________________
२ स्थानकाध्ययने उद्देशः ४ अष्टकर्मस्य द्विविधत्वम् १०५ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ सरउग्गयससिनिम्मलयरस्स जीवस्स छायणं जमिह । नाणावरणं कम्मं, पडोवमं होइ एवं तु ।। १५९ ।।
[પ્રથમમ્° ૨૦] શરદપૂનમના ઊગેલા ચંદ્રની જેમ અતિશય નિર્મલ જીવના જ્ઞાનગુણને આચ્છાદન કરનાર કર્મ જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે અને તે ચક્ષુને પાટાની જેમ છે. (૧૫૯)
આ ગાથામાં 'વ' વક્ષ્યમાણ રીતિ વડે અને 'તુ' પુનરર્થમાં છે. જ્ઞાનનો જે દેશ–મતિજ્ઞાનાદિ ચારને જે આવરણ કરે છે તે દેશજ્ઞાનાવરણીય અને સર્વ–કેવલજ્ઞાનને જે આવરણ કરે છે તે સર્વજ્ઞાનાવરણીય. કેવલજ્ઞાનાવરણીય તો સૂર્ય સમાન કેવલજ્ઞાનસ્વરૂપ જીવને આચ્છાદકપણાએ જે અત્યંત ઘન-વાદળાના સમૂહ તુલ્ય તે સર્વજ્ઞાનાવરણ અને મતિજ્ઞાન વગેરેનું આવરણ તો વાદળા વડે અત્યંત ઢંકાયેલ સૂર્યની અલ્પ પ્રભાસમાન કેવલજ્ઞાનના દેશને કટકુટ્યાદિ ઘાસની સાદડીના ઘર આદિરૂપ જે આવરણ તુલ્ય તે દેશજ્ઞાનાવરણીય છે. કહેવાય છે કે—
केवलणाणावरणं १, दंसण छक्कं च मोहबारसगं । ता सव्वघाइसन्ना, भवंति मिच्छत्तवीसइमं ॥ १६० ॥
[વન્ધશ॰ ૭૬ તિ] એક કેવલજ્ઞાનાવરણીય, દર્શનાવરણીયની છ (પાંચ નિદ્રા અને એક કેવલદર્શનાવરણીય) પ્રકૃતિ, મોહનીયની બાર (અનંતાનુબંધીચતુષ્ક, અપ્રત્યાખાનીચંતુષ્ક અને પ્રત્યાખ્યાનીચતુષ્ક) પ્રકૃતિ અને મિથ્યાત્વમોહનીય. આ વીશ પ્રકૃતિ જે છે તે સર્વઘાતી સંજ્ઞાવાળી છે. (૧૬૦)
અથવા દેશથી ઉપઘાત કરનાર અને સર્વથી ઉપઘાત કરનાર ફડ્ડકોની અપેક્ષાએ જ્ઞાનને દેશથી અને સર્વથી આવ૨ણપણું
છે.
मतिसुयणाणावरणं, दंसणमोहं च तदुवघाईणि । तप्फड्डगाई दुविहाई, देससव्वोवघाईणि ।। १६१ ।। सव्वेसु सव्वधाइसु, हएसु देसोवघाइयाणं च । भागेहिं मुच्चमाणो, समए समए अणंतेहिं ।।१६२।। पढमं लहइ नगारं, एक्केक्कं वन्नमेवमन्नं पि । कमसो विसुज्झमाणो, लहइ समत्तं नमोक्कारं ।।१६३ ।। [વિશેષાવશ્ય૦ ૨૮-૬૬-૬૭]
મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ અને દર્શનમોહ—આ ત્રણ પ્રકૃતિઓ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને સમ્યક્ત્વ ગુણને આવરણ કરે છે. તે પ્રકૃતિઓના સ્પર્ધકો, દેશથી ઘાતક? અને સર્વથી ઘાતક છે. સર્વથી ઘાતક (દર્શનમોહનીયના) સર્વ સ્પર્ધકો ક્ષયોપશમભાવને પ્રાપ્ત થયે છતે અને મતિશ્રુતજ્ઞાનાવરણના દેશથી ઘાતક સ્પર્ધકોના અનંત ભાગોથી સમયે સમયે મૂકાતો થકો અર્થાત્ ક્ષયોપશમ કરતો થકો જીવ પ્રથમ નમો અરિહંતાણં આ શબ્દના એક નકાર અક્ષરનો લાભ મેળવે છે. પછી ક્રમશઃ એકૈક બીજા અક્ષરને પણ મેળવે છે, અને વિશેષ શુદ્ધ થયો થકો સંપૂર્ણ નમસ્કાર પદને મેળવે છે (૧૬૧-૧૬૩), તથા દર્શન–સામાન્ય અર્થના બોધને આવરણ કરે છે તે દર્શનાવરણીય. કહ્યું છે કે—
दंसणसीले जीवे, दंसणघायं करेइ जं कम्मं । तं पडिहारसमाणं, दंसणावरणं भवे जीवे ॥ १६४ ॥ । [ प्रथमकर्म० १९ त्ति ]
દર્શન સ્વભાવવાળા જીવના દર્શનનો ઘાત કરનાર જે કર્મ તે પ્રતીહારી સમાન (દરવાન–પહેરેદાર જેવો) દર્શનાવરણીય, જીવના દર્શન ગુણને અટકાવે છે. (૧૬૪)
'વું ચેવ'ત્તિ॰ દેશદર્શનાવરણીય કર્મ, તે ચક્ષુઃદર્શનાવરણીય, અચક્ષુઃદર્શનાવરણીય, અવધિદર્શનાવરણીય અને સર્વદર્શનાવરણીયકર્મ તો પાંચ પ્રકારની નિદ્રા અને કેવલદર્શનાવરણીય એમ છ ભેદથી છે. ભાવના તો પૂર્વની માફક જાણવી (૨).
1. કર્મના તીવ્રરસ અને મંદરસવાળા પુદ્ગલોનો સમુદાય.
2. મતિાનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીયના સ્પર્ધકો દેશઘાતી છે અને દર્શનમોહનીયના સ્પર્ધકો સર્વઘાતી છે.
153