________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग
१ ३ स्थानकाध्ययने उद्देशः १ सुपात्रदानस्य क्रियाफलम् १२५ सूत्रम् પાપકર્મવાળાને પ્રાસુક અથવા અપ્રાસુક, એષણીય અથવા અનેષણીય અશનાદિ આહાર વડે પ્રતિલાભનાર શ્રમણોપાસક વડે શું કરાય છે? હે ગોતમ! એકાંતથી પાપકર્મ કરાય છે, તેના વડે કંઈપણ નિર્જરા કરાતી નથી. જે પાપકર્મનું જ કારણ છે તે અલ્પાયુષ્યપણાનું પણ કારણ છે. શંકા-પ્રાણાતિપાત, મૃષાવાદ અને અપ્રાસક (આદિ) દાન, આ બધા ય કર્તવ્યપણાને પ્રાપ્ત થયા-કર્તવ્યરૂપે થયા. સમાધાન–ભલે થાઓ, ભૂમિકાની અપેક્ષાએ શો દોષ છે? કારણ કે કહ્યું છે કેअधिकारीवशाच्छास्त्रे, धर्मसाधनसंस्थितिः । व्याधिप्रतिक्रियातुल्या, विज्ञेया गुणदोषयोः ।।२९।। [हारि० अष्टक २/५]
શાસ્ત્રમાં અધિકારીના વશથી ધર્મના સાધનની વ્યવસ્થા, તે ગુણ અને દોષમાં વ્યાધિની પ્રતિક્રિયા (ઉપાય) સમાન જાણવી. (૨૯) તથા ગૃહસ્થ પ્રત્યે જિનભવન કરાવવાનું લ આ પ્રમાણે કહ્યું છે– एतदिह भावयज्ञः सद्गृहिणो जन्मफलमिदं परमम्। अभ्युदयाव्युच्छित्या नियमादपवर्गबीजमिति ।।३०।।
[ષોડશવ૦ ૬/૧૪]. આ લોકમાં જિનભવન કરાવવું તે ભાવયજ્ઞ છે, સદગૃહસ્થને જન્મનું આ ઉત્કૃષ્ટ ફલ છે, અભ્યદયની પરંપરા વડે નિયમથી મોક્ષનું બીજ છે. (૩૦) .
તથા भण्णइ जिणपूयाए, कायवहो जइ वि होइ उ कहिंचि । तह वि तई परिसुद्धा, गिहीण कूवाहरणजोगा ।।३१।। असदारंभपवत्ता, जं च गिही तेण तेसिं विनेया । तन्निवित्तिफलच्चिय, एसा परिभावणीयमिदं ।।३२॥ [युग्मम्]
પિશ્ચાશ૦ ૪/૪૨-૪૩ તિ] કોઈક શંકા કરે કે—જિનપૂજામાં તો હિંસા થાય છે, તો તેનું સમાધાન કરતાં કહે છે કે–જો કે જિનપૂજામાં કથંચિતું કાયવધ-પૃથ્વી વગેરેનો વધ-હિંસા થાય છે અને વિશેષ યતના વડે પ્રવૃત્તિ કરનારને હિંસા થતી પણ નથી. એ કથંચિતું, શબ્દથી દેખાડેલ છે; તથાપિ તે જિનપૂજા નિરવદ્ય છે. કોને? ગૃહસ્થોને પરંતુ સાધુઓને નહિ. આ સંબંધે કૂવો ખોદવા સંબંધીનું દૃષ્ટાંત જાણવું. બીજી રીતે પણ સમાધાન કરતાં કહે છે કે–ગૃહસ્થો, અસત્ આરંભ-ખેતી વગેરેના આરંભમાં જે હેતુથી પ્રવર્તેલા છે તે કારણ વડે ગૃહસ્થોને તે અસદારંભની નિવૃત્તિરૂપ ફળવાળી આ જિનપૂજા જાણવી, એમ વિચારવું જોઈએ. (૩૧-૩૨)
દાનના અધિકારમાં તો સંભળાય છે કે શ્રમણોપાસકો બે પ્રકારના છે, ૧ સંવિગ્રભાવિતો અને ૨ લુબ્ધદૃષ્ટાંતભાવિતો. આ સંબંધમાં કહ્યું છે કેसंविग्गभावियाणं, लोद्धयदिद्वंतभावियाणं च । मोत्तूण खेत्तकाले, भावं च कहिति सुद्धछं ।।३३।।
[નિશીથ માં ૨૬૪૬ તિ]. શ્રાવકો બે પ્રકારના છે–૧ સંવિગ્રભાવિતો-વિહારમાં ઉદ્યત (તત્પર) એવા સંવિગ્ન (સમ્યક્રક્રિયાપાત્ર) મુનિઓ વડે સંસ્કાર પામેલા અને ૨ લુમ્બકદૃષ્ટાંતભાવિતો–પાસસ્થાદિ વડે સંસ્કાર પામેલા શ્રાવક. તે એમ કહે છે કે તમને જેમ 1, દાન બહુ નિર્જરાનું કારણ હોવાથી શુભ આયુષ્યનો બંધ થાય, તથાપિ હિંસા, મૃષા અને અપ્રાસુકાદિપણું દોષરૂપ હોવાથી અલ્પ પાપ બંધાય
છે તેથી શુભ દીર્ઘઆયુષ્યની અપેક્ષાએ અલ્પ (ઓછું) આયુષ્ય બંધાય છે; જો કે કાર્ય (દાન આપવું તો શુદ્ધ છે, માત્ર કારણમાં જે ન્યૂનતા છે તેટલું ફળ ઓછું પ્રાપ્ત થાય. (સાધુ માટે આહારાદિ બનાવવામાં જે જીવ વિરાધના તે હિંસા અને આ આપના માટે નથી બનાવ્યું એમ કહેવું તે મૃષાવાદ) 2. જેમ હરણની પાછળ લુબ્ધક (શિકારી) દોડે છે, તેથી હરણને ભાગવું શ્રેય છે અને લુબ્ધકને હરણની પાછળ દોડવું એની દૃષ્ટિએ યોગ્ય
છે. તેમ સાધુને અષણીય આહારના ગ્રહણથી ભાગી છૂટવું શ્રેય છે અને શ્રાવકને એષણીય કે અષણીય આહાર દેવો યોગ્ય છે, એમ લુબ્ધકદ્રષ્ટાંતભાવિત શ્રાવકો કહે છે. 174.