________________
३ स्थानकाध्ययने उद्देशः १ उपकारस्वरूपम् १३५ सूत्रम्
होइ रसालू व तह्य १४, पाणं १५ पाणीय १६ पाणगं चेव १७ | अट्ठारसमो सागो १८, निरुवहओ लोइओ पिंडो ॥ ४९ ॥
દાળ ૧, ભાત ૨, જવથી બનેલું પરમાત્ર ૩, જલચર, સ્થલચર અને ખેચરના ત્રણ પ્રકારના માંસ ૬, ગોરસ, દૂધ, દહીં, ઘી વગેરે ૭, જૂસ–મગ, ચોખા, જીરું, કટુ (મેથી વગેરે), ભાંડ વગેરેથી યુક્ત રસ (ઓસામણ) ૮, ભક્ષ્ય–મીઠાઈ વગેરે ૯, ગોળપાપડી અથવા લોકમાં પ્રસિદ્ધ ગોળધાના ૧૦, મૂલ–અશ્વગંધા (આસોંધ) વગેરે, તેમજ કેળાં વગેરે આ એક જ પદ છે ૧૧, લીલું જીરું વગેરે ૧૨, શાક-વસ્તુલ (પાલખા) વગેરેની ભાજી ૧૩, રસાલુ-મજ્જિકા, તેનું આ લક્ષણ આ પ્રમાણે જાણવું—
दो घयपला महुपलं, दहिस्स अद्धाढयं मिरिय वीसा । दस खण्डगुलपलाई, एस रसालू णिवइजोग्गो[ग] ॥५०॥
બે પલ ઘી, એક પલ મધ, અર્હ આઢક દહીં, વીશ દાણા મરી, ખાંડ દશ પળ અને ગોળ દશ પળ—આ રસાલુ કહેવાય છે તે નૃપતિને યોગ્ય છે ૧૪, તથા પાન–મદિરાદિ ૧પ, પાણી ૧૬, દ્રાક્ષનું પાણી વગેરે ૧૭, શાક-છાશથી રાંધેલું ૧૮ (૪૮૪૯-૫૦) – આ અઢાર જાતિનો આહાર બે પ્રકારનો છે ઃ ૧ નિર્દોષ અને ૨ લૌકિક-નિર્વિવેકી લોકને આશ્રયી અર્થાત્ માંસ વગેરે અવિવેકી માટે છે, વિવેકી લોકોને તે ત્યાજ્ય છે. (આ પ્રમાણે શુદ્ધ આહારાદિ કરાવીને) જ્યાં સુધી પ્રાણ ધારણ કરે છે ત્યાં સુધી સ્કંધ-ખભા ઉપર વહન કરવા વડે પણ તે માતાપિતાનો પ્રતિકાર (બદલો વાળવો) અશક્ય છે; કારણ કે પુત્રે અનુભવેલ ઉપકાર વડે તે માતાપિતાનો પ્રત્યુપકાર કરનાર હોય છે. કહ્યું છે કે—
कयडवयारो जो होइ सज्ज़णो होइ को गुणो तस्स ? । उवयारबाहिरा जे, हवंति ते सुंदरा सुयणा ॥५१॥
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
ક૨ેલ છે ઉપકાર જેના ૫૨ એવો માણસ (પ્રત્યુપકારથી) સજ્જન થાય તેમાં તેનો શો ગુણ? અર્થાત્ કાંઈપણ નહિ, પરંતુ અનુપકારી પ્રત્યે જે ઉપકાર કરે છે તેઓ ઉત્તમ સજ્જનો કહેવાય છે. (૫૧)
'હે માં સે' ત્તિ॰ ઞથ—જો (અહિં કાર વાક્યાલંકારમાં છે) તે પુરુષ, માતાપિતાને ધર્મને વિષે સ્થાપન કરનાર થાય તો બદલો વાળી શકે. કેવી રીતે સ્થાપે? અનુષ્ઠાન–ક્રિયાથી સ્થાપે છે એ ભાવ છે. શું કરીને? તે સંબંધે કહે છે—ધર્મ કહીને, સમજાવીને, વિશેષ ભેદથી પ્રરૂપીને અથવા સામાન્યથી કહીને એટલે કે ધર્મ કરવા યોગ્ય છે, વિશેષથી પ્રરૂપીને એટલે કે આ ધર્મ અહિંસાદિ લક્ષણવાળો છે, વિશેષ ભેદથી પ્રરૂપીને એટલે કે અઢાર હજાર શીલાંગ રથરૂપ છે (આષવત્તા વગેરે પદો શીલ અર્થમાં તૃન પ્રત્યયવાળા છે) 'તે મેવ' ત્તિ—તેના વડે—ધર્મસ્થાપના વડે પ્રતિકાર થાય, પરિવહન (ખભા ઉ૫૨ લઈ જવા) વડે નહિં, અથવા તે ધર્મમાં સ્થાપનાર પુરુષ વડે માતાપિતાના ઉપકારનો પ્રતિકાર થાય પરંતુ વહન કરનાર વડે નહિં. પ્રત્યુપકાર કરવા યોગ્ય તે માતાપિતાને 'સુખડિયાર' તિ॰ જે સુખપૂર્વક પ્રત્યુપકાર કરાય છે તે સુપ્રતિકાર, આ ભાવસાધન છે. તદ્ભવતિ-પ્રત્યુપકાર કરાય છે. કારણ? ધર્મસ્થાપનાનું મહોપકારીપણું છે. કહ્યું છે કે— संमत्तदायगाणं, दुप्पडियारं भवेसु बहुस्सुं । सव्वगुणमेलियाहि वि, उपगारसहस्सकोडीहिं ॥ ५२ ॥ । [ उप०मा० २६९ त्ति ]
ઘણા ભવોને વિષે સર્વ ગુણ (અનેક ગુણ) વડે મેળવેલ હજાર કોટી (ક્રોડ) ઉપકારો વડે પણ સમકિતના દેનાર ગુરુઓના ઉપકારનો બદલો વાળવો અશક્ય છે (૧). (૫૨)
હવે સ્વામીના દુષ્પ્રતિકાર્યપણા સંબંધી કહે છે—'રૂં મહત્ત્વે'ત્તિ કોઈપણ મહાન્ ઐશ્વર્ય સ્વરૂપ અર્ચા અથવા પૂજા છે. જેને, અથવા મહાન્ ધનપતિ-શ્રેષ્ઠી, માહત્યં—મહત્ત્વ તેના યોગ વડે માહત્ય અર્થાત્ ઈશ્વર, દ્રવ્—ઈશ્વર નહિં એવો કોઈક પુરુષ–અતિશય દુઃખિત પ્રત્યે સમુર્જયેત્—ધનદાન વગેરે વડે ઉત્કૃષ્ટ કરે, તેને શ્રીમંત બનાવે, તતઃ ઉત્કૃષ્ટપણું પામ્યા પછી તે દરિદ્ર પુરુષ ધનાદિ વડે સમુત્કૃષ્ટ થયો થકો, 'પચ્છ'ત્તિ પશ્ચાત્કાલમાં 'પુર = Ī'તિ॰ પૂર્વકાલમાં અર્થાત્ ઉત્કૃષ્ટકાલે અથવા પશ્ચાત્—સ્વામીની અસમક્ષ (પરોક્ષ) પુરશ્ન—સ્વામીની સમક્ષ, ભોગની ઘણી સામગ્રી વડે જે યુક્ત તે, તેવી રીતે તે પણ (દરિદ્ર પણ) વર્તે (સ્વામી જેવો થાય), ત્યારબાદ તે સ્વામી અન્યદા લાભાંતરાયકર્મના ઉદયથી કદાચિત્ તેવા
189