________________
३ स्थानकाध्ययने उद्देशः १ सुपात्रदानस्य क्रियाफलम् १२५ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ અનેષણીય આહારથી દૂર થવું યોગ્ય છે તેમ અમને સાધુને એષણીય કે અનેકણીય આહાર દેવો યોગ્ય છે. આ બે પ્રકારના શ્રાવકોની આગળ સાધુઓ એમ કહે કે એષણાના દોષ રહિત શુદ્ધ થોડો થોડો આહાર ઉત્સર્ગ માર્ગે લેવો, તે કેવી રીતે? તે કહે છે—ક્ષેત્ર, કાલ અને ભાવરૂપ અપવાદ માર્ગને છોડીને અર્થાત્ ક્ષેત્ર-કઠોર ક્ષેત્ર, કાલ-દુર્ભિક્ષાદિ અને ભાવ-શ્રદ્ધા રહિત લોક, તેઓનો વિચાર કરીને આહાર લે. (૩૩)
તેમાં લુબ્ધદૃષ્ટાંતભાવિતો જેમ તેમ કોઈપણ પ્રકાર વડે (દાન) આપે છે અને સંવિગ્રભાવિતો તો ઉચિતપણાએ આપે છે, તે આ પ્રમાણે– संथरणंमि असुद्धं, दोण्ह वि गेण्हन्त-देंतयाणऽहियं । आउरदिट्ठतेणं तं, चेव हितं असंथरणे ॥३४॥
[નિશીથ મા૨૬૫૦ તિ]. સામર્થ્ય છતે અશુદ્ધ આહાર લેવામાં મુનિને અહિત-સંયમમાં દોષરૂપ થાય અને દેનારને પણ અહિત કરનાર થાય, તે જ અશુદ્ધ આહાર, અસમર્થપણામાં લેનાર સાધુને અને દેનાર શ્રાવકને હિત કરે છે, તે રોગીના દૃષ્ટાંતની જેમ દેશ, કાલ વિગેરેના કારણથી જાણવું. (૩૪)
તથા णायागयाणं कप्पणिज्जाणं अन्न-पाणाईणं दव्वाणं देस-काल-सद्धा-सक्कार-कमजुयं ।।३५।। [आव.सू० ६ इत्यादि०] ન્યાય વડે ઉપાર્જિત દ્રવ્યથી પ્રાપ્ત થયેલા, કલ્પનીય-મુનિઓને લેવા યોગ્ય એવા અન્નપાણી વગેરે દ્રવ્યો (વસ્તુઓ)નું દાન-તે દેશ, કાલ, શ્રદ્ધા અને સત્કારના ક્રમપૂર્વક આપે, ઇત્યાદિ. (૩૫)
કોઈક પ્રતિને વિષે "પને તિવામિત્તા મુસં વયિત્તે' ચેવં મવતિશદ્વજ્ઞ વાવના મવતિ શબ્દ રહિત પાઠ છે ત્યાં પણ તે જ અર્થ છે. અથવા. કવા પ્રત્યયાતવાળી વ્યાખ્યા કરવી. પ્રાણીઓની હિંસા કરીને, જૂઠું બોલીને, સાધુને "પ્રતિભાભીને અલ્પ આયુષ્યપણાએ અલ્પાયુષ્ય કર્મ બાંધે છે, આ સ્વરૂપ છે, બાકીનું તેમજ છે. અથવા પ્રતિબંભન સ્થાનકના બે વિશેષણ છે, તે આ પ્રમાણે–આધાકર્મ વગેરે દોષ કરવાથી પ્રાણીઓની હિંસા કરીને, જૂઠું બોલીને–“જેમ અહો! સાધુ! અમારા માટે આ બનાવેલ ભોજન વગેરે છે તે તમારે કલ્પનીય છે માટે તમારે અકલ્પનીયની શંકા કરવી નહિ' ઇત્યાદિ બોલીને તે કારણથી પ્રતિભાભીને (અલ્પાયુષ્ય) કર્મને કરે છે-બાંધે છે. અહિં બલ્બ પદના વિશેષણપણાએ અને એક પદના વિશેષ્યપણાથી ત્રણ સ્થાનકપણું જાણવું. આ સૂત્ર ગંભીર અર્થવાળું છે, તેથી બીજી રીતે પણ વિચારવા યોગ્ય છે.' અલ્પ આયુષ્યકપણાનાં કારણો કહેવાયા, હવે એના વિપર્યય (દીર્ધાયુષ્ય) ના એટલા જ (ત્રણ) વિપરિતપણાએ કારણો કહે છે– "તિહી'ત્યાદિ પૂર્વની માફક જાણવુંવિશેષ કહે છે–ખરીદ્યા યાર'ત્તિ શુભ દીર્ધાયુષ્યપણા માટે અથવા શુભ દીર્ધાયુષ્યપણાએ જાણવું. પ્રાણાતિપાતની વિરતિ વગેરેને શુભ દીર્ઘ આયુષ્યનું જ નિમિત્તપણું હોવાથી કહ્યું છે કેमहव्वय अणुव्वएहि य, बालतवोऽकामनिज्जराए या देवाउयं निबंधइ, सम्मद्दिट्टी य जो जीवो ॥३६।। [बंधशतक० २३]
મહાવ્રતો વડે, અણુવ્રતો વડે, બાલતપ અને અકામનિર્જરા વડે જીવ દેવનું આયુષ્ય બાંધે છે, વળી જે સમ્યગુદૃષ્ટિ જીવ છે તે પણ દેવાયુષ્યને બાંધે છે. (૩૬) તથા. पयईए तणुकसाओ, दाणरओ सील-संजमविहूणो। मज्झिमगुणेहिं जुत्तो, मणुयाउं बंधए जीवो ॥३७॥
વિંધરાતવ° ૨૪] * સ્વભાવે અલ્પકષાયી, દાનની રુચિવાળો અને શીલ તેમજ સંયમ રહિત મધ્યમગુણો (વિનય, દયાદિ) સહિત જે જીવ તે મનુષ્યાયુને બાંધે છે. (૩૭) 1આ હકિકત સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવી કે આ વાત કઈ અપેક્ષાએ કહેવામાં આવેલ છે.
175