SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ २ स्थानकाध्ययने उद्देशः ४ देवस्थिति-कल्पस्त्री-देवलेश्या-परिचारकेत्यादिवर्णनम् ११३-११८ सूत्राणि दुपएसिता खंधा अणंता पन्नत्ता। दुपदेसोगाढा पोग्गला अणंता पन्नत्ता। एवं जाव दुगुणलुक्खा पोग्गला अणंता પન્ના | સૂ૦ ૨૨૮ દ્રાવ: વતુર્થ જુદા તમત્ત . (મૂળ) અસુરેદ્ર ચમરેંદ્ર અને બલીંદ્રને વર્જીને શેષ ભવનપતિના દેવોની દેશે ઊણી બે પલ્યોપમની સ્થિતિ કહેલી છે. સૌધર્મ દેવલોકમાં દેવોની ઉત્કૃષ્ટથી બે સાગરોપમની સ્થિતિ કહેલી છે. ઈશાન દેવલોકમાં દેવોની ઉત્કૃષ્ટ બે સાગરોપમ ઝાઝેરી (કાંઈક અધિક) સ્થિતિ કહેલી છે. સનસ્કુમાર દેવલોકમાં દેવોની જઘન્યથી બે સાગરોપમની સ્થિતિ કહેલી છે. માહેંદ્ર દેવલોકમાં દેવોની જઘન્યથી કાંઈક અધિક બે સાગરોપમની સ્થિતિ કહેલી છે. બે દેવલોકને વિષે કલ્પસ્ત્રીઓ (દેવાંગનાઓ) કહેલી છે, તે આ પ્રમાણે—સૌધર્મ અને ઈશાનમાં. બે દેવલોકને વિષે દેવો તેજોલેશ્યાવાળા કહેલા છે, તે આ પ્રમાણે—સૌધર્મ અને ઈશાન દેવલોકમાં. બે દેવલોકને વિષે દેવો કાયપરિચારકો કહેલા છે (સ્ત્રીને શરીરથી ભોગવે તે), તે આ પ્રમાણે સૌધર્મ અને ઈશાન દેવલોકમાં. બે દેવલોકને વિષે દેવો સ્પર્શપરિચારકો કહેલા છે (આલિંગન વગેરેથી સ્ત્રીને ભોગવનારા છે તે), તે આ પ્રમાણે—સનકુમાર અને માહેંદ્ર દેવલોકમાં. બે દેવલોકને વિષે દેવો રૂપપરિચારકો કહેલા છે, તે આ પ્રમાણે—બ્રહ્મલોક અને લાંતકદેવલોકમાં. બે દેવલોકને વિષે દેવો શબ્દપરિચારકો કહેલા છે, તે આ પ્રમાણે—મહાશુક્ર અને સહસાર દેવલોકમાં. બે ઈદ્રો મનપરિચારકો કહેલા છે, તે આ પ્રમાણે– પ્રાણતંદ્ર અને અય્યદ્ર, જીવોએ બે સ્થાનમાં સામાન્યથી ઉપાર્જિત પુદ્ગલોને પાપકર્મપણાએ ગ્રહણ કર્યા, ગ્રહણ કરે છે અને ગ્રહણ કરશે. તે આ પ્રમાણે–ત્રસકાયમાં ઉપાર્જેલા અને સ્થાવરકાયમાં ઉપાર્જેલા, એવી રીતે કર્મનો અબાધાકાલ છોડીને કર્મલિકોની ગોઠવણ કરેલ છે, કરે છે અને કરશે, તે કર્મનું બંધન કષાયથી નિકાચિત કર્યું છે, કરે છે અને કરશે. તે કર્મની ઉદીરણા કરી છે, કરે છે અને કરશે, તે કર્મને ભોગવ્યા છે, ભોગવે છે અને ભોગવશે, તે કર્મની નિર્જરા (નાશ) કરેલ છે, કરે છે અને કરશે. બે પ્રદેશવાળા સ્કંધો અનતા છે, જે બે આકાશપ્રદેશને અવગાહીને રહેલા તે દ્વિપદેશાવગાઢ પુદ્ગલો અનંતા કહેલ છે, એવી રીતે યાવત્ દ્વિગુણ લૂખા પુદ્ગલો અનંતા કહેલ છે. ll૧૧૩ ૧૧૮ (ટી0) મસુરે'ત્યાદ્રિ અસુરકુમારના ચમર અને બલી નામના બે ઇંદ્રને છોડીને (તથા તેના સામાનિકને પણ છોડીને, સૂત્રમાં ઇંદ્ર શબ્દના ગ્રહણ વડે ઇંદ્રના સામાનિકોનું પણ ગ્રહણ કરી લેવું, કારણ કે જો તેમને માનીએ તો સામાનિકપણે જ તેઓનું નહિં થાય. શેષ ત્રાયશ્ચિંશક વગેરે અસુરકુમારોને પણ છોડીને)' બાકીના નાગકુમારાદિ નવ નિકાયના દેવોની ઉત્કર્ષથી કિંચિત્ જૂન બે પલ્યોપમની સ્થિતિ કહેલી છે. કહેવું છે કેचमर १ बलि २ सारमहियं, सेसाण सुराण आउयं वोच्छं । दाहिणदिवड्डपलियं, दो देसूणुत्तरिल्लाणं ॥१७३।। - વૃિદë પતિ]. દક્ષિણ દિશાના અસુરપતિ ચમરેંદ્રની સ્થિતિ એક સાગરોપમની છે અને ઉત્તર દિશાના અસુરપતિ બલીંદ્રની સ્થિતિ કંઈક અધિક એક સાગરોપમની છે, બાકીના દેવોના આયુષ્ય સંબંધે જાણવું કે–દક્ષિણ દિશાના નવ નિકાયના દેવોનું આયુષ્ય દોઢ પલ્યોપમનું છે અને ઉત્તર દિશાના નવ નિકાયના દેવોનું આયુષ્ય દેશે ઊણા બે પલ્યોપમનું છે. (૧૭૩) | ઉત્કૃષ્ટથી જ આ કહેલું છે, જઘન્યથી તો દશ હજાર વર્ષની (બધા ભવનપતિઓની) સ્થિતિ છે. કહ્યું છે કે1. तद्वर्जितानामन्येषां (तद्वर्जितानां तदन्येषां) भवनवासिनां देवानामित्यसुरेन्द्रवर्जनाद् नागकुमारादीन्द्राणामित्यर्थः, उत्कर्षतो द्वे पल्योपमेपा-खं । तद्वर्जितानां तत्सामानिकवर्जितानां च सूत्रे इन्द्रग्रहणेन सामानिकानामपि ग्रहणाद् अन्यथा सामानिकत्वमेव तेषां न स्यादिति, शेषाणांत्रायस्त्रिंशादीनामसुराणांतदन्येषां भवनवासिनां देवानामिति असुरेन्द्रवर्जनाद् नागकुमारादीन्द्राणामित्यर्थः उत्कर्षतो द्वे पल्योपमे ને-૨)- શ્રી નંÇવિનયની સં. ૨૭૦ પત્રે. 158
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy