SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः २ अच्छेद्यादीनि त्रीणिभयवर्णनं च १६५ - १६६ सूत्रे (ટી૦) 'તિવિદે' ત્યાદ્રિ સ્પષ્ટ છે. જે ત્રાસ પામે છે તે ત્રસો-ચલન ધર્મવાળા. તેમાં તેજસ્કાયિક અને વાયુકાયિકો ગતિ (ચાલવા)ના યોગથી ત્રસ છે–ગતિત્રસ છે. સ્થૂલ ત્રસો, ત્રસનામકર્મના ઉદયવાળા હોવાથી કહેવાય છે. સ્પષ્ટ શ્વાસોચ્છ્વાસ વગેરે પ્રાણના યોગથી પ્રાણીઓ દ્વીંદ્રીય વગે૨ે, તે પણ ગતિ–ગમનના યોગથી ત્રસો છે. આ પ્રમાણે ત્રસો કહ્યા, હવે તેથી વિપરીત સ્થાવર કહે છે—'તિવિદે' ત્યાદ્રિ સ્થિર સ્વભાવવાળા હોવાથી અથવા સ્થાવરનામકર્મના ઉદયવાળા હોવાથી સ્થાવરો કહેવાય છે. શેષ સ્પષ્ટ છે. ૧૬૪|| અહિં પૃથ્વી વગેરે પ્રાયઃ અંગુલના અસંખ્યાત ભાગ માત્ર અવગાહનાવાળા હોવાથી ન છેદાય તેવા સ્વભાવવાળા વ્યવહારથી હોય છે, માટે તેના પ્રસ્તાવથી નિશ્ચય વડે અછેદ્ય વગેરેને આઠ સૂત્રો દ્વારા કહે છે— તો અલ્ઝેન્ગા પશત્તા, તંનહા—સમયે, પણે, પરમાનૂ। વમમેન્ગા ર, અડાા રૂ, અભિજ્ઞા ૪, ગાય, ગમન્ના ૬, અપતા । તો વિમાતિમા પન્નત્તા, તંનહા-સમયે, પણે, પરમાનૂ ૮ || R॰ ૬૧|| अज्जत्ति समणे भगवं महावीरे गोयमादी समणे णिग्गंथे आमंतेत्ता एवं वयासी - किंभया पाणां समणाउसो ! गोमाती समणा णिग्गंथा समणं भगवं महावीरं उवसंकमंति, उवसंकमित्ता वंदंति णमंसंति, वंदित्ता णमंसित्ता एवं वयासी - णो खलु वयं देवाणुप्पिया ! एयमडं जाणामो वा पासामो वा, तं जदि णं देवाणुप्पिया एयमहं णो गिलायंति परिकहित्तते तमिच्छामो णं देवाणुप्पियाणं अंतिए एयमहं जाणित्तए, अज्जो त्ति समणे भगवं महावीरे गोयमाती समणे निग्गंथे आमंत्तेता एवं वयासी - (१) दुक्खभया पाणा समणाउसो ! । से णं भंते! दुक्खे केण ડે?, નીનેાં જ્ડ પમારેળ (૨), તે ખં ભંતે। તુમ્હે ... વેન્નતિ? અપ્પમાળ (૩) સૂ॰ ૬૬ II (મૂળ) ત્રણ અછેદ્ય-ન છેદી શકાય એવા કહેલા છે, તે આ પ્રમાણે—૧ સમય, ૨ પ્રદેશ અને ૩ પરમાણુ (૧), એવી રીતે !! અભેદ્ય–ન ભેદી શકાય (૨), અદાહ્ય-ન બાળી શકાય (૩) અગ્રાહ્ય ગ્રહણ ન કરી શકાય (૪), અનદ્ધ–જેના બે વિભાગ ન પાડી શકાય (૫), અમધ્ય–જેનો મધ્ય ભાગ ન કરી શકાય (૬), પ્રદેશ રહિત (૭), ત્રણ વિભાગ રહિત કહેલા છે, તે આ પ્રમાણે—૧ સમય, ૨ પ્રદેશ અને ૩ પરમાણુ (૮). ૧૬૫/ હે આર્યો! શ્રમણ ભગવાન્ મહાવીર, ગૌતમાદિ શ્રમણ નિગ્રંથોને આમંત્રણ કરીને એમ કહેતા હતા (પ્રશ્ન) પ્રાણીઓ કોનાથી ભયવાળા છે? હે શ્રમણો! હે આયુષ્યંતો (ઉત્તર) ગૌતમાદિ શ્રમણ નિગ્રંથો, શ્રમણ ભગવાન્ મહાવીરની સમીપે આવે છે, આવીને સ્તુતિ કરે છે, નમસ્કાર કરે છે, સ્તુતિ કરીને નમસ્કાર કરીને એમ કહેતા હતા. હે દેવાનુપ્રિય! અમે નિશ્ચય આ અર્થને જાણતા નથી અને દેખતા નથી, હે દેવાનુપ્રિય! જો તે અર્થને કહેવા માટે આપને ગ્લાનિ–ખેદ ન થાય તો દેવાનુપ્રિય! આપની સમીપે આ અર્થ જાણવા માટે અમે ઈચ્છીએ છીએ. હે આર્યો! આ પ્રમાણે શ્રમણ ભગવાન્ મહાવીર પ્રભુ, ગૌતમાદિ શ્રમણ નિગ્રંથોને આમંત્રણ કરીને એમ કહેતા હતા કે શ્રમણો—આયુષ્યંતો! પ્રાણીઓ દુઃખથી ભય પામે છે ૧, હે ભગવાનૂ (પ્રશ્ન) તે દુઃખ કોણે કર્યું? (ઉત્તર) જીવે પ્રમાદ વડે કર્યું ૨, (પશ્ન) હે ભગવન્! તે દુઃખ કેમ વેદાય–છૂટે? (ઉત્તર) અપ્રમાદથી ૩. ૧૬૬।। (ટી0) 'તેઓ અચ્છેને' ત્યાદ્દિ॰, બુદ્ધિ વડે અથવા છુરી વગેરે શસ્ત્રોથી છેદવા માટે અશક્ય છે માટે અચ્છેદ્ય છે, કારણ કે છેદવાપણામાં સમય વગેરેનો અયોગ હોય છે. સમય-કાળવિશેષ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયોનો અવયવ રહિત જે અંશ તે પ્રદેશ, સ્કંધરહિત જે પુદ્ગલ તે પરમાણુ. કહ્યું છે— सत्थेण सुतिक्खेण वि, छेत्तुं भेत्तुं च जं किर न सक्का । तं परमाणुं सिद्धा, वयंति आई पमाणाणं ।। ९५ ।। [जंबुद्वीप प्र०२ / २८ इति] અતિતીક્ષ્ણ શસ્ત્ર વડે પણ જે છેદી ન શકાય, ભેદી ન શકાય તેને જ્ઞાનીપુરુષો પરમાણુ કહે છે અને તે અંગુલ વગેરે 216
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy