________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ २ स्थानकाध्ययने उद्देशः ४ देवस्थिति-कल्पस्त्री-देवलेश्या - परिचारकेत्यादिवर्णनम् ११३ - ११८ सूत्राणि વિમાનોના દેવોને પરિચારણા (વિષયસેવના) નથી. (૧૦૮)
આ પરિચારણા કર્મથી થાય છે, અને કર્મ તો જીવો, સ્વહેતુ–મિથ્યાત્વાદિ વડે ત્રણ કાલમાં પણ ચયનાદિ અવસ્થાને કરે છે. આ હેતુથી કહે છે—'નીવાળ' મિત્યાદ્રિ છ સૂત્ર સુગમ છે, વિશેષ કહે છે કે—(TM ં વાક્યના અલંકારમાં છે) ત્રસકાય અને સ્થાવરકાયરૂપ બે સ્થાનનો જે સમાહાર (એકત્ર થવું) તે દ્વિસ્થાન, તેમાં મિથ્યાત્વાદિ વડે જે પુગલો સામાન્યથી ઉપાર્જેલા, આગળ કહેવામાં આવનાર છ અવસ્થા યોગ્ય કરેલા, અથવા બે સ્થાન (ત્રસ અને સ્થાવરકાય)માં ભોગવવું છે જેઓનું તે દ્વિસ્થાનનિવૃત્તિક એવા કર્મવર્ગણાના પુદ્ગલોને પાપકર્મ-ઘાતીકર્મ અથવા જ્ઞાનાવરણાદિ સર્વકર્મ, તેના ભાવપણાએ અર્થાત્ પાપકર્મપણાએતદ્રુપપણાએ અતીતકાલમાં ગ્રહણ કર્યાં, વર્તમાનકાલમાં ગ્રહણ કરે છે અને ભવિષ્યકાલમાં કેટલાએક1 (કર્મપુદ્ગલો) ગ્રહણ કરશે એમ જણાય છે. કષાય વગેરેથી પરિણત જીવને જે કર્મપુદ્ગલનું ઉપાદાન–ગ્રહણ માત્ર તે ‘ચયન’ જાણવું ૧, ‘ઉપચયન’ તો ગ્રહણ કરેલ કર્મનાં અબાધાકાલ (જ્યાં સુધી ઉદયમાં ન આવે તે)ને છોડીને જ્ઞાનાવરણીયાદિ કર્મપણાએ નિષેક (કર્મદલિકની રચનાવિશેષ), તે આ રીતે-પ્રથમની સ્થિતિમાં અતિઘણા કર્મદલિકની રચના કરે છે, ત્યારપછી બીજી સ્થિતિમાં વિશેષહીન નિષેક કરે છે, 'નાવુક્ષોસિયા વિસેસહીનું શિસિંઘ' યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિમાં વિશેષહીન નિષેક કરે છે ૨, ‘બંધન’ તો જ્ઞાનાવરણીયાદિ કર્મપણાએ રચના કરાયેલ નિષેકને જ ફરીથી પણ કષાયની પરિણતિવિશેષથી નિકાચિત (દૃઢ બંધન) રૂપ જાણવું ૩, ‘ઉદીરણા’ તો ઉદયને પ્રાપ્ત ન થયેલ કર્મને કરણ (જીવ વીર્ય) વડે ખેંચીને ઉદયમાં લાવવું તે ૪, ‘વેદન’–અનુભવ અર્થાત્ કર્મનું ભોગવવું પ, ‘નિર્જરા-કર્મનું અકર્મપણું થવું અર્થાત્ કર્મના નાશરૂપ ૬, કર્મ તો પુદ્ગલાત્મક છે, માટે પુદ્ગલોને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ વડે બે સ્થાનકમાં અવતા૨વા વડે નિરૂપણ કરતા થકા કહે છે— 'સુપરસી' ત્યાદ્િ॰ ત્રેવીશ સૂત્ર સુગમ છે. વિશેષ કહે છે કે—યાવત્ શબ્દથી 'ડુસમયદ્ધિ' ત્યા॰િ એકવીશ સૂત્રો કહેવા, તે આ પ્રમાણે—એક કાલસૂત્ર, પાંચ વર્ણસૂત્ર, બે ગંધસૂત્ર, પાંચ રસસૂત્ર અને આઠ સ્પર્શસૂત્ર. વાચના આ પ્રમાણે—'ડુસમયદિયા પોતે' ત્યારિ. ૧૧૭-૧૧૮|
II બીજા સ્થાનકના ચોથા ઉદ્દેશાની ટીકાનો અનુવાદ સમાપ્ત II
II ઇતિ શ્રીમદ્ અભયદેવસૂરિવિરચિત ઠાણાંગ સૂત્રનું બીજું સ્થાનક સમાપ્ત II
1. જે ત૨તમાં મોક્ષે જનારા જીવો, ભવિષ્યમાં કર્મપુદ્ગલોને ગ્રહણ ન કરે, આ કારણથી ટીકામાં 'òત્રિવિતિ ગમ્યતે' એવા શબ્દો મૂકયા
છે.
સમકિતાદિ ભાવોમાં આત્માનું આવવું–જવું એને આકર્ષ કહે છે. નિમિત્ત કારણ મળેલ આત્મા સમકિતના પરિણામમાં આવી, નિમિત્ત કારણ થોડા વખતમાં મળ્યું આત્મા મિથ્યાત્વના પરિણામમાં આવે એને એક આકર્ષ કહેવાય છે. એ આકર્ષ એક ભવમાં તથા ભવચક્રમાં અધિકથી અધિક નીચેના પ્રકારે આવે જાય છે.
♦ શ્રુત સામાયિક, સમ્યક્ત્વ સામાયિક, દેશવિરતિ સામાયિક આ ત્રણેના એક ભવમાં બે હજારથી નવ હજાર આકર્ષ થઈ શકે છે. તથા સર્વવિરતિ ચારિત્ર સામાયિકના એક ભવમાં બસોથી નવસો આકર્ષ ‘શત પૃથક્ત્વ’ થઈ શકે છે. ભવચક્ર/સંસારમાં બધા જીવોમાં.અર્ધપુદ્ગલ પરાવર્તકાળમાં શ્રુત સામાયિક, સમ્યક્ત્વ સામાયિક, દેશવિરતિ સામાયિક, અસંખ્યાતા હજાર પૃથક્ત્વ અને સર્વવિરતિ સામાયિકના બે હજારથી નવ હજાર ‘સહસ્ત્ર પૃથ’ આકર્ષ હોઈ શકે છે. (આવશ્યક ચૂર્ણિ પ્રવચન સારોદ્વાર દ્વાર ૧૨૨)
એટલીવાર સમકિતથી મિથ્યાત્વમાં અને મિથ્યાત્વથી સમકિતમાં આવે—જાય છે. સાધુપણાથી નીચે આવી જાય છે. ફરીથી સાધુપણામાં આવી જાય છે.
160