SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः २ बोधी - प्रव्रज्या स्वरूपम् १५६ - १५७ सूत्रे કારણ કે ત્રણ સ્થાનકનું વર્ણન ચાલે છે. એવી રીતે 'ખાવ' ત્તિ॰ યાવત્ શબ્દથી આ પ્રમાણે જાણવું—'જેવાં ત્રોહિ વુોન્ગા मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वज्जा, केवलं बंभचेरवासमावसेज्जा, एवं संजमेणं संजमेज्जा, संवरेणं, સંવરેન્ગા, આમિળિવોહિયનાાં ૩પ્પાઙેન્ગા' ફત્યાર્િ—કેવલબોધિને પ્રાપ્ત કરે, મુંડિત થઈને ગૃહવાસથી અનગારપણાને સ્વીકારે, કેવલ બ્રહ્મચર્યવાસમાં વસે, કેવલ સંયમમાં યત્ન કરે, કેવલ સંવર વડે સંવૃત્ત થાય, કેવલ મતિજ્ઞાનને ઉત્પન્ન કરે. એવી રીતે (યાવત્ મનઃપર્યવજ્ઞાનને ઉત્પન્ન કરે). જેમ કાળવિશેષમાં ધર્મની પ્રાપ્તિ થાય છે તેમ અવસ્થા વિશેષમાં પણ થાય છે, માટે વયનું નિરૂપણ કરવાથી તેમાં ધર્મવિશેષની પ્રાપ્તિસંબંધી કહે છે—'તઓ વયે' ત્યાવિ॰ સ્પષ્ટ છે. પ્રાણીઓની કાળ વડે કરાયેલી અવસ્થા વય કહેવાય છે. તે વય—બાલત્વ, મધ્યમત્વ અને વૃદ્ધત્વના ભેદથી ત્રણ પ્રકારે છે. વયનું લક્ષણ આ પ્રમાણે જાણવું— आ षोडशाद्भवेद् बालो यावत् क्षीरोन्नवर्त्तकः मध्यमः सप्ततिं यावत् परतो वृद्ध उच्यते ॥७८॥ સોળ વર્ષ સુધી બાલ હોય છે અર્થાત્ જ્યાં સુધી ક્ષીરાત્રમાં વર્તે છે ત્યાં સુધી બાલ કહેવાય છે, મધ્યમ સીત્તેર વર્ષ સુધી અને તેથી ઉપરની વયવાળો વૃદ્ધ કહેવાય છે. (આ વ્યાખ્યા સો વર્ષની આયુને માનીને કરવામાં આવી છે.) (૭૮) શેષ પૂર્વની માફક જાણવું. ૧૫૫ કહેલા ધર્મવિશેષોને જ ત્રણ પ્રકારે, ૧ બોધિ શબ્દના કથનોને, ૨ બોધિવાળાને, ૩ બોધિના વિપક્ષભૂત મોહને જ અને ૪ મોહવાળાને ચાર સૂત્રો વડે કહે છે— તિવિષ્ણુ નોધી પન્નત્તા, તંનફા-ગાળવોધી, વૃંતળવોથી, ત્તવોધી શ્, તિવિહા બુદ્ધા પણત્તા,. તનહાગાળનુજા, રસાવુન્દ્રા, પત્તિબુદ્ધા ર।વ મોઢે રૂ મૂ। ૪ ।। સૂ॰ ૧૬ II तिविहा पव्वज्जा पन्नत्ता, तंजहा - इहलोगपडिबद्धा, परलोगपडिबद्धा, दुहओ पडिबद्धा । तिविहा पव्वज्जा પત્તા, તંનહીં-પુરતો પહિવના, માતો પત્તિવના, વુદ્દો પહિવદ્ધાાતિવિજ્ઞા પળ્વન્ના પન્નત્તા, તનહા– તુયાવત્તા, પુયાવત્તા, યુગાવર્ત્તા તિવિહા પબખ્ખા પદ્મત્તા, તંના–૪[ઓ]વાતપવના, અભ્રાતપબ્બખ્ખા, संगारपव्वज्जा ।। सू० १५७ ।। (મૂળ) ત્રણ પ્રકારે બોધિ (યથાર્થ બોધ) કહેલી છે, તે આ પ્રમાણે—જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિ, ત્રણ પ્રકારે બુદ્ધ–તત્ત્વના જાણનાર કહેલ છે, તે આ પ્રમાણે—જ્ઞાન વડે બુદ્ધ, દર્શન વડે બુદ્ધ અને ચારિત્ર વડે બુદ્ધ. એવી રીતે ત્રણ પ્રકારે મોહ કહેલ છે—જ્ઞાન મોહ, દર્શન મોહ અને ચારિત્ર મોહ. એમ જ ત્રણ પ્રકારે જ્ઞાન મૂઢ (દર્શનમૂઢ, ચારિત્રમૂઢ) વગેરે જાણવા. ૧૫૬॥ ત્રણ પ્રકારે પ્રવ્રજ્યા (દીક્ષા) કહેલી છે, તે આ પ્રમાણે—આ લોકના સુખની ઇચ્છાએ પ્રતિબદ્ધ–બંધાયેલ તે ઈહલોકપ્રતિબદ્ધદીક્ષા, પરલોકના સુખની ઇચ્છાએ બંધાયેલ તે પરલોકપ્રતિબદ્ધપ્રવ્રજ્યા અને ઉભય લોકના સુખની ઇચ્છાએ પ્રતિબદ્ધ તે ઉભયલોકપ્રતિબદ્ધદીક્ષા. વળી ત્રણ પ્રકારે પ્રવ્રજ્યા કહેલી છે, તે આ પ્રમાણે—આગળથી ભવિષ્યમાં થનારા શિષ્યાદિની આશાથી બંધાયેલ તે અગ્રતઃપ્રતિબદ્ધદીક્ષા, માર્ગતઃ–પાછળથી સ્વજનાદિને વિષે સ્નેહનો ઉચ્છેદ થવાથી પૃષ્ટતઃ પ્રતિબદ્ધદીક્ષા અને ઉભયથી પ્રતિબદ્ધદીક્ષા. વળી ત્રણ પ્રકારે દીક્ષા કહેલી છે, તે આ પ્રમાણે—પીડા ઉપજાવીને, બીજે સ્થળે લઈ જઈને અને બોધ આપીને. અથવા ત્રણ પ્રકારે પ્રવ્રજ્યા કહેલી છે, તે આ પ્રમાણે— સદ્ગુરુઓની સેવાથી જે દીક્ષા તે અવપાતપ્રવ્રજ્યા, ગુરુના ઉપદેશ વડે જે લીધેલ દીક્ષા તે આખ્યાતપ્રવ્રજ્યા અને સંકેત વડે લીધેલ દીક્ષા તે સંગારપ્રવ્રજ્યા. ૧૫૭॥ (ટી0) 'તિવિદે' ત્યાવિ॰ સુબોધ છે. બોધિ એટલે સમ્યગ્બોધ, અહિં ચારિત્ર, બોધિનું ફળ હોવાથી બોધિ કહેવાય છે, અથવા 206
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy