________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
३ स्थानकाध्ययने उद्देशः १ ज्योतिष्काणाम् चलनस्वभावम् १३३ सूत्रम् આવી રીતે જ્યોતિષ્ઠોને તેજોલેશ્યાના જ ભાવ વડે ત્રણ સ્થાનકમાં અવતરિત કરેલ નથી. હમણા જેમ વૈમાનિકોનો લેશ્યા દ્વાર વડે અવતાર કહ્યો તેમ જ્યોતિષ્મોનો તો લેશ્યાદ્વાર વડે અસંભવ હોવાથી ચલનસ્વભાવ વડે જ્યોતિષ્ક પ્રત્યે કહે છે કે—
तिहिं ठाणेहिं तारारूवे चलिज्जा, तंजहा - विकुव्वमाणे वा, परियारेमाणे वा, ठाणाओ वा ठाणं संकममाणे तारारूवे चलेज्जा । तिहिं ठाणेहिं देवे विज्जुतारं करेज्जा, तंजहा - विकुव्वमाणे वा, परियारेमाणे वा, तहारूवस्स समणस्स वा माहणस्स वा इड्डि जुत्तिं जसं बलं वीरियं पुरिसक्कारपरक्कमं उवदंसेमाणे देवे विज्जुतारं करेज्जा । तिहिं ठाणेहिं देवे थणियसद्दं करेज्जा, तंजहा - विकुव्वमाणे, एवं जहा विज्जुतारं तहेव थणियसद्दं पि ॥ સૢ૦ ૨૩૨૫
(મૂળ) ત્રણ સ્થાનક (કારણ) વડે તારક (તારા) માત્ર ચલિત થાય, તે આ પ્રમાણે—વિકુર્વણા કરતો થકો અથવા રિચારણા કરતો થકો અથવા એક સ્થાનથી બીજા સ્થાન પ્રત્યે ગમન કરતો થકો તારારૂપ દેવ ચલિત થાય. ત્રણ કારણે દેવ વીજળી કરે, તે આ પ્રમાણે—વિકુર્વણા કરતો થકો, પરિચારણા કરતો થકો, તથારૂપ શ્રમણ માહણને ઋદ્ધિ, કાંતિ, યશ, બલ (શારીરિક શક્તિ), વીર્ય (આત્મિક શક્તિ), પુરુષકાર અને પરાક્રમ બતાવતો થકો દેવ વિદ્યુતકાર (વીજળી) કરે છે. ત્રણ સ્થાનકે દેવ, સ્તનિત (મેઘ)નો શબ્દ (ગર્જના) કરે, તે આ પ્રમાણે—વિકુર્વણા કરતો થકો, એવી રીતે જેમ વીજળી કરે તેમ સ્તનિત શબ્દ પણ કરે. /૧૩૩૪/
(ટી૦) 'તારાવે' ત્તિ॰ તારક માત્ર (ફક્ત તારા) 'વલેન્ગા'—પોતાના સ્થાનને છોડે, ક્યારે? વૈક્રિયને કરતો થકો અથવા પરિચારણા કરતો થકો—મૈથુન માટે તીવ્ર અભિલાષયુક્ત બનતો થકો, એક સ્થાનથી બીજા સ્થાન પ્રત્યે જાતો થકો, આ અર્થ છે. જેમ ધાતકીખંડાદિના મેરુ પ્રત્યે પરિહરે–છોડે, અથવા ચમરેંદ્રની માફક કોઈક મહર્દિક દેવ વગેરે વૈક્રિય વગેરે પ્રત્યે વિક્ર્વણા કરતે છતે તેને માર્ગ–રસ્તો આપવા માટે ચાલે—ખસી જાય. કહ્યું છે કે...'તત્વ ાં ને તે વાધારણ અંતરે સે નહન્નેાં રોત્રિ છાવઢે ખોયાસ, ૩ોતેમાં વારસ નોયસહસ્સારૂં'[નમ્બૂદીપ પ્ર૦ ૭/રૂ૦] તિ—તે 'બન્નેમાં જે વ્યાઘાતવાળું અંતર, તે જઘન્યથી બસેં છાસઠ યોજન અને ઉત્કૃષ્ટથી બાર હજાર યોજનનું છે. તે બન્ને અંતરમાં વ્યાઘાતિક અંતર, મહર્ષિક દેવને માર્ગ ?આપવાથી થાય છે. તારકદેવની ચલનક્રિયાના કારણો કહ્યાં, હવે દેવના જ વીજળી અને મેઘગર્જનાની ક્રિયાનાં કારણો બે સૂત્ર વડે કહે છે—'તિલ્હી' ત્યાદ્રિ॰ સુગમ છે, વિશેષ એ કે—'વિષ્ણુયાર' તિ॰ જે વીજળી કરાય છે તે જ ારઃ— કાર્ય, અથવા વીજળીનું જે કરવું તે કાર–ક્રિયા તે વિદ્યુત્કાર અથવા વીજળી સમજવી. વૈક્રિયનું ક૨વું વગેરે અહંકારવાળાને જ હોય છે. વૈક્રિયાદિ ક્રિયામાં પ્રવર્તેલ અને અહંકારના ઉલ્લાસવાળાને ચલન, વીજળી અને ગર્જના વગેરે પણ હોય છે, માટે ચલન, વીજળીનું કરવું વગેરેને વૈક્રિયનું કરવું કારણપણાએ કહેલું છે. ઋદ્ધિવિમાન પરિવાર વગેરે, ધૃતિ–શરી૨ અને આભરણ વગેરેની કાંતિ, યશ-પ્રખ્યાતિ, બલ–શરીરની શક્તિ, વીર્ય–જીવની શક્તિ, પુરુષકાર–અભિમાન વિશેષ તેજ (ઉપરોક્ત સર્વે ઋદ્ધિ વગેરે) પોતે સંપાદિત કરેલ તે પરાક્રમ, પુરુષકાર અને પરાક્રમ આ બન્નેનો સમાહારમાં દ્વંદ્વ સમાસ છે—આ પૂર્વોક્ત સર્વે બતાવતો થકો દેવ વિદ્યુત્કાર કરે છે, તથા સ્તનિત શબ્દ-મેઘની ગર્જના કરે છે. 'વ'મિત્યાવિ॰ વચન, 'પરિયારેમાળે વા તન્હા વĂ'ત્યાવિ॰ આલાપકના સૂચન માટે છે. II૧૩૩||
1. વ્યાઘાત રહિત અને વ્યાઘાત સહિત અન્તર, નિર્માઘાતિક અન્તર જઘન્યથી પાંચસે ધનુષ્ય અને ઉત્કૃષ્ટથી બે ગાઉનું તારાનું અત્તર છે. તારાના ચલન વગેરે ત્રણ સૂત્ર ઉત્પાતના સૂચક છે.
2. સંગ્રહણીની વૃત્તિમાં ૧૨૨૪૨ યોજનનું ઉત્કૃષ્ટથી અંતર કહેલું તે મેરુપર્વતની અપેક્ષાએ સ્વાભાવિક અંતર છે અને કોઈક વખતે તો અંતર એક લાખ યોજનનું પણ, ચમર વગેરેના આગમનની જેમ, હોય.
184