________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
१ स्थानाध्ययने १ सूत्रम्
(મૂ0) શ્રી સુધર્માસ્વામી જંબૂસ્વામી પ્રત્યે કહે છે—હે આયુષ્મન્ શિષ્ય! તે મહાવીર ભગવાને આ પ્રમાણે (આગળ કહેવાશે તેમ) જે કહેલું તે મેં સાંભળેલું છે (તે જ હું કહું છું). ॥૧॥
(ટી૦) આ સૂત્રની વ્યાખ્યા સંહિતાદિક્રમ વડે હું કહું છું. તે વિષે ભાષ્યકાર કહે છે—
सुत्तं १ पयं २ पयत्थो ३, संभवतो ४ विग्गहो वियारो य ५ (चालनेत्यर्थ) ।
दुसियसिद्धी ६ नयमय-विसेसओ नेयमणुसुतं ॥२४॥ [ विशेषाश्यक० १००२ त्ति ]
૧ અસ્ખલિતાદિ ગુણ સહિત સૂત્ર કહેવું. ૨ પછી પદચ્છેદ કહેવો, ૩ પદનો અર્થ કહેવો, ૪ જો સમાસનો સંભવ હોય તો સમાસ (વિગ્રહ) કરવો, ૫ પછી વિચાર–તર્ક (શંકા) ક૨વો, ૬ પછી દૂષણને દૂર કરવું (શંકાનું સમાધાન) તે પ્રત્યવસ્થાન, તે પણ નયોના મત વિશેષ વડે કરવું. (૨૪)
એમ દરેક સૂત્રનું વ્યાખ્યાન કરવું. તેમાં સૂત્ર એટલે સંહિતા તે કહેવાયેલ છે, કેમકે સૂત્રાનુગમ સંહિતારૂપ છે. કહ્યું છે કે—'હોડ્ યો વોનું, સપયછેય સુયં સુવાળુળમો'1 [વિશેષા॰ ૨૦૦૬ ત્તિ] તિ. સૂત્રાનુગમ પદચ્છેદ સહિત સૂત્રને કહી કૃતાર્થ થાય છે. અસ્ખલિતાદિ ગુણ સહિત ઉચ્ચારેલ સૂત્રમાં કેટલાએક અર્થો ડાહ્યા પુરુષોને સમજાયેલ જ છે. આ કારણથી સંહિતા વ્યાખ્યાનો ભેદ થાય છે અને ન જાણેલ અર્થને જાણવા માટે પદાદિ, વ્યાખ્યાના ભેદો પ્રવર્તે છે. ત્યાં વ્યાખ્યા ભેદમાં—'શ્રુત મયા આયુષ્મન્! તેન માવતા વમાવ્યાતમ્' કૃતિ આવી રીતે પદોની વ્યવસ્થા કરી ત્યારે સૂત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપનો અવસર છે. તેમાં આ વ્યવસ્થા છે.
जत्थ उ जं जाणेज्जा, निक्खेवं निक्खिवे निरवसेसं । जत्थवि य ण जाणेज्जा, चउक्कयं निक्खिवे तत्थ ।। २५ ।। [આચારાંગ નિ॰ ૪; અનુયોગ સૂ॰ ૮ ત્તિ]
જ્યાં જે (જેટલા) નિક્ષેપા જાણી શકાય ત્યાં તે (તેટલા) નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વગે૨ે નિર્વિશેષ (સમસ્ત) નિક્ષિપ્ત કરવા, અને જ્યાં વધારે ન જાણી શકાય ત્યાં ચાર નિક્ષેપા (નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ) ઓછામાં ઓછા અવશ્ય સ્થાપન કરવા. (૨૫)
તેમાં નામશ્રુત અને સ્થાપનાશ્રુત પ્રતીત છે. ઉપયોગ રહિત ભણનારનું સૂત્ર અથવા પત્રક (પાનાં) અને રૈપુસ્તકમાં રહેલું–લખેલું તે દ્રવ્યશ્રુત છે અને ભાવશ્રુત તો શ્રુતના ઉપયોગવાળાને હોય છે. અહિં શ્રોતેંદ્રિય દ્વારા થયેલ ઉપયોગલક્ષણરૂપી ભાવશ્રુત વડે અધિકાર છે. તથા 'આડસ'તિ—આયુષ્ય એટલે જીવિત નામાદિ ભેદથી દશ પ્રકારે છે. તે આ પ્રમાણે— नामं १ ठवणा २ दविए ३, ओहे ४ भव ५ तब्भवे य ६ भोगे य ७ ।
'
संजम ८ जस ९ कित्ती १०, जीवियं च तं भण्णती दसहा ।। २६ ।। [आव०नि० १०५६; विशेषावश्यक० ३५१०]
તેનાં નામ ૧ અને સ્થાપના ૨ સુગમ છે. 'વિ'ત્તિસચેતનાદિ ભેદવાળું દ્રવ્ય જ જીવનનો હેતુ હોવાથી તે જીવિત
છે તે દ્રવ્યજીવિત ૩, નારકાદિ પર્યાય વિશેષ રહિત આયુષ્ય દ્રવ્ય માત્ર (આયુઃદલિક) જે સામાન્ય જીવિત તે ઓઘજીવિત ૪, નારકાદિ ભવ વિશિષ્ટ જીવિત તે ભવજીવિત; જેમકે નારકનું જીવન વગે૨ે ૫, સમાન જાતીયપણે પૂર્વભવનું જીવન તે “તદ્ભવજીવિત; જેમ કે મનુષ્ય મૃત્યુ પામીને ફરીને મનુષ્યપણે ઉત્પન્ન થાય તે ૬, ભોગજીવિત ચક્રવર્તી વગેરેને હોય ૭, સંયમજીવિત સાધુઓને હોય ૮, યશજીવિત ૯ અને કીર્તિજીવિત ૧૦ જેમ મહાવીર પ્રભુને હતું તેમ. એમ દશ પ્રકારનું જીવીતવ્ય કહેલ છે. અહીં જીવિત એટલે આયુષ્ય જ છે, તથા અહિં સંયમઆયુષ્ય, યશઆયુષ્ય અને કીર્ત્તિઆયુષ્ય વડે 1. સુત્તાભાવશાસો, નામાશ્ત્રાસવિનિઓના ઉત્તરાઈ શ્૦૦૧||
2. પત્રક અને પુસ્તકમાં લખેલું સૂત્ર ભાવદ્યુતનું કારણ હોવાથી તે દ્રવ્યશ્રુત છે.
3. વિશેષાવશ્યક ભાષ્યમાં 'નસ જિત્તી'ના સ્થાને અનમ અને નસ આ બે લીધેલ છે. ભાષાંતર ભાગ-૨, પૃષ્ઠ ક્રમાંક ૫૪૪૦
4. દેવ, નારક અને યુગલિકને તદ્ભવજીવિત હોતું નથી, કારણ તે દેવાદિ ફરીને તેની તે જ યોનિમાં ઉપજતા નથી.
5. વાક્ય, નિક્ષેપના અવસરમાં ભાષાના નિક્ષેપની માફક અહિં આયુષ્યના પ્રસ્તાવમાં જીવિતનો નિક્ષેપ કરેલ છે.
10