SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः २ अच्छेद्यादीनि त्रीणिभयवर्णनं च १६५ - १६६ सूत्रे પ્રમાણનું આદિ-મૂલ રૂપ છે. (૯૫) 'Ç' મિતિ॰ પૂર્વસૂત્રના અભિલાપને સૂચન કરવા માટે છે. સોય વગેરેથી અભેદ્ય, અગ્નિ તેમજ ક્ષાર વગેરે વડે અદાહ્ય, હાથ વગેરેથી જેનો અર્ધ ભાગ ગ્રાહ્ય નથી તે અનá છે, કારણ કે બે વિભાગનો અભાવ છે. ત્રણ વિભાગના અભાવથી અમધ્ય છે. આ કારણથી જ કહે છે—'પ્રવેશઃ' અવયવ વગરના, આથી જ અવિભાજ્ય—ભાગ ન પાડી શકાય એવા, અથવા વિભાગ વડે બનેલા તે વિભાગવાળા અને તે વિભાગના નિષેધથી અવિભાગિમા. ૧૬૫॥ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ પૂર્વસૂત્રમાં કહેલા આ ત્રસ અને સ્થાવર પ્રાણીઓ દુઃખથી ભીરુ હોય છે, માટે એના કથનદ્વાર વડે કહે છે—'અન્ગો' ઇત્યાદિ સૂત્ર સુગમ છે. 'અન્નોત્તિ' ત્તિ જે પાપકર્મોથી દૂર ગયેલા તે આર્યો, તેના સંબોધનમાં હે આર્યો! 'કૃતિઃ' આ અભિલાપ વડે આમંત્રણ ક૨વાનો સંબંધ સમજવો. શ્રમણ ભગવાન મહાવીર ગૌતમાદિ શ્રમણ નિગ્રંથોને સ્વં—આગળ કહેવામાં આવના૨ ન્યાય વડે કહેતા હતા. કોનાથી છે ભય જેમને તે નિં ભયા—કોનાથી ડરે છે એવો અર્થ સમજવો. પ્રાણીઓ, 'સમાવસો' ત્તિ॰ કે શ્રમણો! હે આયુષ્યંતો! એમ ગૌતમાદિને જ આમંત્રણ કરેલ છે. આ ભગવાન સંબંધી પ્રશ્ન શિષ્યોને જ્ઞાન થવા માટે જ કરેલ છે. આમ કહેવાથી પ્રશ્ન નહિં પૂછેલ શિષ્યના હિત માટે તત્ત્વ કહેવા યોગ્ય છે એ વસ્તુનું પણ સૂચન કરે છે. કહ્યું પણ છે કે— कत्थइ पुच्छइ सीसो, कहिंचऽपुट्ठा वयंति आयरिया । सीसाणं तु हिया, विउलतरागं तु पुच्छा ।। ९६ ।। . [શવૈ॰ નિ॰ રૂ૮ ત્તિ] કોઈક વખતે જાણતો થકો પણ શિષ્ય પૂછે છે, કોઈ વખત અપૃષ્ટ-ન પૂછેલ છતાં આચાર્યો, પૂર્વપક્ષની શંકા કરીને શિષ્યોના હિત માટે જ કહેં છે અને પૂછવાથી વિસ્તારપૂર્વક કહે છે. (૯૬) '૩વસંમતિ' ત્તિ સમીપે જાય છે અર્થાત્ તેની નજીકમાં રહેનાર થાય છે. અહિં તે (શ્રી મહાવીરસ્વામીના કાળ)ની અપેક્ષાએ ક્રિયાનું વર્તમાનપણું કહેલું છે, માટે સૂત્રમાં કહેલ વર્તમાન કાળનું કથન દોષમુક્ત છે. સમીપે આવીને સ્તુતિ વડે વંદન કરે છે, પ્રણામથી નમે છે. 'વમ્' આ પ્રકાર વડે 'વાસિ' ત્તિ છાંદસ–આગમપણાથી બહુવચનના અર્થમાં એકવચન હોવાથી કહેતા હતા કે—વિશેષથી અમે જાણતા નથી, સામાન્યથી અમે દેખતા નથી. (બન્ને વા શબ્દ વિકલ્પના અર્થવાળા છે.) 'તર્િ' તિ॰ કોનાથી ભયવાળા પ્રાણીઓ છે, 'નો પિત્તયંતિ' ત્તિ॰ તમને (કહેવા વડે) શ્રમ ન થાય તો અમે જાણવા માટે ઈચ્છીએ છીએ તેથી 'રુવમય' ત્તિ॰ મરણાદિરૂપ દુઃખથી ભય છે જેઓને તે દુઃખભયા. 'સે Ī' ત્તિ॰ તે દુઃખ, 'નીવેનં ડે' ત્તિ દુઃખના કારણભૂત કર્મના ક૨વાથી જીવ વડે કરાયું એમ કહેવાય છે. કેવી રીતે કરાયું? તે સંબંધી કહે છે— 'પમાĪ' તિ॰ કરણભૂત બંધના હેતુરૂપ અજ્ઞાનાદિ પ્રમાદ વડે. કહ્યું છે કે— पमाओ य मुणिंदेहिं, भणिओ अट्टभेयओ । अन्नाणं संसओ चेव, मिच्छाणाणं तहेव य ॥९७॥ રામો જોતો મફબ્બતો, ધમ્મમિ ય અખાયો । નોશાળ દુબળીદાળ, અન્નદ્દા વનિયળો IIII મુનીંદ્રોએ આઠ પ્રકારનો પ્રમાદ કહેલ છે, તે આ પ્રમાણે—૧ અજ્ઞાન, ૨ સંશય, ૩ મિથ્યાજ્ઞાન, ૪ રાગ, ૫ દ્વેષ, ૬ મતિભ્રંશ (વિપરીત મતિ), ૭ ધર્મમાં અનાદર (અરુચિ) અને ૮ મન, વચન અને કાયારૂપ યોગોનું દુષ્પ્રણિધાન–માઠું પ્રવર્તન–એ આઠ પ્રકારના પ્રમાદનો ત્યાગ કરવો. (૯૭–૯૮) તે દુઃખ (કર્મ) અપ્રમાદ વડે વેદ્યતે—ક્ષય પામે છે, કારણ કે તે બંધહેતુનો પ્રતિપક્ષી છે. આ સૂત્રનો જુસ્લમયા પાળા ૧, નીવેમાં તે તુવણે પમાાં ૨, અપમાાં વેખ્ખરૂં રૂ—એ પ્રમાણે ત્રણ પ્રશ્નોત્તર યુક્તપણાથી ત્રણ સ્થાનકમાં અવતાર જાણવો. ૧૬૬॥ જીવ વડે દુઃખ કરાયું એમ કહ્યું, હવે પરમતને ખંડન કરીને એનું જ સમર્થન કરતાં કહે છે— 217
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy