________________
२ स्थानकाध्ययने उद्देशः ४ देवस्थिति-कल्पस्त्री-देवलेश्या-परिचारकेत्यादिवर्णनम् ११३-११८ सूत्राणि श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ दस भवणवणयराणं, वाससहस्सा ठिई जहन्नेणं । पलिओवममुक्कोसं, वंतरियाणं वियाणिज्जा ॥१७४।।
ભવનપતિ અને વ્યંતરદેવોની જઘન્યથી દશ હજાર વર્ષની સ્થિતિ છે અને વ્યંતરોની ઉત્કૃષ્ટથી એક પલ્યોપમની સ્થિતિ જાણવી. (૧૭૪)
શેષ સુગમ છે. વિશેષ કહે છે—સૌધર્માદિ દેવલોકોમાં નીચે પ્રમાણે સ્થિતિ છે– दो १ साहि २ सत्त ३ साहीय ४, दस ५ चोइस ६ सत्तरेव ७ अयराइं । सोहम्मा जा सुक्को, तदुवरि एक्केकमारोवे ॥१७५।।
વૃિદલં ૨ ]િ. સૌધર્મ દેવલોકથી યાવત્ સાતમા મહાશુક્ર દેવલોક પર્યત ક્રમશઃ બે સાગર ૧, કંઈક અધિક બે સાગર ૨, સાત સાગર ૩, સાત સાગર ઝાઝેરી ૪, દશ સાગર ૫, ચૌદ સાગર ૬, સત્તર સાગર ૭, ની સ્થિતિ છે. તદુપરાંત એકેક સાગરોપમની વૃદ્ધિ કરવી. (૧૭૫)
અર્થાત્ આઠમે દેવલોકે અઢાર સાગરોપમ એમ યાવત્ નવમે રૈવેયકે એકત્રીશ સાગરોપમની સ્થિતિ કહેલી છે. ચાર અનુત્તર વિમાનમાં ઉત્કૃષ્ટથી તેત્રીશ અને સર્વાર્થસિદ્ધમાં તો તેત્રીશ જ સાગરોપમની સ્થિતિ છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલી છે. જઘન્ય સ્થિતિ તોपलियं १ अहियं २ दो सार, ३ साहिया ४ सत्त ५ दस य ६ चोद्दस७ य । सत्तस्स सहस्सारे, तदुवरि एक्केक्कमारोवे ॥१७६।।
દિનં ૬૪ તા. પહેલે દેવલોકે એક પલ્યોપમ, બીજે એક પલ્યોપમ ઝાઝેરી, ત્રીજે બે સાગરોપમ, ચોથે બે સાગરોપમ ઝાઝેરી, પાંચમે સાત સાગરોપમ, છટ્ટે દશ સાગરોપમ, સાતમે ચૌદ સાગરોપમ, આઠમા સહસ્ત્રાર દેવલોકે સત્તર સાગરોપમની જઘન્ય સ્થિતિ છે, તેની ઉપર અનુક્રમે એક એક સાગરોપમની વૃદ્ધિ કરવી. (૧૭૬)
અર્થાત્ નવમે દેવલોકે અઢાર એમ યથાવત્ નવમે રૈવેયકે ત્રીશ સાગરોપમ અને ચાર અનુત્તર વિમાનમાં એકત્રીશ. સાગરોપમની જઘન્ય સ્થિતિ છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં જઘન્ય સ્થિતિ નથી. દેવલોકના પ્રસ્તાવથી સ્ત્રી વગેરે દ્વાર વડે દેવલોકનું બે સ્થાનકમાં સાત સૂત્રો વડે અવતરણ કરે છે કે–તોનું રૂલ્યારિ૦ બે દેવલોકની સ્ત્રીઓ તે કલ્પસ્ત્રીઓ અર્થાત્ દેવીઓ. તેની ઉપર દેવીઓ નથી. બીજું સુગમ છે. વિશેષ એ કે– તેડનેસ'ત્તિ તેજોરૂપ લેશ્યા છે જેઓને તે તેજોવેશ્યાવાળા દિવો] તો સૌધર્મ અને ઈશાન દેવલોકમાં જ છે, તેની ઉપર નથી. કહ્યું છે કેकिण्हा नीला काऊ, तेऊलेसा य भवण-वंतरिया । जोइस सोहम्मीसाणे, तेऊ लेसा मुणेयव्वा ॥१७७॥ [बृहत्सं० १९३]
ભવનપતિ અને વ્યંતરદેવ કૃષ્ણ, નીલ, કાપોત અને તેજોલેશ્યાવાળા છે તથા જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાન દેવલોકના દેવો એક તેજોવેશ્યાવાળા જાણવા. (૧૭૭) ' 'જયપરિવાર'ત્તિ પરિવરતિ–સ્ત્રીને સેવે (ભોગવે) તે પરિચારકો. જે કાય વડે પરિચારકો તે કાયપરિચારકો, એવી રીતે આગળના પરિચારકોના સંબંધમાં પણ જાણી લેવું. વિશેષ એ કે–સ્પશદિ પરિચારકો અંગમાત્રના સ્પર્શ વગેરેથી જવેદના (ઉપતાપ)ની શાંતિવાળા થાય છે. આનત વગેરે (નવમાથી બારમા પર્વત) ચાર દેવલોકને વિષે દેવો મન:પરિચારકોમનથી વિષય સેવનારા હોય છે. આ કથનમાં બે સ્થાનના અનુરોધથી રો ફંદા' એમ કહેલું છે, કારણ કે આનતાદિ ચાર દેવલોકમાં ઇદ્રો તો બે જ છે. આ સંબંધમાં કહ્યું છે કે
दो कायप्पवियारा, कप्पा फरिसेण दोन्नि दो रूवे । सद्दे दो चउर मणे, उवरि परियारणा नत्थि ॥१७८॥
પ્રથમના બે દેવલોકના દેવો કાયાથી વિષય સેવનારા, ત્રીજા તથા ચોથાના સ્પર્શથી, પાંચમા તથા છઠ્ઠાના રૂપથી, સાતમા તથા આઠમાના શબ્દથી અને બાકીના ચાર દેવલોકના દેવો મનથી વિષયસેવનારા હોય છે. નવ ગ્રેવેયક અને અનુત્તર
- 159