ભૂતકાળમાં બાંધેલું, (ક્રિયમાત–આ પદમાં વંદ્વ સમાસમાં એક વચન છે અથવા કર્મધારય સમાસ છે.) જે નહિ કરાતું તે અયિમાd, કિં ત?-દુઃખ-કર્મ 'થિં સ્વ' નિત્યવિ ત્રણ પદ . 'તત્વ ના સી મડા ઝૂંડું પુચ્છ તિ–એમ અન્યતીર્થિકના મત વડે આશ્રય કરેલ ત્રણ કાળના આલંબનને આશ્રયી આનો ત્રણ સ્થાનકમાં અવતાર જાણવો. કહેલું શું થાય છે તે સંબંધે કહે છે-કર્મ નહિં કરીને પ્રાઈ–બેઇંદ્રિય વગેરે, મૂતા –વનસ્પતિકાયિકો, નીવા–પંચેદ્રિયો, સવાઃ–પૃથિવી, અપુ. તેજ, વાયુકાયિકો, કહ્યું છે કે – प्राणा द्वित्रिचतुः प्रोक्ता भूतास्तु तरवः स्मृताः । जीवाः पञ्चेन्द्रिया ज्ञेयाः शेषाः सत्त्वा प्रकीर्तिता ।।१९।। બે, ત્રણ, ચાર ઇંદ્રિયવાળા પ્રાણીઓ કહેલા છે, ભૂતો તો તરુઓ (વનસ્પતિઓ) કહેલા છે, પંચેદ્રિયો આવો જાણવા અને શેષ સત્ત્વો કહેલા છે. (૯) - વેદના–પીડાને ભોગવે છે એમ તેઓનું કથન છે, અથવા આ કથન અજ્ઞાન વડે હણાએલ બુદ્ધિવાળા એવા તેઓ (અન્યતીર્થિકો) બીજાઓ. પ્રત્યે કહે છે. આ પ્રમાણે કહેવા યોગ્ય હોય. આ ક્રમ છે એવી રીતે અન્યતીર્થિક તેનું ખંડન કરતાં કહે છે–ને તે” રૂત્યાદિ જે આ અન્યતીર્થિકો વડે પવ—ઉક્ત પ્રકારે કહેવાયું તે અન્યતીર્થિકો આ પ્રમાણે જૂઠું કહેનારે છે કારણ કે નહિં કરેલ (કર્મને) ક્રિયાપણાની અનુપત્તિ હોવાથી જે કરાય છે તે જ ક્રિયા છે. જે ક્રિયાનું કોઈપણ પ્રકારે કરવું નથી તે કેવી રીતે ક્રિયા કહેવાય? નહિં કરેલ કર્મના અનુભવને વિષે તો બદ્ધ, મુક્ત-સુખિત અને દુઃખિત વગેરે ચોક્કસ વ્યવહારના અભાવનો પ્રસંગ આવે, એમ પોતાના મતને પ્રગટ કરતા થકા કહે છે—'' નિત્યાદિ 'મઃ તિરુ જ, અન્યતીર્થિકો નહિં. પુનઃ શબ્દ વિશેષણના અર્થમાં છે, તે તો પૂર્વના વાક્યથી ઉત્તરવાક્યના અર્થની વિલક્ષણતા (જુદી રીત)ને કહે છે. 'પવમાવવામી' ત્યા૦િ પૂર્વવત્, ત્ય—કરવા યોગ્ય, અનાગત કાળમાં દુઃખ તેનો હેતુ હોવાથી કર્મ, સૂર્ય—સ્કૃષ્ટલક્ષણ બંધ અવસ્થાને યોગ્ય,શ્ચિયમા–વર્તમાન કાળમાં કરાતું, અતીત કાળમાં કરેલું, કર્મનું કોઈપણ રીતે ન કરવું નથી આ અર્થ છે. સર્વસ્વરૂપ સ્વમતને કહે છે-કર્મ કરી કરીને એમ જણાય છે. પ્રાણીઓ વગેરે કર્મથી કરેલી શુભાશુભ પીડાને ભોગવે છે એમ સમ્યગ્રવાદીઓ કહે છે. I ત્રીજા સ્થાનકના દ્વિતીય ઉદ્દેશાની ટીકાનો અનુવાદ સમાસ || 29
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy