SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ २ स्थानकाध्ययने उद्देशः ४ अष्टकर्मस्य द्विविधत्वम् १०५ सूत्रम् તથા જે વેદાય છે, અનુભવાય છે તે વેદનીય કર્મ, સાતા-સુખ, જે સુખરૂપપણાએ વેદાય છે તે સાતવેદનીય. અહિં દીર્ઘપણું પ્રાકૃતશૈલીથી જાણવું. જે દુઃખરૂપે વેદાય છે તે અસતાવેદનીય કર્મ. કહ્યું છે કેमहुलित्तनिसियकरवालधार जीहाए जारिसं लिहणं । तारिसयं वेयणियं, सुहदुहउप्पायगं मुणह ॥१६५।। [प्रथमकर्म० २८ इति] જેમ મધુથી ચોપડેલી તીણ તરવારની ધારાનું જીભ વડે જે ચાટવું તે સમાન સુખ અને દુઃખનું ઉત્પાદક વેદનીય કર્મ જાણવું (૧૬૫) (૩). જે મૂંઝવે–ભાન ભૂલાવે તે મોહનીય કર્મ, તે આ પ્રમાણે जह मज्जपाणमूढो, लोए पुरिसो परव्वसो होइ । तह मोहेण वि मूढो, जीवो उ परव्वसो होइ ॥१६६।। [પ્રથમ ૨૪ તિ] લોકમાં મદ્યપાન વડે મૂઢ થયેલ મનુષ્ય જેમ પરતંત્ર થાય છે તેમ મોહનીય કર્મ વડે પણ મુંઝાયેલ જીવ પરતંત્ર થાય છે. (૧૬૬) દર્શનનું ભાન ભૂલાવે તે દર્શનમોહનીય. તેના ત્રણ પ્રકાર છે–૧ મિથ્યાત્વમોહનીય, ૨ મિશ્રમોહનીય અને ૩ સમ્યકત્વમોહનીય. અને સામાયિકાદિ ચારિત્રનું જે ભાન ભૂલાવે તે ૧૬ કષાય અને ૯નોકષાય ભેદરૂપ ચારિત્રમોહનીય કર્મ છે (૪). ગતિને જે પ્રાપ્ત કરાવે છે તે આયુષ્ય, તેનું સ્વરૂપ કહે છે– दुक्खं न देइ आउं, नविय सुहं देइ चउसु विगईसुं। दुक्खसुहाणाहारं, धरेइ देहट्ठियं जीयं ॥१६७॥ प्रथमकर्म०६३ इति] ચાર ગતિને વિષે જીવોને આયુષ્યકર્મ દુઃખ આપતું નથી તેમ સુખ આપતું નથી, પણ દુઃખ-સુખના આધારભૂત દેહમાં રહેલ જીવને ધારણ કરે છે (હેડની સમાન છે). (૧૬૭). અદ્ધાયુક્ત કાયસ્થિતિરૂપ (મનુષ્યતિર્યંચને) છે. ભાવના તો પૂર્વની માફક જાણવી. ભવાયુ તો ભવસ્થિતિરૂપ છે (૫). જે જીવને વિચિત્ર પર્યાયો વડે નમાવે છે–પરિણામ પમાડે છે તે નામકર્મ, તેનું સ્વરૂપ કહે છે. जह चित्तयरो निउणो, अणेगरूवाइं कुणइ रूवाइं । सोहणमसोहणाइं, चोक्खइचोक्खेहिं वन्नेहिं ॥१६८।। तह नाम पि हु कम्मं, अणेगरूवाइं कुणइ जीवस्स । सोहणमसोहणाई, इट्याणिवाइं लोयस्स ॥१६९।। (युग्मम्) , [પ્રથમ ૬૭-૬૮] જેમ હુંશિયાર ચિત્રકાર, નિર્મલ અને અનિર્મલ (નીલપીતાદિ) વર્ણો વડે સારા અને નઠારા અનેક પ્રકારના રૂપોને કરે ચિત્ર છે, (હવે એનો ઉપાય બતાવે છે-) તેમનામકર્મ પણ લોકમાં સારા અને નઠારા અને ઇષ્ટ-અનિષ્ટ અનેક પ્રકારે જીવના રૂપોને કરે છે. (૧૬૮-૧૬૯) શુભ-તીર્થંકરાદિ (સાડત્રીશ નામકર્મની પુન્યપ્રકૃતિઓ) અને અનાદય-જેનું વચન ગ્રાહ્ય ન થાય વગેરે (ચોત્રીશ નામકર્મની પાપપ્રકૃતિઓ) અશુભ છે (૬). આ પૂજ્ય છે, આ અપૂજ્ય છે, ઈત્યાદિ કથનરૂપ –વાણીને ત્રાયતે–રક્ષા કરે છે તે ગોત્રકમ તેનું સ્વરૂપ કહે છેजह कुंभारो भंडाई, कुणई पुज्जेयराइं लोयस्स । इय गोयं कुणइ जियं, लोए पुज्जेयरावत्थं ॥१७०।। લોકને પૂજ્ય (શુભ) વૃતકુંભાદિ અને અપૂજ્ય (અશુભ) મદિરાના ઘડા વગેરે વાસણોને જેમ કુંભાર કરે છે-ઘડે છે તેમ 1. મધુથી ખરડાયેલ તરવારની ધારાને ચાટવાથી સુખ ઉત્પન્ન થાય છે અને તરવારની ધારા વડે જીભ કપાવાથી દુઃખ થાય છે. 2. સુખ દુઃખનું જે દેવું તે વેદનીય કર્મનું સામર્થ્ય છે. આયુષ્ય કર્મ તો જીવને દેહમાં રોકી રાખે છે. 3. બંધની અપેક્ષાએ નામકર્મની ૬૭ પ્રકૃતિઓ છે. વદિ ચતુષ્ક, શુભ અશુભ નામકર્મ ગણતા ૭૧ થાય છે. 154.
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy