SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः १ उत्पत्तिस्वरूपम् विमानवर्णनम् तिस्रः प्रज्ञप्त्यश्च १५० - १५२ सूत्राणि ક૨વી અર્થાત્ ત્રીજા ચોથા દેવલોકને વિષે કૃષ્ણ વર્ણ સિવાય ચાર વર્ણ, પાંચમા છટ્ઠા દેવલોકને વિષે કૃષ્ણ અને નીલ વર્ણ સિવાય ત્રણ વર્ણ, સાતમા આઠમા દેવલોકને વિષે પીત અને શુક્લ એ બે વર્ણ છે, તે પછી નવમા દેવલોકથી યાવત્ સર્વાર્થસિદ્ધ પર્યંત એક શુક્લ વર્ણવાળા વિમાનો છે. (૭૨) હમણાં જ વિમાનો કહ્યાં તે દેવના શરીર વડે આશ્રિત-આશ્રયવાળા છે, તેથી દેવના શરીરના માનનું ત્રણ સ્થાનકમાં અવતાર કરીને કહે છે—'આયે' ત્યાદ્રિ ભવ–જ્યાં સુધી જન્મ ધારણ કરાય છે, અથવા ભવ-દેવગતિ રૂપને ધારણ કરે છે એ ભવધારણીય, તે ભવધારણીય એવા શરીરો તે ભવધારણીય શરીરો. આ કથન ઉત્તરવૈક્રિયના નિષેધ માટે છે, કારણ કે ઉત્તરવૈક્રિય શરીરનું લાખ યોજનનું પ્રમાણ છે. 'ડોસેળ' ત્તિ ઉત્કૃષ્ટ વડે, પરંતુ જઘન્યપણાદિ વડે નહિં. જઘન્ય વડે ભવધારણીય શરીર ઉત્પત્તિના સમયમાં અંગુલના અસંખ્યાતમા ભાગ માત્રપણાએ હોય છે. શેષ–બીજું સુગમ છે. હમણાં જ દેવના શરીર અને આશ્રય-વિમાન સંબંધી વક્તવ્યતા કહી. તે દેવ સંબંધી વક્તવ્યતા વડે (વર્ણન વડે) ગુંથાયેલા પ્રાયઃ ત્રણ ગ્રંથો છે, તેથી તેના સ્વરૂપનું કથન કરવા માટે કહે છે—'તઓ' ત્યાદ્રિ જાત્તેન—હેતુભૂત પહેલી અને છેલ્લી પોરિસીમાં ભણાય તે. આ માટે ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ જણાવી પરંતુ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી) અને જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ દર્શાવી નહિં કારણ કે અહીં ત્રણ સ્થાનકનું વર્ણન માત્ર આપવામાં આવેલ છે, (એ બન્ને પ્રજ્ઞપ્તિઓ પણ પહેલી અને છેલ્લી પોરિસીમાં જ ભણાય છે.) બાકીનું સ્પષ્ટ છે. ૧૫૦-૧૫૨ II ત્રીજા સ્થાનકના પ્રથમ ઉદ્દેશાની ટીકાનો અનુવાદ સમાપ્ત II પુદ્ગલાનંદી ભવાભિનંદી - ભવાભિનંદી – સંસારમાં ગાઢ તીવ્ર આસક્તિવાન આત્મા. પુદ્ગલાનંદી – સંસારમાં આસક્તિવાન આત્મા. ♦ સંસારમાં રહીને બન્ને પ્રકારના આત્માઓ સંસારની ક્રિયાઓ સમાનરૂપે કરે છે, પરંતુ વિચારોમાં મોટું અંતર હોય છે. ભવાભિનંદીની પાપક્રિયા અનુમોદના પૂર્વક હશે. આ આત્મા ત્રણ કરણ, ત્રણ યોગથી પાપક્રિયામાં ઓતપ્રોત રહેશે. ખાસ કરીને કર્મબંધ ગાઢ, તીવ્ર, રસયુક્ત, અત્યંત કડવા રસયુક્ત, દીર્ઘ સ્થિતિથી યુક્ત તથા નિકાચિત હોય છે. ભવાભિનંદી પ્રથમ ગુણસ્થાનમાં જ રહે છે. કદાચ પુણ્યકાર્યો કરે તો સંસારસુખની તીવ્ર અભિલાષા પૂર્વક હોવાથી સ્વર્ગાદિ સુખ આપીને ફરીથી પરિભ્રમણ થવાથી એ પુણ્યક્રિયાઓથી વાસ્તવિક લાભ મળતો નથી. અભવી તો હંમેશા ભવાભિનંદી હોય છે. ભવ્યાત્મામાં જે આત્માનો સંસાર અર્ધપુદ્ગલ પરાવર્તકાળથી વધારે સંસાર પરિભ્રમણ બાકી હોય છે તે આત્માઓ ભવાભિનંદી છે. પુદ્ગલાનંદીની પાપક્રિયા નિંદા તેમજ ગર્ભાથી યુક્ત હશે. તે હંમેશા પાપક્રિયા તેમજ પાપકર્મને ખરાબ માને છે. ખાસ કરીને વચન યોગથી પણ પાપક્રિયાથી બચતો રહે છે. પુદ્દગલાનંદીના કર્મબંધ અતિશિથિલ, અલ્પ રસસ્થિતિવાળા હોય છે. એમાં તીવ્રતા હોતી નથી. કડવાશ પણ અલ્પ તેમજ સ્પષ્ટ બંધ, બદ્ધથી અધિક નહીં. નિંદા તેમજ ગહને કારણે નિધત્ત નિકાચિત બંધ થતો નથી. આ ભાવ છટ્ઠા ગુણસ્થાનક સુધી જ રહી શકે છે. ભવસ્થિતિની અપરિપક્વતા, અપ્રત્યાખ્યાન વગેરે કષાયોનો ઉદયભાવ, ભૂતકાળમાં કરેલ નિયાણા વગેરેને કારણે તેમજ જરૂરી ધર્મપોષક સહકારી કારણની અપ્રાપ્તિ થવાથી પુદ્ગલાનંદી આત્માઓ પાપ કરે છે. દૃષ્ટાંત તરીકે કૃષ્ણ મહારાજા, શ્રેણિક મહારાજા, સત્યકી વિદ્યાધર વગેરે. – જયાનંદ 202
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy