________________
३ स्थानकाध्ययने उद्देशः १ प्रणिधानयोनिस्वरूपम् १३९ - १४० सूत्रे
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ આ ત્રણ યોનાિ એકેંદ્રિયોને, સંમૂમિપંચદ્રિયતિર્યંચયોનિકોને અને સંમૂમિ મનુષ્યોને હોય છે (૧). ત્રણ પ્રકારે યોનિ કહેલી છે, તે આ પ્રમાણે—સંવૃત્તા (ઢાંકેલી) યોનિ, વિવૃત્તા (ખુલ્લી) યોનિ અને સંવૃત્તવિવૃત્તા યોનિ. વળી ત્રણ પ્રકારે યોનિ કહેલ છે, તે આ પ્રમાણે—કૂર્માંન્નતા (કાચબાની માફક ઉપડતી) યોનિ, શંખાવર્ઝા (શંખની જેમ વમળવાળી) યોનિ અને વંશીપત્રા (વાંસના પાંદડા જેવી) યોનિ. કૂર્મોન્નત્તા યોનિ ઉત્તમ પુરુષની માતાઓને હોય છે. કૂર્મોન્નતા યોનિને વિષે ત્રણ પ્રકારના પુરુષો ગર્ભમાં ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે—અરિહંત, ચક્રવર્તીઓ અને બલદેવ–વાસુદેવો. શંખાવર્ત્ત યોનિ ચક્રવર્તીના સ્ત્રીરત્નને હોય છે. શંખાવર્ત્ત યોનિને વિષે ઘણા જીવો અને પુદ્ગલો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, ચ્યવે છે અને ઉત્પન્ન થાય છે; પરંતુ નિષ્પત્તિ ન થાય—જન્મ ન થાય. વંશીપત્રાયોનિ સામાન્ય મનુષ્યને અર્થાત્ સામાન્ય મનુષ્યની માતાને હોય છે. વંશીપત્રા યોનિને વિષે ઘણા સામાન્ય મનુષ્યો ગર્ભમાં ઉત્પન્ન થાય છે (૨). ૧૪૦॥
(ટી૦) આ સૂત્રો સુગમ છે, વિશેષ એ કે—પ્રણિધાન–એકાગ્રતા, તે પ્રણિધાન મન વગેરે સંબંધીના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં મનની જે એકાગ્રતા તે મનઃપ્રણિધાન, એવી રીતે વચનપ્રણિધાન અને કાયપ્રણિધાન જાણવું. તે પ્રણિધાન ચોવીશ દંડકમાં સર્વ પંચેંદ્રિય દંડકોને હોય છે, તે સિવાયના દંડકોમાં નથી, કારણ કે તેઓને ત્રણ યોગનો અભાવ હોય છે. આ કારણથી જ કહ્યું છે કે—'છ્યું પંનીેવિયે' ત્યાદ્િ॰ પ્રણિધાન શુભ અને અશુભ ભેદરૂપ છે, તેમાં પ્રથમ શુભ પ્રણિધાનને કહે છે—'તિવિષે' ત્યાદ્િ સામાન્ય સૂત્ર છે, વિશેષને (શુભને) આશ્રયીને તો ચોવીશ દંડકની વિચારણામાં મનુષ્યોને જ, તેમાં પણ સંયતોને જ શુભ પ્રણિધાન હોય છે, કારણ કે સંયતને ચારિત્રપરિણામ હોય છે. આ કારણથી જ કહે છે—'સંનયે' ત્યાદ્રિ (૨) દુષ્ટ પ્રણિધાન અશુભ મન વગેરેની પ્રવૃત્તિરૂપ છે. તેની સામાન્ય પ્રણિધાનની જેમ વ્યાખ્યા કરવી. (પંચેંદ્રિયના બધા દંડકમાં હોય • છે.) ૧૩૯॥
જીવના પર્યાયના અધિકારથી 'તિવિદ્દે' સૂત્રથી આરંભીને 'ગમં વનંતિ' પર્યંતના છેલ્લા સૂત્ર વડે યોનિનું સ્વરૂપ કહે છે—યુવંતિ–તેજસ અને કાર્પણ શરીરવાળા જીવો ઔદારિક શરીર વડે મિશ્ર થાય છે જેણીને વિષે તે યોનિ, અર્થાત્ શીતાદિ સ્પર્શવાળું જીવની ઉત્પત્તિનું સ્થાન તે યોનિ. 'Ç'તિ॰ જેમ સામાન્યથી ત્રણ પ્રકારે (યોનિ) છે તેમ ચોવીશ દંડકની વિચારણામાં તેજસ્કાય વર્જીને બાકીના એકેંદ્રિયોને અને વિકલેંદ્રિયોને હોય છે. તેજસ્કાયને ઉષ્ણયોનિ હોવાથી તેનો નિષેધ કરેલ છે. પંચેંદ્રિયતિર્યંચ દંડકમાં અને મનુષ્યના દંડકમાં સંમૂર્ચ્છિમ જીવોને ત્રણ યોનિ હોય છે. બાકીના પંચેંદ્રિયોને તો બીજી રીતે હોય છે. કહ્યું છે કે—
सीओणि जोणीया, सव्वे देवा य गब्भवक्कंती । उसिणा य तेउकाए, दुह णिरए तिविह सेसाणं ॥ ५४ ॥
[નીવ ૪૦ ૪૭, બૃહત્સં॰ ૨૬૦ તિ]
સર્વ દેવો અને ગર્ભજ મનુષ્ય-તિર્યંચો, એક શીતોષ્ણુ યોનિવાળા હોય છે, તેજસ્કાયમાં ઉષ્ણયોનિ છે, નરકને વિષે શીત અને ઉષ્ણ બે યોનિ છે; બાકીનાઓને ત્રણે યોનિ હોય છે. (૫૪)
બીજી રીતે યોનિના ત્રિવિધપણાને કહે છે—'તિવિદ્દે' ફત્યાદ્રિ સૂત્ર સુગમ છે, વિશેષ એ કે—દંડકની વિચારણાને વિષે એકેંદ્રિય વગેરેને સચિત્તાદિ ત્રણ પ્રકારની યોનિ હોય છે, બીજાઓને બીજી રીતે હોય છે. કહ્યું છે કે—
अच्चित्ता खलु जोणी, नेरइयाणं तहेव देवाणं । मीसा य गब्भवसही, तिविहा जोणी य सेसाणं ॥ ५५ ॥
[નીવ સ૦ ૪૬, બૃહત્સં॰ રૂ૧૬ તિ] નારકોને અને દેવોને ચોક્કસ અચિત્ત યોનિ હોય છે, ગર્ભજ મનુષ્ય અને તિર્યંચોને મિશ્રયોનિ હોય છે, બાકીના એકેંદ્રિય, વિકલેંદ્રિય અને સંમૂર્છિમ પંચેંદ્રિયતિર્યંચમનુષ્યને ત્રણે યોનિ હોય છે (૧). (૫૫)
ફરીથી બીજી રીતે યોનિને કહે છે—'તિવિષે' ત્યાર્િ॰ ઢાંકેલી ઘટિકા (ઘડી)ના ઘર જેવી, વિવૃત્તા-ખુલ્લી અને
193