SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः २ निर्ग्रथ वर्णनम् १५८ - १५९ सूत्रे श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ જીવના ઉપયોગરૂપ હોવાથી ચારિત્ર બોધિરૂપ છે. બોધિવિશિષ્ટ પુરુષો ત્રણ પ્રકારે છે, તે જ્ઞાનબુદ્ધો વગેરે. 'છ્યું મોહેમૂદ' ત્તિ॰ બોધિની જેમ અને બુદ્ધની માફક મોહ અને મૂઢો પણ ત્રણ પ્રકા૨ે કહેવા યોગ્ય છે, તે આ પ્રમાણે—'તિવિદ્દે મોહે પન્નત્તે, તું નહા—નાંમોત્તે' ફત્યા॰િ ત્રણ પ્રકારે મોહ કહેલ છે, તે આ—જ્ઞાનમાં જેના વડે મૂંઝવણ થાય તે જ્ઞાનમોહ વગેરે. 'તિવિહા મૂદ્દા પન્નત્તા, તંનહા—બાળમૂઢે' ત્યાર્િ॰ ત્રણ પ્રકારે મૂઢો કહેલ છે, તે આ—જ્ઞાનમાં જે મૂંઝાય તે જ્ઞાનમૂઢ વગેરે. 1194811 ચારિત્રબુદ્ધો પૂર્વે કહેલા છે, તે ચારિત્રબુદ્ધો પ્રવ્રજ્યા છતે હોય છે, આ કારણથી પ્રવ્રજ્યા પ્રત્યે ભેદથી નિરૂપણ કરતા થકા કહે છે—'તિવિદ્દે' ત્યાદ્િ॰ ચાર સૂત્ર સુગમ છે. પ્રવ્રજન–ગમન, એટલે પાપથી (પાપને છોડીને) ચારિત્રના વ્યાપારોને વિષે જવું તે પ્રવ્રજ્યા. ચરણ-યોગમાં જવું તે મોક્ષગમન જ છે. કારણને વિષે કાર્યનો ઉપચાર હોવાથી મેઘ, તંદુલો (ચોખા)ને વરસે છે ઇત્યાદિની જેમ જાણવું. કહ્યું છે કે— पव्वयणं पव्वज्जा, पावाओ सुद्धचरणजोगेसु । इय मोक्खं पड़ गमणं, कारण कज्जोवयाराओ ।। ७९ ।। [ पञ्चव० ५ इति ] પાપથી શુદ્ધચરણના યોગમાં પ્રવજન ગમન જવું તે પ્રવ્રજ્યા. આ મોક્ષ પ્રતિ ગમન છે. આ કથનમાં કારણમાં કાર્યનો ઉપચાર કરેલ છે. (૭૯) ઇહલોકપ્રતિબદ્ધદીક્ષા ઐહિક ભોજન વગેરે કાર્યના અર્થીઓને હોય છે, પરલોકપ્રતિબદ્ધદીક્ષા આગામી–આવતા જન્મમાં કામ–ભોગ વગેરેની ઇચ્છાવાળાને હોય છે અને દ્વિધા પ્રતિવદ્વા—આ લોક તથા પરલોકપ્રતિબદ્ધ દીક્ષા તે ઉભયાર્થીને હોય છે. પુરતઃ આગલથી બંધાએલાભાવીમાં દીક્ષા લેનાર શિષ્યાદિને વિષે વાંચ્છારૂપ પ્રતિબંધથી, માર્શતઃ—પાછળથી સ્વજન વગેરેમાં સ્નેહ રહેવાથી અને ત્રીજી દ્વિધા–બંને પ્રકારે પણ હોય છે. 'તુયાવર્ત્ત' ત્તિ 'તુર્ વ્યથને’ તુદ ધાતુ પીડાના અર્થમાં છે. આ ધાતુ વચનથી તોયિત્વા-પીડા ઉપજાવીને જે દીક્ષા દેવાય છે તે, જેમ સાગરચંદ્રે મુનિચંદ્ર (રાજા)ના પુત્રને દીધી તેમ. 'પુયાવર્ત્ત' ત્તિ 'ઝુકૢતૌ' પ્લુડ્ ધાતુ ગતિના અર્થમાં છે, આ વચનથી પ્લાયિત્વા—બીજે સ્થળે લઈ જઈને 'આર્યરક્ષિતની માફક જે દીક્ષા દેવાય છે તે. 'વુયાવર્ત્તા' સમ્યક્ પ્રકારે સમજાવીને જેમ શ્રી ગૌતમસ્વામીએ કર્ષક (હાલી)ને દીક્ષા આપી તેમ. અવપાતઃ—સદ્ગુરુની સેવાથી જે દીક્ષા તે અવપાત દીક્ષા, તથા આધ્યાત—ધર્મની દેશના વડે અથવા ગુરુઓએ કહેલ ‘તું દીક્ષા લે’ એ રીતે જે દીક્ષા તે ફલ્ગુરક્ષિતની માફક આખ્યાતપ્રવ્રજ્યા, તેમજ 'સંર્' ત્તિ॰ સંકેતથી જે દીક્ષા લેવી તે મેતાર્ય મુનિ વગેરેની જેમ સંગારપ્રવ્રજ્યા. અથવા જ્યારે તું દીક્ષા લઈશ ત્યારે મારે દીક્ષા લેવી, જો તું દીક્ષા લે તો હું પણ લઉં એવી રીતે જે દીક્ષા લેવી તે સંગારદીક્ષા. (દશરથ રાજાના પિતા અનરણ્ય રાજાની જેમ.) ૧૫૭॥ આવી રીતે વર્ણવેલ પ્રવ્રજ્યાવાળા નિગ્રંથો હોય છે, માટે નિગ્રંથનું સ્વરૂપ બે સૂત્ર વડે કહે છે— તો નિયંતા જોતશોષકત્તા પન્નત્તા, તંનહા–પુત્તા, નિયંટે, સિળાતોળિયા સન્ન-નોસોવત્તા પન્નત્તા, તંનહા-વડશે, પડિસેવાસીને, સાયસીત્તે । સૂ॰ ૧૮ ।। તો સેદ્દભૂમીનો પશત્તાઓ, તંનહા–તોતા, મામા, નહશા। કોલા છમ્માત્તા, માિમાં ૨૩માસા,ની सत्तराइंदिया । तओ थेरभूमीओ पन्नत्ताओ, तंजहा - जाइथेरे, सुतथेरे, परियाय थेरे। सद्विवासजाए समणे णिग्गंथे जातिथेरे, ठाणंगसमवायधरे णं समणे णिग्गंथे सुयथेरे, वीसवासपरियाए णं समणे णिग्गंथे परियायथेरे ॥ સૂ॰ ૧૬૫ (મૂ0) ત્રણ નિગ્રંથોને નોસંજ્ઞાઉપયુક્ત-આહારાદિની ચિંતા રહિત કહેલા છે, તે આ પ્રમાણે—૧ પુલાક–સંયમને સાર રહિત કરનાર, ૨ નિગ્રંથ-ઉપશાંતમોહ અને ક્ષીણમોહ ગુણસ્થાનમાં વર્જાનાર, ૩ સ્નાતક-ઘાતી કર્મમલને ધોવાથી 1. તોષણિપુત્ર આચાર્યે આર્યરક્ષિતને બીજે ગામે લઈ જઈને દીક્ષા આપેલ. આર્યરક્ષિત વગેરેની કથા ‘પરિશિષ્ટ પર્વ'માંથી જાણી લેવી. 207
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy