SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः १ उपकारस्वरूपम् १३५ सूत्रम् તે દરિદ્રી પોતાના તે શેઠને પોતાનું સર્વસ્વ આપતો થકો પણ શેઠના ઉપકારનો બદલો ન વાળી શકે; પરન્તુ તે દરિદ્રી તે શેઠને કેવળીએ પ્રરૂપેલ ધર્મ કહીને, સમજાવીને, ભેદથી પ્રરૂપીને ધર્મમાં સ્થાપન કરનાર થાય તો અવશ્ય તે શેઠના ઉપકારનો બદલો વાળનાર થાય (૨). કોઈક પુરુષ તદ્રુપ શ્રમણ અથવા માહણની પાસેથી એક પણ આર્ય-પાપથી નિવર્તન કરનાર ધાર્મિક સુવચન સાંભળીને, અવધારીને, યોગ્ય કાલે મૃત્યુ પામીને કોઈએક દેવલોકને વિષે દેવપણાએ ઉત્પન્ન થયા બાદ તે દેવ, તે ધર્માચાર્યને દુર્ભિક્ષવાળા દેશથી સુભિક્ષવાળા દેશ પ્રત્યે લઈ જાય, અથવા અટવીમાંથી વસતિમાં લઈ જાય, અથવા લાંબા કાળના રોગ અને આતંક વડે પરાભવને પામેલ એવા ધર્માચાર્યને રોગાદિથી મુક્ત કરે છતાં પણ તેના વડે ધર્માચાર્યના ઉપકારનો બદલો ન વાળી શકાય, પરંતુ તે પુરુષ, કેવલી પ્રરૂપિત ધર્મથી જો તે ધર્માચાર્ય ભ્રષ્ટ થાય તો તેને કેવલીભાષિત ધર્મ કહીને યાવત્ ફરીથી પણ ધર્મમાં સ્થાપન કરનાર બને તો તેના વડે તે ધર્માચાર્યનો સપ્રતિકાર થાય અર્થાત તેના ઉપકારનો બદલો વાળનાર થાય (૩). /૧૩પી. (ટી0) 'તિ ત્રણ વ્યક્તિઓએ કરેલ છે ઉપકાર જેના પર એવા પુરુષ વડે તે ત્રણનો દુઃખે કરી પ્રત્યુપકાર કરાય છે. અહિં 'વ' પ્રત્યય કીધે છતે યુતિવાર–પ્રત્યુપકાર કરવા માટે અશક્ય સમજવું. હે શ્રમણ ! હે આયુષ્યમાન્! અથવા સમાસ સહિત કથન-ડે શ્રમણાયુષ્માન્ ! એવી રીતે ભગવાન વડે શિષ્ય સંબોધાયો. કણ્વય –માતા સહિત, પિતા--જનક અર્થાત્ માતાપિતા, જન્મદાતાપણાથી એકપણાની વિવક્ષા કરવાથી તેનું એક સ્થાન. તથા પટ્ટિસ્મ'ત્તિ મર્ત–પોષક-સ્વામીનું બીજું સ્થાન, ધર્મદાતા આચાર્ય તે ધર્માચાર્ય, તેનું ત્રીજું સ્થાન, કહ્યું છે કેदुष्प्रतिकारौ मातापितरौ स्वामी गुरुश्चलोकेऽस्मिन्। तत्र गुरुरिहाऽमुत्र च सुदुष्करतरप्रतीकारः ॥४७॥ [प्रशम० ७१ इति] આ લોકમાં માતાપિતા દુષ્પતિકાર છે, સ્વામી (પોષક) અને ગુરુ પણ દુષ્પતિકાર છે, તેમાં પણ ગુરુ તો આલોક અને પરલોકમાં અત્યંત દુષ્પતિકાર છે. (૪૭) જણાવેલ ત્રણ પૈકી જનકના દુષ્પતિકારપણા સંબંધી કહે છે કે–સંપામો' રિ પ્રતિ –પ્રભાત, પ્રભાત સહિત તે સંપ્રાતઃ અને સંપ્રાતમ્ અર્થાત્ પ્રભાતકાલ અર્થાત્ જ્યારે પ્રભાત થયું ત્યારે જ એ અર્થ છે. આ શબ્દ વડે બીજા કાર્યમાં અવ્યગ્રતા (અપ્રવૃત્તિ)પણાને દેખાડે છે, અથવા “સ” શબ્દનો અતિશય અર્થ હોવાથી અતિપ્રભાતમાં (વહેલા) અર્થાત્ પ્રતિ શબ્દાર્થ હોવાથી પ્રતિપ્રભાત-દરરોજ એ ભાવ સમજવો. બધા નહિ પરન્તુ કોઈક કુલીન પુરુષ-મનુષ્ય (દેવ અને તિર્યંચોને આવા પ્રકારના વ્યતિકરનો અસંભવ હોય છે) શતપાક એટલે ઔષધિના ક્વાથોના એક સો ઔષધ છે જે તેલના પાકમાં તે ૧, અથવા એકસો ઔષધિ સાથે જે પકાવાય છે તે ૨, અથવા સો વખત જેનો પાક કરાય છે તે ૩, અથવા સો રૂપિયાના ખર્ચથી જે પકાવાય છે તે શતપાક, એવી રીતે સહસ્ત્રપાક પણ જાણવો. આ બન્ને તેલ વડે મર્દન કરીને, સુગંધી દ્રવ્યના ચૂર્ણ વડે ઉદ્દલન કરીને (ચોળીને), ગંધોદક, ઉષ્ણોદક અને શીતોદક એ ત્રણ જાતના જલ વડે સ્નાન કરાવીને, મનોજ્ઞ-કલમશાલી ભાત વગેરે, Dાતી–વાસણમાં પાક છે જેનો તે થાલીપાક, વાસણ સિવાય કાચું પાકું થાય અથવા તેવા પ્રકારનું સારું ન થાય માટે આ વિશેષણ (થાલીપાકનું) છે, શુદ્ધ-ભોજનના દોષ રહિત થાલીમાં પકાવેલું એવું જે શુદ્ધ, વળી લોકપ્રસિદ્ધ અઢાર પ્રકારનાં વ્યંજન-શાક તથા દાલ વડે અથવા તક્ર-છાશ વગેરેથી જે વ્યાપ્ત છે અર્થાત્ બનાવેલ છે, અથવા અઢાર ભેદવિશિષ્ટ વ્યંજન (ભોજન) (અહિં ભેદપદના લોપથી મધ્યમપદલોપી સમાસ છે), આવું ભોજન જમાડીને, એમ કહેવાનો મતલબ છે. આ અઢાર ભેદો નીચે પ્રમાણે જાણવા सूओ १ दणो २ जवनं ३, तिनि य मंसाई ६ गोरसो ७ जूसो ८ । मक्खा ९ गुललावणिया १०, मूलफला ११ हरियगं १२ सागो [डागो] ॥४८॥ 188.
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy