________________
३ स्थानकाध्ययने उद्देशः १ जीवस्य धर्मान् ११९ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
મંગલ પદાર્થના જાણનારનો (નિર્જીવ) દેહ, અથવા ભવ્યનો–ભવિષ્યમાં જાણનારનો સજીવ દેહ, તે નોઆગમથી દ્રવ્યમંગલ છે, જે કારણથી આગમ (જ્ઞાન) રહિત છે. (૭)
જ્ઞેશરી૨ અને ભવ્યશરીરથી વ્યતિરિક્ત (ભિન્ન) દ્રવ્યદ્ર, આગમથી ઉપયોગ રહિત દ્રવેંદ્રની માફક ભાવેંદ્રના કાર્યો (ક્રિયાઓ) ને વિષે અવ્યાવૃત-પ્રવૃત્તિ રહિત, તથા અતીતકાલમાં (થયેલ) ભાવેંદ્રના પરિણામ (પરંતુ વર્તમાનક્ષણમાં તેવા પરિણામથી શૂન્ય) એવું જેનું શરીર અથવા આત્મદ્રવ્ય તે તદુભયવ્યતિરિક્તદ્રયેંદ્ર, જ્ઞશરીરદ્રયેંદ્રની માફક જાણવું. વળી જે ભવિષ્યમાં ઇંદ્રપર્યાયને યોગ્ય પુદ્ગલની રાશિ, અને જે ભવિષ્યમાં ઇંદ્રપર્યાયને પ્રાપ્ત થનાર જે આત્મદ્રવ્ય, તે તદુભયવ્યતિરિક્તદ્રવ્યદ્ર, ભવ્યશીરદ્રયેંદ્રની માફક જાણવું. તે ભાવીંદ્રપર્યાય યોગ્ય દ્રવ્યંદ્ર, અવસ્થાના ભેદથી ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે—૧ એકભવિક, ૨ બદ્ઘાયુષ્ક અને ૩ અભિમુખનામગોત્રરૂપ. તેમાં એક તે જ ભવ અતિક્રાંત–ગયે છતે ભવિષ્યમાં થનાર જે તે એકભવિક, અર્થાત્ જે અનંતર ભવમાં જ ઇંદ્રપણાએ ઉત્પન્ન થશે તે, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ પર્યંતના આયુવાળા હોય છે. દેવકુરુ વગેરેના યુગલિકને ભવનપતિ વગેરેના ઇંદ્રપણાએ ઉત્પન્ન થવાનો સંભવ છે. વળી એકભવિક જ, ઇંદ્રના આયુષ્યને બાંધ્યા પછી, અમુક આયુષ્ય બાંધ્યું માટે વદ્ધાયુઃ કહેવાય છે. કારણ કે આગળ આ કાલ વિશેષથી (વધારે કાલ પર્યન્ત) આયુષ્યના બંધનો અભાવ હોવાથી તે ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વના ત્રીજા ભાગ પર્યંત હોય છે. અભિમુà—સન્મુખમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પછી ભાવીપણાએ ઇંદ્ર સંબંધી નામ અને ગોત્ર છે જેને તે અભિમુખનામગોત્રરૂપ તથા ભાવઐશ્વર્યયુક્ત તીર્થંકરાદિભાવેંદ્રની અપેક્ષાએ, અપ્રધાનપણાથી શક્ર વગેરે (ઇંદ્રો) પણ દ્રવ્યદ્ર જ છે. દ્રવ્ય શબ્દની અપ્રધાન અર્થમાં પણ પ્રવૃત્તિ છે. ભાવેંદ્ર તો અહિં ત્રણ સ્થાનકના અનુરોધથી કહેલ નથી. તેનું લક્ષણ આભાવઐશ્વર્યની ક્રિયાના અનુભવલક્ષણના પરિણામને આશ્રયીને અથવા ઐશ્વર્યના પરિણામ વડે ઇંદ્ર થાય છે તે ભાવ અને ભાવ એવો જે ઇંદ્ર તે ભાવેંદ્ર.
યવાહ—
"भावो विवक्षितक्रियाऽ-नुभूतियुक्तो हि वै समाख्यातः । सर्वज्ञैरिंद्रादिवदिहेन्दनादि-क्रियानुभवात् ॥८॥” વિવક્ષિત ક્રિયાની અનુભૂતિ યુક્ત સર્વજ્ઞો વડે તે ભાવ કહેલ છે..જેમ ઐશ્વર્ય આદિ ક્રિયાની અનુભૂતિથી ઈન્દ્ર એ ભાવેન્દ્ર કહેવાય છે. (૮)
તે ભાવેંદ્ર બે પ્રકારે છે–આગમથી અને નોઆગમથી. તેમાં આગમથી ઇંદ્ર શબ્દના જ્ઞાનના ઉપયોગ સહિત જે જીવ તે ભાવેંદ્ર. પ્રશ્ન—ઇંદ્રના ઉપયોગ માત્રથી ભાજેંદ્રમયપણું કેમ જણાય છે? કારણ કે અગ્નિના જ્ઞાનના ઉપયોગવાળો માણવક અગ્નિ ન કહેવાય કેમ કે માણવકમાં દહન (બાળવું), પચન (પકાવવું) અને પ્રકાશ વગેરે અર્થક્રિયાના સાધકપણાનો અભાવ હોય છે. ઉત્તર—એમ કહેવું યોગ્ય નથી, કારણ કે અભિપ્રાય (આશય) ને નહિ જાણવાથી સંવિતા, જ્ઞાન, અવગમ અને ભાવ એ બધા ય અનર્થાન્તર–એકાર્થવાચક છે. તેમાં ''અભિધાનપ્રત્યયાસ્તુત્યનામથૈયા'' કૃતિ॰ અર્થને કહેનારા પ્રત્યયો તુલ્યનામવાળા છે. આ કારણથી સર્વદર્શનવાળાઓને વિસંવાદનું સ્થાન નથી અર્થાત્ સર્વને સમ્મત્ત છે. જેમ જોડ્યું?–આ શું છે? ષટઃ-ઘડો છે, વિમયમાહ?–આ શું કહે છે? ષટશાં,—ઘટ શબ્દને, મિસ્ય જ્ઞાનં? આ ઘટ શબ્દનું શું જ્ઞાન? ષટ કૃતિ-ઘડો છે. અગ્નિ એ જે જ્ઞાન, તેનો જ્ઞાતા—જાણનાર અભિન્ન છે. તે જ્ઞાતાનું અગ્નિના ઉપયોગરૂપ લક્ષણ ગ્રહણ કરાય છે. અન્યથા-જ્ઞાન ને જ્ઞાતા
દા । માનો તો અગ્નિનું જ્ઞાન છતે પણ જ્ઞાતા નહિ જાણી શકે, કારણ કે હાથમાં દીવાવાળા આંધળાની જેમ અથવા બીજા પુરુષની જેમ તન્મયપણું નથી. (વળી જ્ઞાન, જ્ઞાતાથી જો ભિન્ન હોય તો) આત્માને બંધ વિગેરેનો અભાવ થાય. જ્ઞાન, અનાકાર નહિં કહેવાય, કારણ કે અન્ય પદાર્થની જેમ વિવક્ષિત પદાર્થને જાણવાના અભાવનો પ્રસંગ હોય છે. (વળી જ્ઞાન, જ્ઞાતાથી જો ભિન્ન હોય તો) જેમ જ્ઞાન, અજ્ઞાન, સુખ અને દુઃખ વગેરે પરિણામથી ભિન્ન હોવાથી જેમ આકાશને બંધ વગેરે થતા નથી તેમ ૧. આયુષ્યનો બંધ વર્તમાન ભવના ત્રીજા ભાગે પડે છે તેથી આગળ આયુષ્યનો બંધ પડે નહિ. ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રોડપૂર્વનું હોય, તેથી વિશેષ “આયુષ્યવાળા મનુષ્ય તિર્યંચો નિરુપક્રમ આયુષ્યવાળા યુગલિક હોય છે, તેના આયુષ્યનો બંધ છ માસ શેષ આયુષ્ય હોય ત્યારે પડે છે.
163