SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः १ योगस्वरूपम् १२४ सूत्रम् શરીરવાળા જીવનો વૈક્રિય અને આહારક શરીર કરવાના કાળમાં વૈક્રિય અને આહારક વડે મિશ્ર થાય છે. આવી રીતે ઔદારિકમિશ્ર થાય છે તથા વૈક્રિયમિશ્ર દેવાદિન ઉત્પત્તિકાલમાં કામણ વડે થાય છે અને કરેલ વૈક્રિયના ઔદારિકના પ્રવેશકાળમાં ઔદારિક સાથે મિશ્ર થાય છે. આહારકમિશ્ર તો આહારક શરીરનું પ્રયોજન સિદ્ધ કરેલ છે જેણે તે ફરીથી ઔદારિક શરીરના પ્રવેશકાલમાં ઔદારિક સાથે મિશ્ર થાય છે. કાશ્મણયોગ તો વિગ્રહ ગતિમાં અથવા કેવલિસમુદ્ધાતને વિષે છે. આ બધા યોગ પંદર પ્રકારે છે, એનો સંગ્રહसच्चं १ मोसं २ मीसं ३, असच्चमोसंमणो वती चेवं। काओ उराल १ विक्किय २, आहारग ३ मीस ६ कम्मइगो ७ ।।२२।। - સત્ય મનોયોગ, મૃષા મનોયોગ, મિશ્ર મનોયોગ અને અસત્યામૃષા મનોયોગ એ પ્રમાણે ચાર વચનયોગના અને ઔદારિક કાયયોગ, વૈક્રિયકાયયોગ, આહારક કાયયોગ, એ ત્રણના ત્રણ મિશ્રયોગ અને કાશ્મણ યોગ એ રીતે પંદર યોગ છે. (૨૨) સામાન્ય વડે યોગની પ્રરૂપણા કરીને વિશેષથી નારક વગેરે ચોવીશ પદો (દેડકો)માં યોગનો અતિદેશ કરતા કહે છે કે-'વ' fમત્યા૦િ સુગમ છે. વિશેષ કહે છે–અતિ પ્રસંગનો પરિહાર કરવા માટે આ કહ્યું છે–"વિત્તિવિવજ્ઞા' તિ તેમાં વિકલૈંદ્રિયો-પંચેંદ્રિય સિવાય (એકેંદ્રિયથી ચતુરિંદ્રિય સુધી) તેમાં એકેંદ્રિયોને કાયયોગ જ હોય છે. બે, ત્રણ અને ચાર ઇંદ્રિયવાળાને તો કાયયોગ અને વચનયોગ હોય, મન વગેરેના સંબંધ વડે જ આ કહે છે—'તિવિદે અમોને' રૂત્યાદિ સૂત્ર સુગમ છે. વિશેષ કહે છે–વ્યાપાર કરતા થકા મન વગેરેનું હેતુમાં કર્તારૂપ જીવ વડે જે પ્રયોજન તે પ્રયોગ, મનનો જે પ્રયોગ તે મનઃપ્રયોગ, એવી રીતે વચનપ્રયોગ અને કાયપ્રયોગ પણ જાણવો. ન'ત્યાદિ અતિદેશ સૂત્ર પૂર્વની માફક જાણવું. મન વગેરેના સંબંધ વડે જ બીજું આ કહે છે–'તિવિદેશન' રૂત્યા૦િ સુગમ છે, વિશેષ કહે છે—જે વડે કરાય છે તે કરણ-મનન (ચિંતન) વગેરે ક્રિયાઓને વિષે પ્રવર્તમાન આત્માના ઉપકરણભૂત, વળી તથારૂપ પરિણામવાળા પુદ્ગલનો સમૂહ એવો પણ તાત્પર્ય છે. ત્યાં મન એ જ કરણ મનકરણ, એવી રીતે વચનકરણ અને કાયકરણં પણ જાણવું. 'વ'મિત્કારિ૦, અતિદેશ સૂત્ર પૂર્વની માફક જાણવું. યોગ, પ્રયોગ અને કરણ શબ્દ સંબંધી જે મન વગેરે શબ્દ તે યોગ, પ્રયોગ અને કરણ સૂત્રોને વિષે અભિધા શક્તિ વડે-શબ્દભેદ વડે કહેલ છે. આ કારણથી અર્થભેદનો વિચાર કરવો નહિં. આ ત્રણેની પણ એક અર્થપણાએ આગમમાં બહુ જ પ્રવૃત્તિ દેખાય છે. તે આ પ્રમાણે—યોગ પંદર પ્રકારે છે. શતક (કર્મગ્રંથ) વગેરે શાસ્ત્રોમાં તેની વ્યાખ્યા કરેલ છે. પન્નવણાને વિષે તો એવી રીતે જ આ પ્રયોગ શબ્દ વડે કહેલ છે. તે આ પ્રમાણે –'તિવિદે મંતો પોતે પન્ન?? જોયમ! પન્નરસવિદે [પ્રજ્ઞાપના ૨૦૬૮] રૂત્યાદિ. વળી આવશ્યકમાં પણ આ જ કરણપરાએ કહેલ છે, તે આ પ્રમાણે– मुंजणकरणं तिविहं, मणवतिकाए य मणसि सच्चाई । सट्ठाणे तेसि भेओ, चउ चउहा सत्तहा चेव ।।२३।। [ગાવ.નિ. ૨૦૩૮ ત્તિ યંજન (યોજના) કરણ, મન, વચન અને કાયવિષયમાં ત્રણ પ્રકારે છે, મનને વિષે સત્યાદિ યુજનકરણ તે આ પ્રમાણેસત્ય મનયંજનકરણ, અસત્ય મનયંજનકરણ, સત્યાસત્ય મનયંજનકરણ અને અસત્યાગૃષા મુંજનકરણ. પોતપોતાના સ્થાનમાં પ્રત્યેક વાણી અને કાયરૂપ મુંજનકરણોના ચાર પ્રકાર અને સાત પ્રકાર છે. (૨૩) બીજી રીતે કરણના ત્રિવિધપણાને કહે છે–'તિવિદે'ત્યા૦િ આરંભવું તે આરંભ-પૃથિવી વગેરેનું ઉપમર્દન કરવું, અથવા આરંભ કરવો તે આરંભકરણ, એવી રીતે સંરંભ અને સમારંભ પણ કહેવા, વિશેષ કહે છે–સંરંભકરણ એટલે પૃથ્વી વગેરેને સંતાપ કરવો. ભાષ્યકાર કહે છે1. કર્મગ્રંથને મતે ઔદારિક શરીરવાળા જીવો, વૈક્રિય અને આહારકકરણકાલમાં જે ઔદારિકની સાથે મિશ્ર થાય છે તેને વક્રિયમિશ્ર અને આહારકમિશ્ર કહે છે. 170
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy