SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः १ जीवस्य धर्मान् ११९ सूत्रम् તથા— प्पहत्थी हथि त्ति, एस सब्भाविया भवे ठवणा । होइ असब्भावे पुण, हत्थि त्ति निरागिई अक्खो ||३|| श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ [આવ.નિ. ૨૪૪૭] લેખ (ની સ્થાપનામાં જે સ્થપાય છે તે)નો હસ્તી તે હાથી, આ સદ્ભાવવાળી સ્થાપના હોય છે. વળી અસદ્ભાવ હાથીની સ્થાપનામાં હાથીના આકાર રહિત જે અક્ષ તે અસદ્ભાવસ્થાપના. (૩) તથા દ્રવ્રુત્તિ-૫ઘ્ધતિ-તે તે પર્યાયોને પ્રાપ્ત થાય છે, અથવા તે તે પર્યાયો વડે પ્રાપ્ત થવાય છે, અથવા દ્રોઃ–સત્તાના અવયવ કે વિકાર, અથવા વર્ણ વગેરે ગુણોનો દ્રાવ–સમૂહ તે દ્રવ્ય, તે ભૂતપર્યાય અને ભાવિભાવપર્યાયને યોગ્ય હોય તે દ્રવ્ય. કહ્યું છે કે— दव १ दुय २, दोरवयवो विगारो ३ गुणाण संद्रावो ४ । दव्वं भव्वं भावस्स, भूयभावं च जं जोग्गं ॥ ४ ॥ [ वि. आ०२८ ] જે દ્રવે છે તે તે પર્યાયોને પામે છે, અથવા સ્વપર્યાયોથી પમાય છે તે, તથા સત્તાના અવયવ અથવા વિકાર તેમજ ગુણનો સમુદાય અને ભાવિભાવ (પર્યાય) તથા ભૂતભાવ (પર્યાય) યોગ્ય જે હોય તે દ્રવ્ય કહેવાય છે. (૪) भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके । तद् द्रव्यं तत्त्वज्ञैः सचेतनाचेतनं गदितम् ॥५॥ ઘીનો ઘડો ખાલી છતાં પણ ઘીનો જ ઘડો કહેવાય છે તે ભૂતપર્યાય અને રાજકુમાર જે ભવિષ્યમાં રાજા થનાર છે તે ભાવિપર્યાય. લોકમાં જે કહેવાય છે તે તત્ત્વના જાણનારાઓએ સચેતન અથવા અચેતન વસ્તુને દ્રવ્ય કહેલ છે. (૫) તથા ‘ઉપયોગ રહિત અને અપ્રધાન તે દ્રવ્ય' તેમાં દ્રવ્ય એવો જે ઇંદ્ર તે દ્રવ્યંદ્ર, તે બે પ્રકારે છે–આગમથી અને નોઆગમથી. તેમાં આગમથી—આગમને ચોક્કસ સ્વીકારીને, જ્ઞાનની અપેક્ષાએ એ અર્થ છે. નોઆગમથી તો આગમને ચોક્કસ નહિં સ્વીકારીને તેમાં આગમથી ઇંદ્ર શબ્દનો જાણનાર પણ ઉપયોગ રહિત વક્તા તે દ્રવ્યદ્ર, 'અનુપયોગો દ્રવ્ય'[અનુયોગ સૂo૪]—ઉપયોગ રહિત તે દ્રવ્ય, આ વચન હોવાથી એ જ અર્થ મંગલ આશ્રયીને ભાષ્યમાં કહેલ છે, તે આ પ્રમાણે— आगमओऽणुवउत्तो, मंगलसद्दाणुवासिओ वत्ता । तन्नाणलद्धिजुत्तो वि, गोवउत्तो त्ति तो दव्वं ।। ६ ।। [विशेषा० २९ ति] મંગલ શબ્દના સંસ્કારને પામેલ એવો અનુપયોગી વક્તા (આત્મા) તેના અર્થજ્ઞાનની લબ્ધિયુક્ત છતાં પણ ઉપયોગ રહિત હોવાથી તે આગમથી દ્રવ્યમંગલ છે. (૬) નોઆગમથી ત્રણ પ્રકારે દ્રવ્યંદ્ર છે, તે આ પ્રમાણે-૧ જ્ઞશરીરદ્રયેંદ્ર, ૨ ભવ્યશ૨ી૨દ્રયેંદ્ર અને ૩ જ્ઞશરીરભવ્યશીરવ્યતિરિક્તદ્રવ્યદ્ર. તેમાં જાણનાર (વ્યક્તિ)નું શરીર તે જ્ઞશરીર, શશ૨ી૨જ દ્રવ્યદ્ર તે જ્ઞશરીર દ્રવ્યદ્ર, એનો ભાવાર્થ આ પ્રમાણે છે—ઇંદ્ર પદાર્થના જાણનારનું જીવ રહિત જે શરીર તે અતીતકાલમાં (જે શરીર વડે) અનુભવેલ પદાર્થના જ્ઞાનની અનુવૃત્તિ વડે જે શિલાદિ ઉપર અનશન કરીને જે મુનિ સિદ્ધ થાય છે તે સિદ્ધશિલા કહેવાય છે, તે ઉ૫૨ રહેલ–સિદ્ધ થયેલ મુનિનું શરીર પણ ધૃતઘટાદિન્યાય વડે નોઆગમથી (શશ૨ી૨) દ્રવ્યદ્ર કહેવાય છે, કારણ કે શરીરને ઇંદ્ર શબ્દના જ્ઞાનનું કારણપણું હોય છે અને ઇંદ્રના જ્ઞાનનું શૂન્યપણું હોય છે. નોઆગમ શબ્દમાં ‘નો’ શબ્દ સર્વથા નિષેધવાચક છે, તથા ભવ્યયોગ્ય, જે ઇંદ્ર શબ્દના અર્થને વર્તમાનમાં જ્યાં સુધી નથી જાણતો પરંતુ ભવિષ્યમાં જાણશે તે ભવ્ય, તેનું શરીર તે ભવ્યશરીર તે જ દ્રવ્યદ્ર અર્થાત્ ભવ્યશરીરદ્રયેંદ્ર. અહિં ભાવાર્થ આ પ્રમાણે છે—ભવિષ્ય સંબંધી વૃત્તિને સ્વીકારીને ઇંદ્ર (શબ્દાર્થ)ના ઉપયોગનું આધા૨પણું હોવાથી મધુઘટ અર્થાત્ વર્તમાનમાં ઘડો ખાલી છતાં ભવિષ્યમાં મધ ભરવામાં આવશે તે મધુનો ઘડો કહેવાય છે ઇત્યાદિ ન્યાય વડે જ જે બાલાદિ અવસ્થા સહિત શરીર તે ભવ્યશ૨ી૨દ્રયેંદ્ર. ‘નો’ શબ્દનો અર્થ પૂર્વની જેમ જાણવો. મંગળને સ્વીકારીને ભાષ્યમાં કહ્યું છે કે— मंगलपयत्थजाणयदेहो भव्वस्स वा सजीवो वि [त्ति ] | णोआगमओ दव्वं, आगमरहिओ त्ति जं भणितं ॥७॥ [विशेषावश्यक० ४४ ति] 162
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy