________________
३ स्थानकाध्ययने उद्देशः २ लोकस्य त्रिविधत्वम् १५३ सूत्रम्
स्थानाङ्गसूत्र सानुवाद भाग १
अथ तृतीयस्थानकाध्ययने द्वितीयः उद्देशः
પહેલો ઉદ્દેશક કહ્યો, બીજો ઉદ્દેશક કહેવાય છે. બીજા ઉદ્દેશકનો આ સંબંધ છે, પહેલા ઉદ્દેશકમાં પ્રાયઃ જીવનાં ધર્મો કહ્યા, અહિં પણ પ્રાયઃ તે જ કહેવાશે. આવા પ્રકારના સંબંધને અનુલક્ષીને પહેલું સૂત્ર આ પ્રમાણે છે— તિવિષે જોને પશત્તે, તંનહા-ગામોને વાતોને, વ્વતોને તિવિષે તોને પત્તે, તંનહાવાળોને, લાલોને, પત્તિતોને તિવિષે તોને પશત્તે, તંના-કોળે, બોલોને, ત્તિરિયલોને । સૂ॰ ૧૩ ।। (મૂળ) ત્રણ પ્રકારે લોક કહેલ છે, તે આ પ્રમાણે—નામલોક, સ્થાપનાલોક અને દ્રવ્યલોક. ત્રણ પ્રકારે લોક કહેલ છે, તે આ પ્રમાણે–જ્ઞાનલોક, દર્શનલોક અને ચારિત્રલોક. ત્રણ પ્રકારે લોક કહેલ છે, તે આ પ્રમાણે—ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્થંગ્(તિા) લોક. ૧૫૩॥
(ટી0) 'તિવિદ્દે' ત્યાદ્રિ આ સૂત્રનો સંબંધ આ પ્રમાણે જાણવો. આગલા સૂત્ર વડે ચંદ્રપ્રજ્ઞપ્તિ વગેરે સૂત્રનું સ્વરૂપ કહ્યું, અહિં તો ચંદ્ર વગેરે પદાર્થોનાં જ આધારભૂત લોકનું સ્વરૂપ કહેવાય છે. આ સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે જાણવી. કેવલજ્ઞાનરૂપ પ્રકાશ વડે જે જોવાય છે તે લોક. નામલોક અને સ્થાપનાલોક ઇંદ્ર સૂત્રની માફક છે. દ્રવ્યલોક પણ તેમજ છે, વિશેષ એ કેજ્ઞશરી૨ અને ભવ્યશ૨ી૨થી ભિન્ન જે (તવ્યતિરિક્ત) દ્રવ્યલોક તે ધર્માસ્તિકાય વગે૨ે જીવ અજીવરૂપ, રૂપી અને અરૂપી, સપ્રદેશ અને અપ્રદેશસ્વરૂપ દ્રવ્યો જ, અને દ્રવ્યો એ જ લોક તે દ્રવ્યલોક જાણવો. આ સમાસ (કર્મધારય) છે. કહ્યું છે કે— जीवंमजीवे रूवमरूवी सपएस अप्पएसे य । जाणाहि दव्वलोयं, णिच्चमणिच्चं च जं दव्वं ॥ ७३।।[आव. भा० १९५ ति]
જીવ–અજીવ, રૂપી–અરૂપી, સપ્રદેશી-અપ્રદેશી, નિત્ય અનિત્ય-જે દ્રવ્ય છે તે (હે શિષ્ય!) તું દ્રવ્યલોક જાણ. (૭૩) ત્રણ પ્રકારે ભાવલોક સંબંધી કહે છે—'તિવિદ્દે' ત્યાવિ॰ ભાવલોક બે પ્રકા૨ે છે, આગમથી અને નોઆગમથી. તેમાં આગમથી લોકના પર્યાલોચન (ચિંતન)માં ઉપયોગ, અથવા તે ઉપયોગથી અનન્ય (અભિન્ન)પણાથી પુરુષ-જીવ, અને નોઆગમથી તો પ્રસ્તુત સૂત્રમાં કહેલ જ્ઞાન વગેરે ભાવલોક છે, કારણ કે ‘નો’ શબ્દનું મિશ્રવચનપણું હોય છે. આ જ્ઞાનાદિ ત્રણ, દરેક અન્યોન્ય સાપેક્ષ છે, માત્ર આગમ જ નહિં અને અનાગમ પણ નહિં. તેમાં જ્ઞાન એવો જે લોક તે જ્ઞાનલોક, જ્ઞાનલોકની ભાવલોકતા, ક્ષાયિક અને ક્ષાયોપશમિકભાવરૂપપણાથી છે અને ક્ષાયિકાદિ ભાવોને ભાવલોક વડે કહેલ હોવાથી કહ્યું છે કે—
ओदइय उवंसमिए य, खइए य तहा खओवसमिए य । परिणाम सन्निवाए य छव्विहो भावलोगो उ ।। ७४ ।। [આવ.મા૦ ૨૦૦ તિ] ૧ ઔદયિક, ૨ ઔપશમિક, ૩ ક્ષાયિક, ૪ ક્ષાયોપશમિક, પ પાણિામિક અને ૬ સન્નિપાતિક એ છ પ્રકારે ભાવલોક છે. (૪)
એવી રીતે દર્શનલોક અને ચારિત્રલોક પણ જાણવા. હવે ત્રણ પ્રકારે ક્ષેત્રલોક સંબંધી કહે છે—'તિવિષે' ત્યાદ્રિ અહિં બહુ સમભૂમિભાગરૂપ રત્નપ્રભાના ભાગને વિષે મેરુના મધ્યમાં આઠ રુચકપ્રદેશરૂપ ‘રુચક’ હોય છે, તે રુચક ગાયના સ્તનને આકા૨ે છે. તેના ઉપરના પ્રતરના ઉપર નવસો યોજન પર્યંત જ્યાં સુધી જ્યોતિપ્ચક્રનું ઉ૫૨નું તલ (ભાગ) છે ત્યાં સુધી તિર્થંગ્લોક છે, તેથી આગળ ઊર્ધ્વભાગમાં રહેવાથી ઊર્ધ્વલોક કંઈક ન્યૂન સાત રાજપ્રમાણ છે. રુચકના નીચેના પ્રતરની નીચે જ્યાં સુધી નવસો યોજન છે ત્યાં સુધી તિર્યક્ લોક છે, તેથી આગળ નીચેના ભાગમાં રહેવાથી કંઈક અધિક સાત રાજપ્રમાણ
203