________________
१ स्थानाध्ययने १ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
નામ નિષ્પન્ન નિક્ષેપામાં તો આ અધ્યયનનું એક સ્થાનક એવું નામ છે તે માટે એક શબ્દ અને સ્થાન શબ્દનો નિક્ષેપ
કહેવા યોગ્ય છે. તેમાં એક શબ્દ નામાદિ સાત પ્રકારનો છે. તf– २. नाम :- नाम ठवणारे दविए', माउयपय संगहेक्कए चेव । पज्जव भावे य तहा, सत्तेते एक्कगा होति ।।२३।।
શિવાતિ નિ ૮,૨૨૮; ૩ત્તરાધ્યયન નિઃ ૧૪૨,૩૭૮]. તેમાં ૧ જેનું એક એવું નામ હોય તે નામ એક, ૨ પુસ્તકાદિને વિષે સ્થાપન કરેલ એકૈક અંક તે સ્થાપના એક, ૩ દ્રવ્ય એક તે 'સચિત્ત, અચિત્ત અને મિશ્ર ભેદરૂપ ત્રણ પ્રકારે છે. ૪ માતૃકાપદ એક તો ? ૩પ વા ર વિગમે; વા વાયુવેરૂ વા–એ માતાની માફક સકલ શાસ્ત્રના મૂળભૂત હોવાથી અવસ્થિત ત્રિપદમાંથી કોઈ પણ એક વિવક્ષિત પદ, અથવા અકારાદિ અક્ષરાત્મક માતૃકામાંથી કોઈ પણ અકારાદિ એક અક્ષર તે માતૃકાપદ એક, ૫ સંગ્રહ એક એટલે એક શબ્દના ઉચ્ચાર વડે પણ ઘણા અર્થનો સંગ્રહ કરાય છે. જેમ જાતિના પ્રાધાન્ય વડે વ્રીહિ અર્થાત્ વ્રીહિ શબ્દથી અનેક જાતના ચોખાનો સંગ્રહ થાય છે તે સંગ્રહ એક, ૬ પર્યાય એક-ઘટ દ્રવ્યના શિબિકાદિ એક પર્યાયરૂપ, ૭–ભાવ એક–દયિકાદિ છ ભાવમાંથી કોઈપણ એક ભાવરૂપ. (૨૩) અહિં ભાવ એક વડે અધિકાર છે જેથી ગણના લક્ષણ વિશિષ્ટ સ્થાન વિષય આ એક છે. વલી ગણના તે સંખ્યા. સંખ્યા તે ગુણ અને ગુણ તે ભાવ, સ્થાન શબ્દનો નિક્ષેપ તો પ્રથમ જ કહેલ છે તેમાં ગણના સ્થાન વડે અહિં અધિકાર છે; તેથી એક લક્ષણ જે સ્થાન સંખ્યાબેદરૂપ એક સ્થાન, અને એક સ્થાન વિશિષ્ટ જીવાદિ અર્થના પ્રતિપાદનમાં
સમર્થરૂપી અધ્યયન પણ એક સ્થાન છે. ઘનિષ્પન્ન અને નામનિષ્પન્ન એ બને નિક્ષેપ કહેવાયા. ૩. સૂત્રાલાપક - હવે સૂત્રાલાપક નિક્ષેપ કહેવાનો સમય આવેલ છે તેનું સ્વરૂપ આ પ્રમાણે—કૃત ને મયુખના ઈત્યાદિ : સૂત્રપદોનો નિક્ષેપ, નામાદિનું સ્થાપન તે કહેવાનો સમય પ્રાપ્ત છે પણ તે કહેતા નથી. કારણ? સૂત્ર છતે તેનો સંભવ
છેસૂત્ર તો સૂત્રાનુગમમાં છે અને તે અનુગમનો જ ભેદ છે, માટે પહેલાં અનુગમ જ વર્ણવાય છે. અનુગમ બે પ્રકારનો છે : ૧ નિયુક્તિઅનુગમ અને ૨ સૂત્રાનુગમ. તેમાં નિયુક્તિ અનુગમ ૧ નિક્ષેપનિયુક્તિ, ૨ ઉપોદ્ધાતનિયુક્તિ અને ૩ સૂત્રસ્પર્શિકનિયુક્તિના ભેદથી ત્રણ પ્રકારનો છે. તેમાં પણ નિક્ષેપનિયુક્તિ અનુગમ સ્થાન, અંગ, અધ્યયનાદિ એક શબ્દના નિક્ષેપના પ્રતિપાદનથી નિયુક્તિઅનુગમનું પણ પ્રતિપાદન થયું જ છે. ઉપોદ્યાતનિયુક્તિ અનુગમ તો–2" નિદ્દ ર નિ ' [માવય નિ. ૨૪૦-૪૨; વિશોષાવશ્ય ૨૪૮૪-૧૪૮૧] ઈત્યાદિ (મહાભાષ્યની) બે ગાથાથી જાણવો. સૂત્રસ્પર્શિકનિયુક્તિ અનુગમ તો ‘વ્યાખ્યાના લક્ષણરૂપી સંહિતાદિ છ પ્રકારમાં ૧ પદાર્થ, ૨ પદવિગ્રહ, ૩ ચાલના અને ૪ પ્રત્યવસ્થાન લક્ષણરૂપ જે વ્યાખ્યાનના ચાર ભેદસ્વરૂપ તે સૂત્રાનુગમને વિષે સંહિતા અને પદ લક્ષણ વિશિષ્ટ વ્યાખ્યાનના બે ભેદ છતે હોય છે. આ કારણથી સૂત્રાનુગમ કહેવાય છે. તેમાં અલ્પગ્રંથ (થોડા શબ્દવાળું) મહાન અર્થાદિ વિશિષ્ટ સૂત્રના લક્ષણ સહિત અને અલિતાદિ દોષ રહિત સૂત્ર ઉચ્ચાર કરવા યોગ્ય છે. તે આ પ્રમાણે–
सुयं मे आउसं| तेणं भगवता एवमक्खायं ।।सू०१।। 1. સચિત્ત દ્રવ્ય તે પુરુષ, અચિત્ત દ્રવ્ય તે રુપીઓ અને મિશ્ર દ્રવ્ય તે આભૂષણયુક્ત પુરુષ ઇત્યાદિ. 2. उद्देसे निइसे य, निग्गमे खेतकालपुरिसे य। कारणपच्चय लक्खण नए, समोयारणाणुमए ॥९७३।। किं कहिविहं कस्स, कहिं केसु
# વિર દવ વાર્તા # સંતરમવિઢિયું, મવા-રિસ-શ્વાસ-નિરુત્તિ II૭૪ || [વિરોષાવાળું) શબ્દાર્થ-૧ ઉદ્દેશ, ૨ ' નિર્દેશ, ૩ નિર્ગમ, ૪ ક્ષેત્ર, ૫ કાલ, ૬ પુરુષ, ૭ કારણ, ૮ પ્રત્યય, ૯ લક્ષણ, ૧૦ નય, ૧૧ સમવતાર, ૧૨ અનુમત, ૧૩ શું, ૧૪ કેટલા પ્રકારે, ૧૫ કોનું, ૧૬ ક્યાં, ૧૭ કોનામાં, ૧૮ કેવી રીતે, ૧૯ કેટલો હોય, ૨૦ કેટલું અંતર, ૨૧ અંતર રહિત, ૨૨ ભવ, ૨૩. આકર્ષ, ૨૪ સ્પર્શના, ૨૫ નિરુક્તિદ્વાર એ પચીશ દ્વારો વડે જાણવા યોગ્ય છે. ૩. સૂત્રના આઠ ગુણો અને બત્રીશ દોષના અભાવનું સ્વરૂપ મહાભાષ્યની ટીકાથી જાણી લેવું.