SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ २ स्थानकाध्ययने उद्देशः ४ क्रोधादेरात्मस्थतादिसिद्धत्वादि १००-१०१ सूत्रे એક સૂક્ષ્મવ્યવહારિક પલ્યોપમ કહેવાય છે. 'પCTIV' (ત્રીજી ગાથા) ઉપર જણાવેલ સ્વરૂપવાળા સૂક્ષ્મ અને બાદર દશ કોડાકોડી પલ્યોપમે જે કાળ થાય અર્થાત્ દશ કોટાકોટી પલ્યોપમે એક સૂક્ષ્મરૂપ અથવા બાદરૂપ સાગરોપમનું પરિમાણ થાય. ૯૯ો. આ પલ્યોપમ અને સાગરોપમ વડે ક્રોધાદિના લભૂત કર્મની સ્થિતિ વર્ણવાય છે તેથી ક્રોધાદિના સ્વરૂપના નિરૂપણને માટે હવે કહે છે– दुविहे कोहे पन्नत्ते, तंजहा-आयपइद्विते चेव परपइटिए चेव, एवं नेरइयाणं जाव वेमाणियाणं, एवं जाव मिच्छादसणसल्ले ।। सू० १०० ।। दुविहा संसारसमावन्नगा जीवा पन्नत्ता, तंजहा–तसा चेव थावरा चेव। दुविहा सव्वजीवा पन्नत्ता, तंजहा-सिद्धा चेव असिद्धा चेव। दुविहा सव्वजीवा पण्णत्ता, तंजहा-सइंदिया चेव अणिंदिया चेव, एवं एसा गाहा फासेतव्वा जाव ससरीरी चेव असरीरी चेवસિદ્ધ-સર્ફ-ચિ-S, નોને વેર સાથે તેના યા જુવો આહાર, માતા- િવ તીર'III. I સૂ૦ ૧૦૭ / (મૂળ) બે પ્રકારે ક્રોધ કહેલ છે, તે આ પ્રમાણે–આત્મપ્રતિષ્ઠિત અને પરપ્રતિષ્ઠિત. એવી રીતે નૈરયિકથી માંડી યાવતું વૈમાનિક પર્યત ચોવીશ દંડકમાં બે પ્રકારે ક્રોધ છે. એવી રીતે માન વગેરે યાવતું મિથ્યાદર્શનશલ્ય પણ બે પ્રકારે છે. બે પ્રકારે સંસારસમાપક જીવો કહેલા છે, તે આ પ્રમાણે–ત્રસ અને સ્થાવર, બે પ્રકારે સર્વ જીવો કહેલા છે, તે આ . પ્રમાણે–સિદ્ધ અને અસિદ્ધ બે પ્રકારે સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે–સેન્દ્રિય (ઇંદ્રિય સહિત) અને અનિંદ્રિય, (ઇંદ્રિય રહિત). એવી રીતે સિદ્ધાદિસૂત્રના ક્રમથી આ ગાથાને અનુસાર યાવતું શરીર સહિત અને શરીરરહિત ૧ સિદ્ધ, ૨ સેન્દ્રિય, ૩ કાય, ૪ યોગ, ૫ વેદ, ૬ કષાય, ૭ વેશ્યા, ૮ જ્ઞાન, ૯ ઉપયોગ, ૧૦ આહારક, ૧૧ ભાષક, ૧૨ ચરમ, ૧૩ સશરીરી આ તેર દ્વારા કહેવા. ll૧૦૦-૧૦૧/. (ટીવ) પોતાના અપરાધથી ઐહિક એટલે આ લોક સંબંધી અપાય-નુકશાન દેખવાથી આત્માને વિષે પ્રતિતિ-પોતાથી થયેલો અથવા પોતાના વડે બીજાને વિષે આક્રોશ કરવા વડે થયેલો તે આત્મપ્રતિષ્ઠિત અને બીજાએ કરેલ આક્રોશ વગેરેથી પ્રતિષ્ઠિત ઉદયમાં આવેલો, અથવા બીજાને વિષે થયેલો તે પરપ્રતિષ્ઠિત. એ પ્રમાણે જેવી રીતે સામાન્યથી બે પ્રકારે ક્રોધ કહ્યો તેવી રીતે નારકાદિ ચોવીશ દંડકોમાં બે પ્રકારે કહેવો. વિશેષ એ કે–પૃથિવી વગેરે અસંજ્ઞીઓને જણાવેલ લક્ષણરૂપ આત્મપ્રતિષ્ઠિતત્વાદિ, પૂર્વભવના સંસ્કારથી થયેલ ક્રોધ જાણવો. એમ જ માન વગેરેથી આરંભીને મિથ્યાત્વશલ્ય પર્યત પાપસ્થાનકો આત્મ અને પરપ્રતિષ્ઠિત વિશેષણવાળા સામાન્યપદપૂર્વક ચોવીશ દંડક વડે કહેવા. આ હેતુથી જ કહે છે–'પર્વ નાવ નિછાવંસનસન્ત' ત્તિ એ માન વગેરેના સ્વવિકલ્પથી ઉત્પન્ન થયેલ અને બીજાથી ઉત્પન્ન થવા વડે અથવા પોતાના આત્મવર્તી અને પરાત્મવર્તીથી સ્વ અને પરપ્રતિષ્ઠિતપણે જાણી લેવું. એવી રીતે પાપસ્થાનકોને આશ્રયીને તેર દંડકો છે.' ઉક્ત વિશેષણોવાળા પાપસ્થાનકો સંસારી જીવોને જ હોય છે માટે તે સંસારી જીવોનો ભેદ કહે છે. 'વિદે' ઇત્યાદિ સુગમ છે. શંકા–શું સંસારી જ જીવો છે કે બીજા પણ જીવો છે? ઉત્તર-સિદ્ધના જીવો છે (૧), માટે પ્રાયઃ ઉભય બતાવવા માટે તેર સૂત્રો કહે છે–વિદા સર્વો’ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે—ઇંદ્રિય સહિત સંસારી જીવો છે અને અનિંદ્રિય, અપર્યાપ્તકર, કેવલી 1. ક્રોધથી મિથ્યાત્વશલ્ય સુધી તેર દડક થાય છે. 2. ઇંદ્રિય પર્યાતિથી અપર્યાપ્તા. 3. કેવલીને દ્રવ્યેદ્રિયો હોય છે પણ ભાવઇંદ્રિયોનો અભાવ હોવાથી અનિંદ્રિય કહેલ છે. 144.
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy