________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
३ स्थानकाध्ययने उद्देशः १ अंधकार - उद्योतकारणम् १३४ सूत्रम्
યાવત્ પૂર્વની માફક જાણવું (પ), ત્રણ સ્થાનકે લોકાંતિક દેવો મનુષ્યલોકમાં શીઘ્ર આવે, તે આ પ્રમાણે—અરિહંતો ઉત્પન્ન થયે છતે, અરિહંતોએ દીક્ષા લીધે છતે અને અરિહંતોના કેવલજ્ઞાનની ઉત્પત્તિના મહોત્સવોને વિષે. ૧૩૪ (ટી૦) આ સુગમ છે. વિશેષ કહે છે કે—ક્ષેત્રલોકને વિષે જે અંધકાર તે લોકાંધકાર થાય. દ્રવ્યથી લોકાનુભાવથી (જગત્સ્વભાવથી) અથવા ભાવથી પ્રકાશક સ્વભાવવાળા જ્ઞાનના અભાવથી, તે આ પ્રમાણે—અન્તિ—ઉત્કૃષ્ટ ભક્તિને વિષે તત્પર, સુર અને અસુરોના સમૂહ વડે વિશેષે રચાયલી, જન્માંતરરૂપ મોટા ક્યારામાં ઊગેલ અને નિર્દોષ વાસના–ભાવનારૂપ જલ વડે સીંચાયેલ પુન્યરૂપ મહાવૃક્ષના કલ્યાણલ સદૃશ અશોકવૃક્ષ વગેરે અષ્ટપ્રકારવિશિષ્ટ મહાપ્રાતિહાર્યરૂપ પૂજા પ્રત્યે અને સર્વ રાગાદિ શત્રુના તદન ક્ષયથી મુક્તિમંદિરના શિખર ઉપર ચડવાને જે યોગ્ય છે તે અર્હન્તો. કહ્યું છે—
अरहंति वंदण-नमंसणाणि अरहंति पूयसक्कारं । सिद्धिगमणं च अरहा, अरहंता तेण वुच्च॑ति ।।४६।।
[વિશેષા॰ રૂ૧૬૪ત્તિ]
'ગદ્' ધાતુ પૂજાના અર્થમાં છે, બહુવચનમાં થાય છે અને પચાદિગણમાં 'અન્' પ્રત્યય કરવાથી અદ્ભૂઃ—વંદન અને નમસ્કાર ક૨વામાં યોગ્ય છે, તથા પૂજા અને સત્કાર કરવામાં યોગ્ય છે, વળી સિદ્ધિગમનમાં યોગ્ય છે, તે કારણથી અર્હતો કહેવાય છે. તે અહંતો નિર્વાણને પ્રાપ્ત થયે છતે, વળી અર્હન્તોએ પ્રરૂપેલ ધર્મ નાશ પામ્યે છતે એટલે કે તીર્થના નાશકાલને વિષે, તથા દૃષ્ટિવાદ અંગના વિભાગભૂત જે પૂર્વી, તેઓને વિષે ગત–પ્રવેશેલું, તેના અત્યંતરીભૂત અર્થાત્ તેના સ્વરૂપે જે શ્રુત તે પૂર્વગત નાશ પામ્યે છતે લોકને વિષે અંધકાર થાય છે. રાજાનું મરણ, દેશ અને નગરના ભંગ વગેરેમાં પણ દિશાઓમાં અતિ ધૂળ (આંધી)પણાએ કેવલ અંધકાર દેખાય છે, તો વળી સમગ્ર ત્રિભુવનના મનુષ્યોને નિર્દોષ નયન સમાન પરમ ઐશ્વર્યવાન્ અર્હત વગેરેનો વિચ્છેદ થયે છતે લોકમાં અંધકાર થાય તેમાં શું આશ્ચર્ય? લોકમાં ઉદ્યોત થાય છે, તે લોકના અનુભાવ (જગત્સ્વભાવ)થી અથવા મનુષ્યલોકમાં દેવોના આગમનથી થાય છે. 'નાજુપાયમહિમાસુ'કેવલજ્ઞાનના ઉત્પાદ (ઉત્પન્ન થવા)ને વિષે દેવો વડે કરાયેલ મહોત્સવો હોતે છતે (૨), દેવોના ભવનાદિને વિષે જે અંધકાર તે દેવાંધકાર, તે લોકના અનુભાવથી જ થાય છે. લોકાંધકાર કહે છતે પણ જે દેવાંધકાર કહ્યો તે સર્વત્ર અંધકારના સદ્ભાવનું પ્રતિપાદન ક૨વા માટે છે (૩), એવી રીતે દેવનો ઉદ્યોત પણ જાણવો (૪), [૧] પૃથ્વીમાં દેવોનું અવતાર–આવવું તે દેવસન્નિપાત (૫), દેવોત્કલિકા– દેવોનું એકત્ર મળવું (૬), એવી રીતે ત્રણ સ્થાનો વડે 'રેવહહે'ત્તિ દેવો વડે કરાયેલ હર્ષાત્મક શબ્દ (૭), ત્રણ વડે જ (દેવેંદ્રો) મનુષ્યલોકમાં આવે છે (૮), 'ન્હવ્વ'તિ॰ શીઘ્ર 'સામાયિ'ત્તિ॰ ઇંદ્રની સમાન ઋદ્ધિવાલા (૯), 'તાયત્તીસળ'ત્તિ મહત્તર–ગુરુ સમાન પૂજ્ય (૧૦), 'ભોપાત્તાઃ' સોમ વગેરે દિશાઓમાં નિયુક્ત કરાએલા (૧૧), અગ્રમહિષી–શ્રેષ્ઠ સ્ત્રી (ઇંદ્રાણી) (૧૨), 'પવિત્'-પરિવારમાં જે ઉત્પન્ન થયેલા તે પર્મદાના દેવો (૧૩), 'ગનીધિપતયો'—હસ્તિ વગે૨ે સૈન્યના મુખ્ય ઐરવત વગેરે દેવો (૧૪), 'આત્મરક્ષા' રાજાની માફક અંગની રક્ષાના કરનાર જે દેવો તે આત્મરક્ષક દેવો, 'માગુસ્સે તોય હવ્વમા જીન્તી'તિ આ પ્રમાણે દરેક પદમાં જોડવું (૧૫) [૨] આ પ્રમાણે દેવોને મનુષ્યલોકને વિષે આગમનમાં જે કારણો કહ્યા તે જ કારણો દેવોના અભ્યુત્થાન વગેરેના કારણપણાએ પાંચ સૂત્ર વડે કહે છે—'તિહિં ત્યાર્િ સુગમ છે. વિશેષ કહે છે—'સન્મુક્રિષ્ન' ત્તિ સિંહાસનથી ઊઠે (૧), આસનો—શક્ર વગેરેના સિંહાસનો, તેઓનું ચલન થવું તે લોકસ્વભાવથી થાય છે (૨), અને સિંહનાદ તથા ચેલોત્સેપ-વસ્ત્રની વૃષ્ટિ એ બે પ્રમોદના કાર્યો લોકપ્રતીત છે (૩–૪), ચૈત્યવૃક્ષો-જે સુધર્માદિ સભાના દરેક દ્વારની સામે મુખમંડપ, પ્રેક્ષામંડપ, ચૈત્યસ્તૂપ, ચૈત્યવૃક્ષ અને મહાધ્વજ વિગેરે તે ક્રમથી સંભળાય છે (૫), લોકાંતિક દેવોનો અતિપ્રધાનપણારૂપ ભેદવડે મનુષ્યક્ષેત્રમાં આવવાના કારણોને કહે છે—'તિલ્હી' ત્યાિ સુગમ છે. વિશેષ કહે છે કે—બ્રહ્મલોક નામના દેવલોકને અંત–સમીપ કૃષ્ણરાજીરૂપ ક્ષેત્રમાં નિવાસ છે જેઓનો.તે લોકાંતિકો, અથવા ઔદયિકભાવ (અજ્ઞાન વગેરે) લોકના છેડે થનારા–અનંતર (અંતર રહિત) ભવમાં મોક્ષ જનારા હોવાથી લોકાંતિકો (એકાવતારવાળા) કહેવાય છે. લોકાંતિકો—આગળ કહેવામાં આવનાર સ્વરૂપવાળા સારસ્વત વગે૨ે આઠ પ્રકારે છે (સર્વે
186