SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः १ नारकस्वरूपम् त्रयाणां समानत्वञ्च १४७ - १४९ सूत्राणि श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ નરકપૃથ્વીના અધિકારથી નરક અને નારકના વિશેષ સ્વરૂપનું નિરૂપણ કરવા માટે ત્રણ સૂત્રો કહે છે— पंचमाए णं धूमप्प भार पुढवीए तिन्नि निरयावाससयसहस्सा पन्नत्ता । तिसु णं पुढवीसु णेरइयाणं उसिणवेयणा पन्नत्ता, तंजहा - पढमाए, दोच्चाए, तच्चाए । तिसु णं पुढवीसु णेरइया उसिणं वेयणं पच्चणुभवमाणा विहरंति૧માર, રોજ્ગ્યા, તત્ત્વાર્ // સૂ॰ ૨૪૭ || ओलोगे समासपक्खिं सपडिदिसं पन्नत्ता, तंजहा - अप्पइट्ठाणे नरए, जंबुद्दीवे दीवे, सव्वट्टसिद्धे महाविमाणे । तओ लोगे समा सपक्खिं सपडिदिसिं पन्नत्ता, तंजहा - सीमंतर [णं] णरए, समयक्खेत्ते, ईसीपब्मारा पुढवी ॥ સૂ॰ ૨૪૮ ॥ तओ समुद्दा पगईए उदगरसेणं पन्नत्ता, तंजहा - कालोदे, पुक्खरोदे, सयंभुरमणे ३ । तओ समुद्दा बहुमच्छकच्छभाइण्णा પદ્મત્તા, તંનહા-તવળે, ાનોકે, સયંમુમત્તે । સૂ૦ ૨૪૬ II (મૂ0) પાંચમી ધૂમપ્રભા પૃથ્વીને વિષે ત્રણ લાખ નરકાવાસો કહેલા છે. ત્રણ પૃથ્વીઓને વિષે નારકોને ઉષ્ણ વેદના કહેલી છે, તે આ પ્રમાણે—પહેલીમાં, બીજીમાં અને ત્રીજી ભૂમિમાં (ત્રણ પૃથ્વીઓમાં) નારકો ઉષ્ણ વેદના અનુભવતા થકા વિચરે છે–રહે છે, તે આ પ્રમાણે—પહેલીમાં, બીજીમાં અને ત્રીજી ભૂમિમાં... ।।૧૪૭।। લોકને વિષે ત્રણ વસ્તુ લાખ યોજનપ્રમાણથી સમાન છે તેમજ દક્ષિણાદિ પડખા વડે સમાન અને દિશા–વિદિશા વડે પણ સમાન કહેલ છે, તે આ પ્રમાણે—અપ્રતિષ્ઠાન નામનો નરકાવાસ, જંબુદ્રીપ નામનો દ્વીપ અને સર્વાર્થસિદ્ધ મહાવિમાન. લોકનેવિષે ત્રણ વસ્તુ પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણથી સમાન છે, તથા દક્ષિણાદિ પડખા વડે અને દિશા–વિદિશા વડે સરખા છે અર્થાત્ સમશ્રેણિએ છે, તે આ પ્રમાણે—સીમંતક નામનો નરકાવાસ, સમયક્ષેત્ર-મનુષ્ય ક્ષેત્ર અને ઈષાભારા પૃથ્વી. ૧૪૮॥ ત્રણ સમુદ્રો સ્વભાવે ઉદકરસ વડે યુક્ત કહેલા છે, તે આ પ્રમાણે—કાલોદ, પુષ્કરોદ અને સ્વયંભૂરમણ. વળી ત્રણ સમુદ્રો ઘણા મચ્છ અને કચ્છપ (કાચબા)ના પાત્રસ્થાનો કહેલા છે, તે આ પ્રમાણે—લવણ, કાલોદ અને સ્વયંભૂરમણ. ||૧૪૯૫ (ટી૦) 'પંચમા' હત્યાર્િ॰ સુગમ છે, માત્ર 'રસિળવેયા' ત્તિ॰ ત્રણ ભૂમિના ઉષ્ણ સ્વભાવથી ત્રણ ભૂમિને વિષે નારકો ઉષ્ણ વેદનાવાળા છે અર્થાત્ નૈરયિકો ઉષ્ણ વેદના પ્રત્યે અનુભવ કરતા થકા વિચરે છે–રહે છે. તેઓને તે વેદનાનું નિરંતરપણું દેખાડવા માટે એમ કહેલ છે. ૧૪૭॥ નરકપૃથ્વીઓના ક્ષેત્રસ્વભાવોનું પૂર્વે સ્વરૂપ કહ્યું છે, હવે ક્ષેત્રના અધિકારથી ત્રણ સ્થાનમાં અવતા૨વાળા ક્ષેત્રવિશેષના સ્વરૂપનું નિરૂપણ ક૨વા માટે ચાર સૂત્ર પ્રત્યે કહે છે કે—'તો' ત્યાર્િ॰ લોકમાં ત્રણ વસ્તુ લાખ યોજનના પ્રમાણપણાથી તુલ્ય છે, કેવલ પ્રમાણથી જ અહિં સમપણું નથી પરંતુ ઉત્તર અને દક્ષિણપણાથી વ્યવસ્થિતપણાએ સમશ્રેણિત્વ વડે પણ સમાન છે. આ કારણથી કહે છે—'સપસ્વિ' મિત્યાદ્રિ દક્ષિણ (જમણા) તથા વામ (ડાબા) વગેરે પડખાઓનું સમતા–સમાનપણું છે. (અહિં અવ્યયીભાવ સમાસ વડે ‘સપક્ષ’ શબ્દ થયેલ છે, તેથી સમપડખાપણાએ સમાન છે એવો અર્થ છે, કાર તો પ્રાકૃતના નિયમથી છે.) વળી પ્રતિદિશા–વિદિશાના સરખાપણા વડે સપ્રતિદિક્‚ તે વડે–સમાન દિશાપણાએ એવો અર્થ છે. સાતમી નરકમાં પાંચ નરકાવાસની વચ્ચમાં અપ્રતિષ્ઠાન નામનો નકાવાસ છે, જંબુદ્વીપ બધા દ્વીપની મધ્યમાં છે, સર્વાર્થસિદ્ધ વિમાન પાંચ અનુત્તરવિમાનોની મધ્યમાં છે. સીમંતક નામનો નરકાવાસ, પહેલી નરકમાં પહેલા પાથડાને વિષે નરકેંદ્રક પીસ્તાલીશ લાખ યોજનપ્રમાણવાળો છે. સમય–કાલની સત્તા વડે ઓળખાતું જે ક્ષેત્ર તે સમયક્ષેત્ર–મનુષ્યલોક એ અર્થ છે. ઈષત્–અલ્પ, આઠ યોજનનું જાડાઈપણું અને પીસ્તાલીશ લાખ યોજનની લંબાઈ–પહોળાઈથી પ્રાગ્ભાર–પુદ્ગલોનો સમૂહ છે જેણીનો તે 199
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy