SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ १ स्थानाध्ययने १ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ અધિકાર છે. એવી રીતે શેષ પદોના જેમ સંભવ થાય તેમ નિક્ષેપ કહેવા યોગ્ય છે. આ રીતે સૂકાલાપક નિક્ષેપ કહેવાયો. પુનઃ પદાર્થ (પદનો અર્થ) નું વર્ણન આ પ્રકારે–અહિં પાંચમા ગણધરદેવ શ્રી સુધર્માસ્વામી જંબૂનામના પોતાના શિષ્ય પ્રત્યે ચોક્કસ પ્રતિપાદન કરે છે કેમેં સાંભળેલું છે 'માડ'વિ. સંયમની પ્રધાનતા વડે પ્રશસ્ત અથવા ઘણું આયુષ્ય છે વિદ્યમાન જેને તે આયુષ્મનું તેના સંબોધનમાં હે આયુષ્યન્ શિષ્ય! 'તે'તિ-જે નજીક, આંતરાવાળું, સૂક્ષ્મ, બાદર, બાહ્ય અને અત્યંતર સકલ પદાર્થોને વિષે અબાધિત બોલવાપણું હોવાથી યથાર્થ વક્તાપણે જગતમાં પ્રખ્યાત, અથવા પૂર્વભવમાં મેળવેલ છે તીર્થકર નામકર્માદિ લક્ષણરૂપ પરમ પુણ્યનો સમૂહ જેણે, વિનાશ થઈ છે અનાદિ કાલની લાગેલી મિથ્યાદર્શનાદિ વાસના જેની, છોડેલ છે મહાનું રાજ્યવૈભવ જેણે, દેવાદિના ઉપસર્ગ સમૂહના સંસર્ગ વડે અવિચલિત છે શુભ ધ્યાનમાર્ગ જેનો, સૂર્યની માફક ઘનઘાતી કર્મરૂપી નિબિડ વાદળાના સમૂહને તોડવા વડે પ્રકાશ પામેલ છે. નિર્મલ કેવલજ્ઞાનરૂપી ભાનુમંડલ જેમનું, ઇદ્રોરૂપી ભ્રમરોના સમૂહ સેવ્યા છે ચરણકમલ જેના, મધ્યમાં નામે નગરીમાં પ્રથમ થયેલ છે પ્રવચન જેમનું એવા શ્રી મહાવીર પ્રભુ, 'માવતા' અષ્ટ મહાપ્રાતિહાર્ય [અશોકવૃક્ષાદિ] રૂપી સમસ્ત ઐશ્વર્યાદિ સહિત તે ભગવાને, આપવામ'તિ આ આગળ કહેવાશે એવા એકત્વાદિ પ્રકાર વડે 'મારામિ'તિ આ એટલે જીવ, અજીવનાં લક્ષણની અસંકીર્ણતા એિક બીજામાં મળી ન જાય તે] રૂપી મર્યાદા વડે, અથવા સમસ્ત પદાર્થના વિસ્તારથી વ્યાપક લક્ષણરૂપી અભિવિધિ વડે યાત’–આત્માદિ વસ્તુનો સમૂહ કહેલ છે. અહિં શ્રતશિ'તિ-આ નિર્ણયને કહેનાર શબ્દ વડે પોતે ચોક્કસ કરેલું હોય તે જ બીજાને કહેવા યોગ્ય છે એમ કહ્યું; અન્યથા કહેવામાં ઊલટો દોષનો સંભવ છે. કહ્યું પણ છે કે- किं एत्तो पावयरं?, सम्म अणहिगयधम्मसब्भावो । अन्नं कुदेसणाए, कट्ठयरागंमि पाडेइ ॥२७॥ તે નથી જાણેલ સિદ્ધાંતનો સદ્ભાવ જેણે એવો તે ઉન્માર્ગની દેશના વડે બીજાને મહાકષ્ટકારી અપરાધમાં પાડે છે અને પોતે પડેલો જ છે), આથી ઉત્કૃષ્ટ બીજું ક્યું પાપ છે? અર્થાત્ કોઈ નથી. (૨૭) 'તિ આ શબ્દ વડે ઉપક્રમદ્વાર વડે કહેવાયેલ જે ભાવપ્રમાણ દ્વારગત આત્મા, અનંતર અને પરંપર ભેદથી ભિન્ન આગમને વિષે આ કહેવાતો ગ્રંથ, અર્થથી અનંતરાગમ અને સૂત્રથી તો આત્માગમ છે. 'માયુષ્પત્રિ'તિ આ શબ્દ વડે તો શિષ્યના ચિત્તને આલ્હાદ કરનાર કોમલ વચન વડે આચાર્યે ઉપદેશ કરવો જોઈએ તેમ જણાવેલ છે. ૩ રં– , धम्ममइएहिं अइसुंदरेहिं कारणगुणोवणीएहिं । पल्हायंतो य मणं, सीसं चोएइ आयरिओ ॥२८॥ [૩ડેશમાના ૧૦૪ ઉત્ત]. ધર્મમય વચનોથી અતિ સુંદર ભાષા વડે, કારણ એટલે પોતાને ભણવાનું પ્રયોજન અને ગુણ-શીખનાર ને જ્ઞાનપાત્રતા વગેરે બતાવવા વડે શિષ્યના ચિત્તને આનંદ કરાવતા આચાર્ય શિષ્યને પ્રેરણા કરે છે. (૨૮) - પ્રાણીઓને આયુષ્ય અતિશય વહાલું હોવાથી આયુષ્મનું શબ્દ અત્યંત હર્ષજનક છે. કહ્યું પણ છે કે'सव्वे पाणा पियाउया अप्पियवहा सहासाया दुक्खपडिकूला सव्वे जीविउकामा सव्वेसिं जीवियं पियं' ।।२९।। [નાવાર સૂત્ર ૭૮] સર્વ પ્રાણીઓને આયુષ્ય પ્રિય હોય છે અને વધ અપ્રિય છે, સુખ અનુકૂલ અને દુઃખ પ્રતિકૂલ હોય છે, બધા જીવવાની ઇચ્છાવાળા હોય છે અને સર્વને જીવિત પ્રિય હોય છે. (૨૯) તથા तृणायापि न मन्यन्ते, पुत्रदारार्थसम्पदः । जीवितार्थे नरास्तेन, तेषामायुरतिप्रियम् ॥३०॥ મનુષ્યો, જીવન માટે પુત્ર, સ્ત્રી અને ધનસંપત્તિને તૃણ (ઘાસ) તુલ્ય પણ નથી માનતા, કારણ કે તેઓને આયુષ્ય અતિ વહાલું હોય છે. (૩૦) , અથવા ગાયુષ્ય—આ શબ્દ વડે ગ્રહણ, ધારણાદિ ગુણવાળા શિષ્યને શાસ્ત્રનો અર્થ દેવા યોગ્ય છે એ અર્થ જણાવવા માટે સર્વ ગુણોના આધારભૂત, સમસ્ત ગુણના ઉપલક્ષણરૂપ લાંબા આયુષ્યરૂપ ગુણ વડે ગુરુ દ્વારા શિષ્યને આમંત્રણ કરાયું છે. 11
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy