________________
३ स्थानकाध्ययने उद्देशः २ कालविशेष निरूपणम् १५५ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ પિશાચના રાજાને ત્રણ પરિષદ્ કહેલી છે, તે આ પ્રમાણે—અત્યંતર પરિષદ્ ઈશા, મધ્યમ ત્રુટિતા અને બાહ્ય દૃઢરથા. એવી રીતે સામાનિકની અને 1અગ્રમહિષીની પણ ત્રણ પરિષદ્ જાણવી. એવી રીતે યાવત્ ગીતતિ અને ગીતયશા (ગાંધર્વેદ્ર)ની ત્રણ પરિષદ્ જાણવી. ચંદ્ર નામના જ્યોતિષ્કના ઇંદ્ર, જ્યોતિષ્કના રાજાને ત્રણ પરિષદ્ કહેલી છે, તે આ—તુંબા, ત્રુટિતા અને પર્યા. એમ જ સામાનિક અને અગ્રમહિષીની ત્રણ પરિષદ્ જાણવી. એમજ સૂર્ય સંબંધી પણ જાણવી. શક્ર નામના દેવેંદ્ર, દેવના રાજાને ત્રણ પરિષદ્ કહેલી છે, તે આ પ્રમાણે—સમિતા, ચંડા અને જાયા. જેમ ચમરને કહેલ છે તેમ યાવત્ અગ્રમહિષી પર્યંતને પણ ત્રણ પરિષદ્ જાણવી. એવી રીતે યાવત્ 2અચ્યુતેંદ્ર અને લોકપાલ પર્યંતને પણ ત્રણ પરિષદ્ જાણવી (૨). ૧૫૪॥
(ટી૦) સુગમ છે, વિશેષ કહે છે કે—'ગસુરિંવસ્સ' ઇત્યાદિકમાં ઐશ્વર્યના યોગથી ઇંદ્ર અને રાજા તો કાંતિ–તેજથી હોય છે. પરિષદ્–પરિવાર, તે નજીકના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં જે પરિવારરૂપ દેવો અને દેવીઓ અતિ મોટાઈપણાથી પ્રયોજનોને વિષે પણ બોલાવ્યા થકા જ આવે છે તે અત્યંતર પરિષદ્, જે દેવ-દેવીઓ પ્રયોજન છતે બોલાવ્યા થકા અથવા ન બોલાવ્યા થકા આવે છે તે મધ્યમ પરિષદ્ અને જે ન બોલાવ્યા થકા પણ આવે છે તે બાહ્ય પરિષદ્ જાણવી. તથા જે પરિષદ્ની સાથે પ્રયોજન (કાર્ય) પ્રત્યે મંત્રણા કરે છે તે પહેલી પરિષદ્, જે પરિષદ્દ્ની સાથે થયી ગયેલ મંત્રણા સંબંધી વિચા૨ ક૨ે છે તે બીજી પરિષદ્ અને જે ચોક્કસ નિર્ણય કરેલ છે તે હકીકત પરિષદ્ની સામે જાહેર કરે તે ત્રીજી પરિષદ્. II૧૫૪]
હમણા જ પરિષદ્-પરિવારમાં ઉત્પન્ન થયેલ દેવો કહ્યા. દેવપણું તો કઇક પણ ધર્મથી પ્રાપ્ત થાય છે અને ધર્મની પ્રાપ્તિ કાળવિશેષમાં થાય છે, તેથી કાળવિશેષના નિરૂપણપૂર્વક કાળવિશેષમાં જ ધર્મવિશેષોની પ્રાપ્તિ સંબંધી કહે છે— तओ जामा पन्नत्ता, तंजहा- पढमे जामे, मज्झिमे जामे, पच्छिमे जामे । तिहिं जामेहिं आता केवलिपन्नत्तं धम्मं लभेज्ज सवणताते, तंजहा- पढमे जामे, मज्झिमे जामे, पच्छिमे जामे, एवं जाव केवलनाणं उप्पाडेज्जा पढमे નામે, મન્સિને નામે, પચ્છિને નામે ।
तओ वया पन्नत्ता, तंजहा - पढमे वए, मज्झिमे वए, पच्छिमे वए। तिहिं वएहिं आया केवलिपन्नत्तं धम्मं लभेज्ज सवणयाए, तंजहा- पढमे वए, मज्झिमे वए, पच्छिमे वए, एसो चेव गमो णेयव्वो, जाव केवलनाणं ति ॥ સૂ॰ ૧૧ ॥
(મૂળ) ત્રણ યામ (પ્રહર) કહેલ છે, તે આ પ્રમાણે—પહેલો પ્રહર, મધ્યમ પ્રહર અને પશ્ચિમ (પાછલો) પ્રહર. પ્રહર વડે આત્મા, શ્રવણપણાએ (સાંભળવાપણાએ) કેવલીકથિત ધર્મને પામે પ્રથમ પ્રહરમાં, મધ્યમ પ્રહરમાં અને પશ્ચિમ પ્રહરમાં, એવી રીતે યાવત્ કેવલજ્ઞાનને ઉત્પન્ન કરે. પ્રથમ પ્રહરમાં, મધ્યમ પ્રહરમાં અને પશ્ચિમ પ્રહરમાં. ત્રણ વયઅવસ્થા કહી છે, તે આ પ્રમાણે—પ્રથમ વય (બાલ્યાવસ્થા), મધ્યમ વય (યૌવનાવસ્થા) અને પશ્ચિમ વય (વૃદ્ધાવસ્થા). ત્રણ વય વડે આત્મા, સાંભળવાથી કેવલીભાષિત ધર્મને પામે, તે આ પ્રમાણે—પ્રથમ અવસ્થામાં, મધ્યમ અવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં. આ આલાપક જાણવો, યાવત્ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે. ૧૫૫
(ટી૦) 'તઓ નામે' ત્યા॰િ સ્પષ્ટ છે. ફક્ત રાત્રિનો અને દિવસનો ચોથો ભાગ તે યામ (પ્રહર) કહેવાય, જો કે તે પ્રસિદ્ધ છે તો પણ અહિં ત્રણ ભાગ જ વિવક્ષિત છે. પૂર્વ રાત્રિ, મધ્યમ રાત્રિ અને પાછલી રાત્રિને આશ્રયીને રાત્રિ ‘ત્રિયામા’ કહેવાય છે. એવી જ રીતે દિવસના પણ ત્રણ ભાગ જાણવા, અથવા ચોથો ભાગ તે પ્રહર, પરંતુ અહિં ચોથા ભાગની વિવક્ષા નથી કરી
1. વ્યંતર અને જ્યોતિષ્પનિકાયમાં ત્રાયત્રિંશક અને લોકપાલ નથી.
2. ત્રીજા દેવલોકથી બારમા દેવલોકમાં અગ્રમહિષી નથી માટે બન્ને સ્થલે સૂત્રમાં તે જણાવેલ નથી.
3. તીર્થંકરોની દેશના પ્રથમ અને પશ્ચિમ પ્રહરમાં હોય છે અને બીજા પ્રહરમાં ગણધરોની દેશના હોય છે. એ અપેક્ષાએ પણ ધર્મ સાંભળવાની વાતની સંભાવના છે.
205