SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः १ आयुस्वरूपम् १४४-१४६ सूत्राणि ભગવાનૂ-ઐશ્વર્યયુક્ત સમજવો. કહ્યું છે કેअहवा भंतोऽपेओ, जं मिच्छत्ताइबंधहेऊओ । अहवेसरियाइ भगो, विज्जइ सो तेण भगवंतो ।।६४।। [વિરોધાવસ્થ૦ રૂ૪૪૮ ]િ. અથવા પ્રમ ધાતુ અનવસ્થાન અર્થમાં છે. તેનો પ્રાન્ત શબ્દ બને છે. એટલે જે મિથ્યાત્વાદિ બંધ-હેતથી રહિત છે તે બ્રાન્ત કહેવાય છે, અથવા ઐશ્વર્યાદિ છ પ્રકારનો ‘ભગ’ જેને છે તે ભગવાન્ ગુરુ છે. (૬૪) ભવ-સંસારના અથવા ભય–ત્રાસના અંતનો હેતુ હોવાથી ભવાંત અથવા ભયાંત. કહ્યું છે કેनेरइयाइभवस्स व, अंतो जं तेण सो भवंतो त्ति । अहवा भयस्स अंतो, होइ भवं(य)तो भयं तासो ॥६५॥ [विशेषावश्यक० ३४४९ त्ति] અથવા નરકાદિ ભવના અંતનો હેતુ છે. તેથી તે ભવાન્ત કહેવાય છે. અથવા ભયનો અંત કરનાર હોય તે ભયાંત કહેવાય. ભય એટલે ત્રાસ (તેનો નાશ કરનાર). (૬૫) અહીં ભદન્ત વગેરે શબ્દોના સ્થાનમાં પ્રાકૃતપણાથી આમંત્રણ (સંબોધન)ના અર્થ માટે તે’ એ પદ સાધવા યોગ્ય છે. આ કારણથી 'તે'ત્તિ શ્રી મહાવીર પ્રભુને આમંત્રણ કરતા થકા શ્રી ગૌતમ વગેરે બોલ્યા. શાલી-કલમ વગેરેના શાલીચોખા, આ વિશેષ છે. શેષ વ્રીહિ-ચોખાઓનું સામાન્ય-સાધારણપણું છે. એવયેવા–ચવ વિશેષો. તેવામ્' કહેવા વડે પ્રત્યક્ષ ધાન્યોને કોષ્ઠ (માટી વગેરેના કોઠાર)માં નાખવા વડે સારી રીતે જે રક્ષણ કરાયેલા તે કોઠાર-ગમો તેઓને એવી રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે-પલ્ય-વાંસની સાદરી વગેરેથી કરાયેલ ધાન્યનો આધાર વિશેષ (પાલો), મંચ-થાંભલાઓના ઉપર સ્થાપિત વાંસના કટક વગેરે વડે ધાન્યનો આધારવિશેષ (માંચો), લોકપ્રસિદ્ધ છે. માલક-ઘરના ઉપરનો ભાગ-(માળ) જાણવો. કહ્યું છે કે-અવqો દોડ઼ મેવો, માતો ય પરોવર દોડ઼ કુડ્ય-ભીંત રહિત જે હોય તે માંચો કહેવાય છે અને ઘર ઉપર હોય તે માળ કહેવાય છે. મોતિરા' ત્તિ દરવાજાના ભાગમાં ઢાંકણા સહિત છાણ વગેરે વડે લીંપાયેલા 'ત્તિના” ત્તિ ચોતરફથી લીંપાયેલા, રાંછિયા' તિરેખાદિ વડે લાંચ્છિત (નિશાની) કરેલા, ‘મુદ્દિદ્યાન' તિ માટી વગેરેથી મુદ્રિત કરેલા, 'દિયા' તિ. ઢાંકેલો, 'વતિ” તિ, કેટલા કાળ સુધી જેમાં અંકુર ઉત્પન્ન થાય છે તે યોનિ રહે છે? ત્યારપછી યોનિ પ્રજ્ઞાતિ–પ્લાન થાય છે અર્થાત્ વર્ણાદિ વડે હીન થાય છે, પ્રવિધ્વસ્થત–નાશની સન્મુખ થાય છે. વિધ્વસ્થતેક્ષય પામે છે. એવી રીતે તે બીજ અબીજસ્વરૂપ થાય છે–વાવેલું બીજ પણ અંકુરને ઉત્પન્ન કરતું નથી. એટલે શું થાય છે? (ત્રણ વર્ષ થાય) ત્યારબાદ યોનિનો વ્યવચ્છેદ થાય એમ મેં તથા બીજા કેવલીઓએ પણ કહ્યું છે. બીજી હકીકત સ્પષ્ટ છે. ll૧૪૫l. સ્થિતિના અધિકારથી જ આ બીજા બે સૂત્રને કહે છે–‘વોન્ટે' ત્ય૦િ પ્રગટ છે. વિશેષ એ કે—બીજી શર્કરાપભામાં, અને એ રીતે બધે જોડવું. સર્વ પૃથ્વીમાં આ સ્થિતિ છે. सागरमेगं तिय सत्त, दस य सत्तरस तह य बावीसा । तेत्तीसं जाव ठिई, सत्तसु पुढवीसु उक्कोसा ॥६६॥ जा पढमाए जेट्टा, सा बिइयाए कणिट्ठिया भणिया । तरतमजोगो एसो, दस वाससहस्स रयणाए ।।६७।। - વૃિદë૦ ૨૨૩-૨૪ તિ). પહેલી નરકમાં એક સાગર, બીજીમાં ત્રણ, ત્રીજીમાં સાત, ચોથીમાં દશ, પાંચમીમાં સત્તર, છઠ્ઠીમાં બાવીશ અને સાતમીમાં તેત્રીશ સાગરોપમ–આ પ્રમાણે સાત નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ છે. જે ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રથમ નરકભૂમિમાં છે તે બીજી ભૂમિમાં જઘન્ય સ્થિતિ કહેલી છે. આ પ્રમાણે તરતમજોગ છે, અર્થાત્ પહેલી ભૂમિમાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે તે બીજીમાં જઘન્ય જાણવી એમ યાવત્ છઠ્ઠી ભૂમિમાં બાવીશ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે સાતમીમાં જઘન્ય જાણવી. પ્રથમ નરક રત્નપ્રભામાં જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. (૬૬-૬૭) I૧૪૬/ 198
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy