________________
३ स्थानकाध्ययने उद्देशः १ देवानाम् परिचारणावर्णनम् १२२ - १२३ सूत्रे श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ तिविहा परियारणा पन्नत्ता, तंजहा - एगे देवे अन्ने देवे अन्नेसिं देवाणं देवीओ अ अभिजुंजिय अभिजुंजिय परियारेति, अप्पणिज्जिआओ देवीओ अभिजुंजिय २ परियारेति, अप्पाणमेव अप्पणा विउव्विय २ परियारेति (१)। एगे देवे णो अन्ने देवे णो अण्णेसिं देवाणं देवीओ अभिजुंजिय २ परियारेति, अप्पणिज्जिआओ देवीओ अभिजुंजिय २ परियारे, अप्पाणमेव अप्पणा विउव्विय २ परियारेति (२) । एगे देवे णो अन्ने देवे णो अण्णेसिं देवाणं देवीओ णो अप्पणिज्जिताओ [देवीओ अभिजुंजिय २ परितारेति] अप्पाणमेव अप्पणा विउव्विय २ પરિતાતિ (૩) ।। સૂ૦ ૧૨૨।।
તિવિષે મેદુળે પત્તે, તન હા–બ્વેિ, માળુસ્સેત્તે, તિવિષ્ણુનોળીતે। તો મેદુળાōતિ તંનહા—લેવા, મનુસ્સા, તિવિશ્ર્વ ગોગિતા । તતો મેદુમાં સેવંતિ તંનહા-ફથી, પુરસા, નપુંસા II સૂ॰ ૧૨૩।।
(મૂળ) ત્રણ પ્રકારે પરિચારણા—દેવમૈથુનસેવા કહેલી છે, તે આ પ્રમાણે—કોઈ એક દેવ અલ્પઋદ્ધિક બીજા દેવોને તથા બીજા દેવો સંબંધી દેવીઓને આલિંગન કરી-કરીને ભોગવે છે, પોતાની દેવીઓને આલિંગન કરી-કરીને ભોગવે છે, પોતા વડે પોતાની વિકુર્વણા કરી–કરીને અર્થાત્ વિષય સેવવાને યોગ્ય શરીર કરીને પરચારણા કરે છે ૧, વળી કોઈક દેવ, અન્ય અલ્પઋદ્ધિક દેવોને અને અન્ય દેવોની દેવીઓને આલિંગન કરી-કરીને પરિચારણા કરતો નથી, પોતાની દેવીઓને આલિંગન કરી-કરીને પરિચારણા કરે છે, પોતા વડે પોતાની વિપુર્વણા કરી-કરીને ભોગવવા યોગ્ય શરીર કરીને પરિચારણા કરે છે ૨, તથા કોઈક દેવ, અન્ય દેવોને અને અન્ય દેવોની દેવીઓને આલિંગન કરી–કરીને પરિચારણા કરતો નથી, પોતાની દેવીઓને પણ આલિંગન કરીને પિરચારણા કરતો નથી, પોતા વડે પોતાની વિપુર્વણા કરી–કરીને પરિચારણા કરે છે. ત્રણ પ્રકારે મૈથુન કહેલ છે, તે આ પ્રમાણે—૧ દેવ સંબંધી, ૨ મનુષ્ય સંબંધી અને ૩ તિર્યંચ સંબંધી. ત્રણ મૈથુન વડે પ્રાપ્ત થાય છે, તે આ—૧ દેવો, ૨ મનુષ્યો અને ૩ તિર્યંચયોનિકો. ત્રણ મૈથુનને સેવે છે, તે આ—૧ સ્ત્રી, ૨ પુરુષ અને ૩ નપુંસક. II૧૨૨-૧૨૩ી
(ટી૦) 'તિવિહા પરી’ત્યાર્િ॰ સૂત્ર સુગમ છે, વિશેષ કહે છે કે—પરિચારણા—દેવ સંબંધી મૈથુનસેવા, કોઈ એક દેવ, એવી રીતે બધાય નહિં, 'ઞો રેવે' ત્તિ અલ્પ ઋદ્ધિવાળા અન્ય દેવોને તથા અન્ય દેવોને સ્વાધીન દેવીઓને અમિયુખ્ય અમિયુખ્યઆલિંગન કરી–કરીને અથવા વશ્ય કરીને વેદોદયની પીડાને ઉપશમ કરવા માટે પરિવારયતિ–ભોગવે છે. દેવને દેવસેવા-દેવ સાથે પચિા૨ણા પુરુષપણાએ સંભવે નહિ એવી આશંકા કરવી નહિ, કારણ કે મનુષ્યોમાં પણ તેવા પ્રકારનું સંભળાય છે અર્થાત્ પુરુષ, પુરુષ સાથે સૃષ્ટિવિરુદ્ધ વિષય ભોગવે છે. આ સંબંધમાં મનુષ્ય અને દેવમાં પ્રાયઃ વિશેષ ફરક નથી. દેવ અને દેવીઓનું અન્યપણું સમાન હોવાથી આ એક જ પ્રકાર છે, અને એ કારણથી જ બે પદમાં ક્રિયાનો સંબંધ એક છે. એવી રીતે પોતાની દેવીઓને ભોગવે છે, એ બીજો ભેદ તથા આત્માને (પોતાને) ભોગવે છે, કેવી રીતે? આત્મા (પોતા) વડે વિકુર્વણા કરી–કરીને પરિચારણા–વિષય ભોગવવાયોગ્ય (શરીરને) કરીને પરિચારણા કરે છે, આ ત્રીજો પ્રકાર છે. એવી રીતે ત્રણ પ્રકારરૂપ પણ આ એક પરિચારણા છે, કારણ કે ઉત્પન્ન થવાના સ્વભાવવિશિષ્ટ અતિશય કામરૂપ એક જ પરિચારકપરિચારણા કરાવનાર. હવે બીજો દેવ, પહેલા પ્રકારના ત્યાગપૂર્વક છેલ્લા બે પ્રકાર વડે પરિચારણા કરે છે તે બીજી જાણવી, કારણ કે વિશેષ નહિ ઉત્પન્ન થવાના સ્વભાવરૂપ યોગ્ય કામના પરિચારક દેવ વિશેષ હોય છે. તથા અન્ય દેવ, પહેલા બે પ્રકારના ત્યાગપૂર્વક છેલ્લા પ્રકાર વડે પરિચારણા કરે છે, એ ત્રીજી પરિચારણા જાણવી; કારણ કે અલ્પકામવાળા અને અલ્પઋદ્ધિવાળા દેવ વિશેષનો એ સ્વામી હોય છે. I૧૨૨॥
પરિચારણા–મૈથુનવિશેષ કહ્યો, હવે તે મૈથુનને જ સામાન્યથી પ્રરૂપણા કરતા થકા કહે છે—'તિવિષે મેદુપ્તે' ફત્યાિ સૂત્ર સુગમ છે. વિશેષ કહે છે—મિથુન–સ્ત્રી-પુરુષનું યુગલ, તે બન્નેનું કાર્ય તે મૈથુન. નારકોને મૈથુન દ્રવ્યથી સંભવતું નથી, આ
167