________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः १ विकुर्वणानारकवर्णनम् १२०-१२१ सूत्रे ભવધારણીય-મૂલ શરીર વડે અથવા ઔદારિક શરીર વડે જે અવગાહેલા ક્ષેત્રપ્રદેશો તેઓને વિષે જ જે વર્તે છે તે અત્યંતર પુદ્ગલો જાણવા. વિભૂષાપક્ષમાં તો ઘૂંકવું વગેરે અત્યંતર પુદ્ગલો જાણવા. ત્રીજું સૂત્ર તો બાહ્ય અને અત્યંતર પુદ્ગલોના યોગ વડે કહેવું, તે આ પ્રમાણે-બાહ્ય-અત્યંતર પુદ્ગલોનું ગ્રહણ કરવાથી ભવધારણીય શરીરની રચના કરવી, ત્યારબાદ ભવધારણીય શરીરનું જ કેશ વગેરેનું રચવું થાય છે, અને નહિ ગ્રહણ કરવાથી ઘણા વખતથી વિકવણા કરાયેલ શરીરનાં જ મુખ વગેરેનું વિકૃતિ-વિકાર કરવારૂપ, ઉભયથી તો (ગ્રહણ કરીને પણ અને ગ્રહણ ન કરીને પણ) અનિષ્ટ બાહ્ય-અત્યંતર પુદ્ગલોનું ગ્રહણ કરવાથી અને ઈષ્ટ બાહ્ય-અત્યંતર પુલોનું ગ્રહણ ન કરવાથી ભવધારણીય શરીરથી જુદું અનિષ્ટરૂપ રચવું. ૧૨૦ll.
હમણાં જ વિદુર્વણા કહી, તે નૈરયિકોને પણ છે તેથી નારકોનું નિરૂપણ કરતા થકા કહે છે–તિવિદે ત્યવિ સુગમ છે, વિશેષ કહે છે–સંખ્યાને કહેનાર ઋતિ' એ શબ્દ વડે બે, ત્રણ વગેરે સંખ્યાવાળા કહેવાય છે. આ “કતિ’ શબ્દ બીજે સ્થળે પ્રશ્નવિશિષ્ટ સંખ્યાના વાચકપણાથી રૂઢ-નિશ્ચિત છે તો પણ અહિં સંખ્યામાત્રમાં જ જાણવો. સંખ્યામાત્ર અર્થમાં નારકો. કતિકેટલી સંખ્યાવાળા સંખ્યાતા, જે એક એક સમયમાં ઉત્પન્ન થયા થકા સંવિતા –કેટલાએક ઉત્પત્તિની સમાનતાથી બુદ્ધિ વડે. એકત્રિત કરેલા તે કતિસંચિતો ૧, તથા ન ઋતિ–સંખ્યાતા નહિં તે અકતિ એટલે અસંખ્યાતા અથવા અનંતા, તેમાં જે અકતિ-અકતિ સંખ્યાતા અસંખ્યાતા એક એક સમયમાં ઉત્પન્ન થયા થકા તેવી જ રીતે સંચિતો એકત્ર કરેલા તે ર ૨, તથા જે પરિણામવિશેષ કતિ–સંખ્યાત અને અકતિ-અસંખ્યાત કે અનંત એમ નિર્ણય કરવાનું શક્ય નથી તે અવક્તવ્યક, તે એક એવી રીતે એક વડે જે સંચિતો–એકત્ર કરાયેલા તે અવક્તવ્યકસંચિતો ૩, સમય સમયમાં એકપણાએ ઉત્પન્ન થયેલ તેનો અર્થ નારકો એવો સમજવો. એક સમયમાં એક, બે વગેરે અસંખ્યાત પર્યત જ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે–
एगो व दो व तिनि व, संखमसंखा व एगसमएणं । उववज्जंतेवइया, उव्वटुंता वि एमेव ॥१२॥ [बृहत्सं० १५६]
પ્રત્યેક ભવનવાસી વગેરે દેવોને વિષે એક એક સમયમાં જઘન્યથી એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અથવા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે, એવી રીતે એટલા જ ચ્યવે છે. (૧૨
આ દેવનું પરિમાણ છે, એટલું જ પરિમાણ નારકોનું પણ જાણવું. જે કારણથી કહેવું છે કે–"Hવા પુખ સુરવરતુન્ત''ત્તિ (નારકોની) સંખ્યા પણ સુરવર (દેવ)ની સરખી છે. દંડકમાં કહેલા અસુરાદિનો કતિસંચિત વગેરે અર્થને અતિદેશ કરતાં થકા કહે છે_*q'નિત્યાદ્રિ પવમિતિ નારકની જેમ ચોવીશ દંડકમાં કહેલા શેષ દંડકો, એકેંદ્રિય વર્જીને કહેવા; કારણ કે એકેંદ્રિયોને વિષે પ્રતિસમયે અકતિ શબ્દ વડે કહેવા યોગ્ય અસંખ્યાતા અથવા અનંતા જ ઉત્પન્ન થાય છે, એક અથવા સંખ્યાતા ઉત્પન્ન થતા નથી. કહ્યું પણ છે કેअणुसमयमसंखेज्जा, संखेज्जाऊय-तिरिय-मणुया य । एगिदिएसु गच्छे, आरा ईसाणदेवा य ॥१३॥ [बृहत्सं० ३३५]
એકેંદ્રિયોને વિષે પ્રતિસમયે અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે, તે સંખ્યાત આયુષ્યવાળા તિર્યંચો, મનુષ્યો, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને પહેલા બે દેવલોક પર્યન્તના દેવો તેમાં (એકેંદ્રિયને વિષે) જાય છે. (૧૩)
(અથવા એકેંદ્રિયોને વિષે અનંત જીવો પણ ઉત્પન્ન થાય છે) તે કહે છે – एगो असंखभागो, वट्टइ उव्वट्टणोववायंमि । एगनिगोए निच्चं, एवं सेसेसु वि स एव ॥१४॥ [बृहत्सं० ३३५ प्रक्षेप०त्ति]
એક અસંખ્યાતમો ભાગ, એક નિગોદમાં ઉદ્વર્તન અને ઉપપાત વર્તે છે અર્થાત્ સમય સમયને વિષે એક નિગોદનો અનંતજીવાત્મક એક અસંખ્યાતમો ભાગ પ્રતિસમયે નિગોદથી નીકળે છે અને ફરી તેમાં ઉત્પન્ન થાય છે. એવી રીતે શેષ બધા નિગોદને વિષે પણ જાણવું. (૧૪) I/૧૨૧||
હમણાં કહેલ સૂત્રમાં વૈમાનિક દેવોનો કતિસંચિતાદિક ધર્મ કહ્યો, હવે સામાન્ય વડે દેવોના પરિચારણા ધર્મનું નિરૂપણ કરવા માટે કહે છે
166