SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः २ निर्ग्रथ वर्णनम् १५८ - १५९ सूत्रे શુદ્ધ થયેલ. વળી ત્રણ નિગ્રંથો સંજ્ઞાઉપયુક્ત અને નોસંજ્ઞાઉપયુક્ત-આહારાદિની ચિંતાવાળા અને ચિંતારહિત કહેલ છે, તે આ પ્રમાણે—૧ બકુશ–ચારિત્રને મલિન કરનાર, ૨ પ્રતિસેવનાકુશીલ–મૂલ તથા ઉત્તરગુણમાં દોષ લગાડનાર, ૩ કષાયકુશીલ-કષાયો વડે જેનો ખરાબ શીલ-આચાર છે, અર્થાત્ સંજ્વલનકષાયના ઉદયથી દોષ લગાડે છે પરંતુ મૂલોત્તર ગુણમાં દોષ ન લગાડે. ૧૫૮॥ ત્રણ શૈશ્ય (શિષ્ય) ની ભૂમિઓ વડી દીક્ષા આપવાના કાલરૂપ કહેલી છે, તે આ પ્રમાણે—ઉત્કૃષ્ટા, મધ્યમા અને જઘન્યા. છમાસવાળી ઉત્કૃષ્ટ ભૂમિ, ચાર માસવાળી મધ્યમભૂમિ અને સાત અહોરાત્રવાળી જઘન્મભૂમિ. ત્રણ સ્થવિરભૂમિ (પદવી) કહેલ છે, તે આ પ્રમાણે—૧ જાતિજન્મસ્થવિર, ૨ શ્રુતસ્થવિર અને ૩ પર્યાય (દીક્ષા) સ્થવિર. સાઠ વર્ષની આયુ થયે છતે શ્રમણ નિગ્રંથ જાતિસ્થવિર, ઠાણાંગ અને સમવાયાંગ સિદ્ધાંત (આચારાંગ સૂયગડાંગ સહિત) ને ધરનાર–ભણેલ તે શ્રુતસ્થવિર અને વીશ વર્ષની દીક્ષાવાળો શ્રમણ નિગ્રંથ તે પર્યાયસ્થવિર જાણવો. ૧૫૯ (ટી૦) 'તઓ' ત્યાર્િ॰ બાહ્ય અત્યંતર ગ્રંથ (પરિગ્રહ)થી મુક્ત થયેલા સંયતો, સંજ્ઞામાં–આહારાદિની ઇચ્છામાં, પૂર્વે અનુભવેલ આહારાદિનું સ્મરણ અને ભવિષ્યની ચિંતા વડે ઉપયોગવાળા (જોડાયેલા નહિં) તે નોસંજ્ઞાઉપયુક્તો. તેમાં પુલાક એટલે લબ્ધિને પ્રયુંજવા વગેરેથી સંયમનું અસા૨૫ણું કરનાર. તેના લક્ષણો આગળ કહેવાશે (૧), નિગ્રંથ તે ઉપશાંતમોહી અથવા ક્ષીણમોહી હોય છે (૨), સ્નાતક-ઘાતીકર્મરૂપ મલના પ્રક્ષાલન (ધોવા)થી પ્રાપ્ત કરેલ છે શુદ્ધ જ્ઞાનસ્વરૂપ જેણે તે (૩), તથા ત્રણ નિગ્રંથો જ સંજ્ઞોપયુક્તા અને નોસંજ્ઞોપયુક્તા એટલે કે સંકીર્ણ-મિશ્ર સ્વરૂપવાળા છે. તથાસ્વરૂપપણાથી તે પ્રકારે કહે છે—'સત્ર-ોસન્નોવઙત્ત' ત્તિ સંજ્ઞા આહારાદિના વિષયવાળી અને નોસંજ્ઞા-આહારાદિની ઇચ્છાના અભાવવાળી. તે બન્નેના ઉપયોગવાળા તે સંજ્ઞાનોસંજ્ઞોપયુક્તા. આ ષષ્ઠી તત્પુરુષસમાસ છે. અહિં પૂર્વના 'સન્ન' શબ્દમાં હૂસ્વપણું પ્રાકૃતપણાને અંગે સમજવું. ત્રણમાં બકુશ-શરીરની અને ઉપકરણની વિભૂષા વગેરે વડે કાબરચિતરું કરેલ છે ચારિત્રરૂપી વસ્ત્ર જેણે તે (૧), પ્રતિસેવનાકુશીલ–મૂલગુણો વગેરેમાં પ્રતિસેવના–દોષ લગાવવા વડે અશુભ છે શીલ-આચાર જેનો તે (૨), એમ જ કષાય વડે કુત્સિત છે શીલ-આચાર જેનો તે કષાયકુશીલ (૩). II૧૫૮॥ કેટલાએક નિગ્રંથો આરોપણ કરેલ વ્રતવાળા હોય છે, આ કારણથી વ્રતના આરોપણમાં કાળવિશેષોને કહે છે—'તઓ સેહે' ત્યા॰િ સુગમ છે. 'સેહે'તિ વિધૂ ધાતુ નિષ્પાદન—બનાવવાના અર્થમાં છે એ વચનથી સેધ્યતે—જેના વડે જે તૈયાર કરાય છે તે સેધ, અથવા જે શિક્ષાને અભ્યાસે છે–શીખે છે તે શૈક્ષ્ય (શિષ્ય), તેની ભૂમિઓ–મહાવ્રતના આરોપણ કરવાના લક્ષણવાળી અવસ્થા પદવીઓ તે સેધભૂમિઓ અથવા શૈક્ષ્યભૂમિઓ જાણવી. ઉત્કૃષ્ટથી છ માસ વડે વડી દીક્ષા (ફરીથી મહાવ્રતોનું સ્થાપન) છ માસનું ઉલ્લંઘન ન કરે, મધ્યમથી ચાર માસ વડે ઉત્થાપન કરાય છે અને જઘન્યથી સાત અહોરાત્ર વડે થાય છે કારણ કે શિક્ષાને ગ્રહણ કરેલ હોવાથી કહ્યું છે કે— सेहस्स तिन्नि भूमी, जहन्न तह मज्झिमा य उक्कोसा । राईदि सत्त चउमासिगा य छम्मासिआ चेव ||८०|| [વ્યવ॰ ૨૦/૪૬૦૪] શિષ્યની ત્રણ ભૂમિઓ છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટી, તે ક્રમશઃ સાત અહોરાત્રી, ચાર માસ અને છ માસવાળી કહેલ છે. (૮૦) આ શૈક્ષભૂમિઓમાં વ્યવહાર (સૂત્ર) વડે કહેવાયેલ આ વિભાગ છે. पुव्वोवट्ठपुराणे, करणजयट्ठा जहन्निया भूमी । उक्कोसा दुम्मेहं, पडुच्च अस्सद्दहाणं च ॥ ८१ ॥ एमेव य मज्झिमगा, अणहिज्जेते असद्दहंते य । भावियमेहाविस्स वि, करणजयट्ठा य मज्झिमगा ।। ८२ ।। [વ્યવ॰ ૨૦/૪૬૦-૬] 208
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy