SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः १ सुपात्रदानस्य क्रियाफलम् १२५ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ કેરી, ફણસ આદિ શબ્દથી કેળા વગેરે ફળો, ઇત્યાદિ બહુ પ્રકારે ખાદિમ જાણવું. (૨૭) दंतवणं तंबोलं, चित्तं अज्जग-कुहेडगाईयं । महुपिप्पलिसुंठादी, अणेगहा साइमं होइ ।।२८।। [पञ्चाशक० ५/३०] દતવણ-જે કાષ્ઠખંડ વડે દાંતને પવિત્ર કરાય તે અર્થાત્ દાતણ, તાંબૂલ-નાગરવેલના પાન અને સોપારીરૂપ અનેક પ્રકારનું અજ્જગ-અહિં ગાથાવૃત્તિમાં તુલસી શબ્દ છે એટલે તુલસીના પાંદડાં, કહેડક વગેરે, મધુ, પીપર, સુંઠ અને આદિ શબ્દથી જીરું, હરતાલ વગેરે ગ્રહણ કરવું એમ અનેક પ્રકારે સ્વાદિમ હોય છે. (૨૮). પ્રતિલાભ કરનાર (આત્માને) લાભવાળો કરે છે, આવા પ્રકારનો સ્વભાવ જે થાય છે તે અલ્પ આયુષ્યપણાએ કર્મને કરે છે આ સંબંધ છે. ' હિં"ત્તિ –આ કહેલ પ્રાણાતિપાતાદિ ત્રણ કારણ વડે જીવો, અલ્પઆયુષ્યપણાએ કર્મને બાંધે છે એવું રહસ્ય જાણવું. અહિં પ્રાણાતિપાત કરનાર વગેરે પુરુષના નિર્દેશમાં પણ પ્રાણાતિપાત વગેરેને જ અલ્પાયુ બંધના નિબંધનપણાએ તેનું કારણ પણે કહેલું છે એમ જાણવું. આ સૂત્રની આ ભાવના-પરિણામના વિશેષ આ ત્રણ કારણ, જેમ કહેલ છે તેમ ફળરૂપ થાય છે, અથવા જે જીવ, તીર્થકર વગેરેના ગુણાનુરાગ વડે તેઓની પૂજા વગેરેને માટે પૃથ્વી વગેરેના આરંભ વડે અને ન્યાસાપહાર-કોઈએ રાખેલી ચીજનું ગ્રહણ કરવા વગેરેથી પ્રાણાતિપાતાદિને વિષે વર્તે છે તે જીવને સરોગસંયમ અને નિરવદ્યદાનના નિમિત્તેથી (જે આયુષ્ય બંધાય) તેની અપેક્ષાએ આ અલ્પાયુષ્યપણું જાણવું. શંકા–આ કહેવું યોગ્ય નથી, કારણ કે સૂત્રને વિશેષણ નથી. ક્ષુલ્લકભવના ગ્રહણરૂપ અલ્પાયુષ્યને પણ પ્રાણાતિપાત વગેરે કારણથી ઘટમાન હોવાથી અર્થાત્ પ્રાણાતિપાત વગેરેથી અલ્પઆયુષ્ય બંધાય. આ કારણથી તમે કેમ કહો છો કે વિશેષણ સહિત પ્રાણાતિપાત વગેરેમાં વર્તનારો જીવ, આપેક્ષિક-અપેક્ષાવાળું અલ્પ આયુષ્યપણું બાંધે છે? સમાધાનસૂત્રને અવિશેષપણું હોવા છતાં પણ પ્રાણાતિપાત વગેરેને વિશેષણ અવશ્ય કહેવું જોઈએ, જે કારણથી આ સૂત્રથી ત્રીજા સૂત્રમાં પ્રાણાતિપાત વગેરેથી જ અશુભ દીર્ધાયુષ્યપણાએ કહેવામાં આવશે. સરખા હેતુથી કાર્યનું વિષમપણું ન ઘટી શકે, કારણ કે સર્વત્ર કંઈપણ કહી શકાશે નહિ–અવિશ્વાસ થવા પામશે. તથા–સમોવાસસ્સ મંતે તદારૂવં સમvi વા મહિvi વા અસુvi સિન્નેિ રસ-પVIखाइम-साइमेणं पडिलाभेमाणस्स किं कज्जइ? गोयमा! बहुतरिया से निज्जरा कज्जइ, अप्पतराए से पावे कम्मे વન્નડું' [માવતી ૮/૬/ર 7િ] હે ભગવન્! તથારૂપ શ્રમણ અથવા માહણને અપ્રાસુક અને અષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ આહારે કરી પ્રતિલાભનાર શ્રમણોપાસક વડે શું કરાય છે? હે ગૌતમ! બહુ જ નિર્જરા તેના વડે કરાય છે અને બહુ જ થોડું પાપ તેના વડે કરાય છે અર્થાત્ અતિશય નિર્જરા અને નજીવું પાપ કરે છે. આ પ્રમાણે ભગવતીસૂત્રના વચને શ્રવણથી ચોક્કસ થાય છે કે–આ ક્ષુલ્લકભવના ગ્રહણરૂપ અલ્પઆયુષ્યપણું નથી, સ્વલ્પ પાપ અને નિર્જરાના કારણભૂત અનુષ્ઠાન (આહારદાન)નું ફલ ક્ષુલ્લકભવ–ગ્રહણપણું સંભવતું નથી, કારણ કે જિનપૂજા વગેરે અનુષ્ઠાનને પણ તેવો પ્રસંગ આવશે અર્થાત્ કુલ્લકભવના ગ્રહણરૂપ પ્રસંગ આવશે. શંકા–અપ્રાસુક દાનનું ફળ તમે કહેલ (આપેક્ષિક) અલ્પઆયુષ્યપણું થાઓ, પણ પ્રાણાતિપાત અને મૃષાવાદનું તો ક્ષુલ્લકભવનું ગ્રહણરૂપ જ ફલ છે. સમાધાન–એમ નથી, કારણ કે એક કાર્યમાં પ્રવર્તવાપણું છે તેમજ અવિરુદ્ધપણું પણ છે. શંકા–મિથ્યાદૃષ્ટિ શ્રમણ અને બ્રાહ્મણોને જે અપ્રાસુક દાનથી અલ્પઆયુષ્યપણું નિરુપચરિત ઉપચાર વગરનું જ ઘટી શકે છે તો પ્રાણાતિપાત અને મૃષાવાદ માટે શો વિચાર કરવો? સમાધાન–એમ નહિં, ' તે સૂત્રમાં પ્રાસુક દાનના પણ અલ્પઆયુષ્યવાળા લપણાનો અવિરોધ હોવાથી 'પ્રાસુન’ વિશેષણનું નિરર્થકપણું થશે, અર્થાત્ મિથ્યાદૃષ્ટિભ્રમણાદિને પ્રાસુક અને અપ્રાસુક જે દાનતે સમાન ફળવાળું છે. ભગવતીજીમાં કહેવું છે કે_"સમોવાસયસ णं भंते! तहारूवं असंजतअविरयअपडिहयअपच्चक्खायपावकम्मं फासुएणं वा अफासुएण वा एसणिज्जेण वा अणेसणिज्नेण वा असण० ४ पडिलाभेमाणस्स किं कज्जइ?, गोयमा! एगंतसो पावे कम्मे कज्जइ, नो से काइ નિબ્બર M" [પાવતી ૮//૩] શ્રમણોપાસક વડે હે ભગવન્! તથારૂપ-અસંયત, અવિરત, અપ્રતિહત, અપ્રત્યાખ્યાન 173
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy