SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ २ स्थानकाध्ययने उद्देशः ४ अद्धास्वरूपम् ९९ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ક્ષેત્રભેદથી ત્રણ પ્રકારે છે. વળી એકએકના સંવ્યવહાર અને સૂક્ષ્મ ભેદથી બે પ્રકાર છે. તેમાં સંવ્યવહારપલ્યોપમ–એક યોજનના લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈવાળા પલ્યને મુંડન1 પછી એકથી સાત અહોરાત્ર પર્યંતના ઊગેલા વાલાગ્રોથી (ઠાંસી ઠાંસીને) ભરીને પ્રતિસમયમાં વાલાગ્રને કાઢતે છતે જેટલા કાળ વડે તે પાલો ખાલી થાય તે કાળ સંવ્યવહારઉદ્ધારપલ્યોપમ કહેવાય છે. તેવા દશ કોડાકોડી વ્યવહારિકપલ્યોપમનું એક વ્યવહારિકઉદ્ધારસાગરોપમ કહેવાય છે. તે વાલાગ્રના જ દૃષ્ટિગોચર અતિ સૂક્ષ્મ દ્રવ્યના અસંખ્યાત ભાગ માત્ર સૂક્ષ્મ પનક (નિગોદિયા જીવ)ની અવગાહનાથી અસંખ્યાત ગુણરૂપ અવગાહનાવાળા ખંડો કરીને ભરેલ પલ્ય (પાલો) સમયે સમયે એક એક વાલાગ્રના અપહાર (કાઢવા) વડે જેટલા કાળે ખાલી થાય તેટલા કાળે સૂક્ષ્મઉદ્ધારપલ્યોપમ થાય છે. તેવા દશ કોડાકોડી સૂક્ષ્મઉદ્ધાર પલ્યોપમ વડે સૂક્ષ્મઉદ્ધારસાગરોપમ થાય છે. આ સૂક્ષ્મઉદ્ધાર સાગરોપમ વડે દ્વીપ અને સમુદ્રોની પરિસંખ્યા-ગણત્રી કરાય છે. કહ્યું છે કે— उद्धारसागराणं, अड्ढाइज्जाण जत्तिया समया । दुगुणाद्गुणपवित्थर, दीवोदहि रज्जु एवइया ।।१२७।। [ગૃહક્ષેત્ર॰ ૨/૩ કૃતિ] અઢી ઉદ્ધારસાગરોપમના જેટલા સમયો છે તેટલા દ્વીપ અને સમુદ્રો છે. તે અનુક્રમે એક એકથી બમણા બમણા વિસ્તારવાળા છે. વળી તે સર્વ દ્વીપ તથા સમુદ્રોનું પ્રમાણ મળીને એક રાજ થાય છે. (૧૨૭) અદ્ધાપલ્યોપમ અને સાગરોપમમાં પણ સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ છે. વિશેષ એ કે–સો સો વર્ષે પૂર્વોક્ત વાલાગ્રને કાઢવાથી બાદરઅદ્ધા અને તે વાલાગ્રના અસંખ્યાત ખંડને સો સો વર્ષે કાઢવાથી સૂક્ષ્મઅદ્વાપલ્યોપમ અને સાગરોપમ પૂર્વોક્ત રીતે થાય છે. આ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ અને સાગરોપમ વડે ના૨કાદિની સ્થિતિ—આયુષ્યનું માન કરાય છે. ક્ષેત્રપલ્યોપમ અને સાગરોપમના પણ એવી રીતે સૂક્ષ્મ અને બાદર બે ભેદ છે. વિશેષ એ કે-પૂર્વોક્ત રીતે વાલાગ્રને ભરીને તેને સ્પર્શીને રહેલા આકાશપ્રદેશોને પ્રતિસમયે અપહાર કરતાં જેટલા કાળે તે પલ્ય ખાલી થાય તેટલા કાળને વ્યવહારિક (બાદ૨) ક્ષેત્રપલ્યોપમ કહેવાય છે અને તે વાલાગ્રના અસંખ્યાત ખંડ વડે તે પલ્યને ભરીને તેને સ્પર્શીને રહેલા અને અસ્પૃષ્ટ (નહિ ફરસેલા) આકાશપ્રદેશોને પ્રતિ સમયે અપહાર કરતાં જેટલા કાળે તે પલ્ય ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ કહેવાય છે. તેમ સાગરોપમ પણ જાણી લેવું. આ ક્ષેત્રપલ્યોપમાદિની પ્રરૂપણા માત્ર વિષયમાં જ છે. આ ક્ષેત્રપલ્યોપમ અને સાગરોપમનો દૃષ્ટિવાદમાં સ્પષ્ટ અને અસ્પૃષ્ટ પ્રદેશના વિભાગ વડે દ્રવ્યના માનમાં પ્રયોજન છે એમ સંભળાય છે. ત્રણ પ્રકારનો બાદ૨ ભેદ પ્રરૂપણા માત્ર છે. તે કારણથી આ પ્રકરણમાં ઉદ્ધાર અને ક્ષેત્ર ઔપમિકનું નિરુપયોગીપણું હોવાથી અને અદ્ધોપમિકનું જ ઉપયોગીપણું હોવાથી અહ્વા એવું વિશેષણ સૂત્રમાં કહેલું છે. આ હેતુથી જ અદ્ધાપલ્યોપમના સ્વરૂપને કહેવાની ઇચ્છા વડે સૂત્રકાર કહે છે 'સે વિ ત'મિત્કાર્િ॰ હવે તે પલ્યોપમ શું છે? જે અદ્ધાની ઉપમા વડે કહેલ છે. આ પ્રશ્નનો અનુવાદ વડે આ ઉત્તર કહે છે. 'પત્તિઓવનેત્તિ॰ પલ્યોપમ આવી રીતે થાય છે. આ શેષ વાક્ય છે 'નં નોયા' (પેલી ગાથા) નિશ્ચય જે યોજન વિસ્તીર્ણ છે તે ઉપલક્ષણથી સર્વથી યોજનપ્રમાણ પલ્ય અર્થાત્ ધાન્યનું સ્થાનવિશેષ છે. જે એક દિવસનું જ હોય તે એકાહિક, એકાહિક વડે જે ઊગેલા અર્થાત્ વધેલા એટલે કે મસ્તકનું મુંડન કર્યા પછી એક દિવસ વડે જેટલા હોય તેટલા, અને એના ઉપલક્ષણથી ઉત્કર્ષથી સાત દિવસના ઊગેલા વાલાગ્રોના કોટ્યો–વિભાગો. સૂક્ષ્મપલ્યોપમની અપેક્ષાએ અસંખ્યાત ખંડીવાળા અને બાદર પલ્યોપમની અપેક્ષાએ તો કોચ–સંખ્યાવિશેષો, તે વાલાગ્નોનું શું થાય? 'રિત' ભરેલો, કેવી રીતે? તે કહે છે. 'નિરંતર' નિચિત-નિવિડપણાએ એકત્ર કરેલો. 'વાસસ' (બીજી ગાથા) આ કહેલ પલ્યમાંથી સો સો વર્ષે અર્થાત્ દરેક એક સો વર્ષે એક એક વાલાગ્રના અસંખ્યાત ખંડને બહાર કાઢવાથી જેટલા કાળે તે પલ્ય ખાલી થાય તેટલા પ્રમાણવાળો કાળ જાણવો, કેમ? કહે છે–૩૫મા–ઉપમા યોગ્ય, કોને? તે કહે છે—એક પલ્યને. આ પ્રમાણે પલ્ય ખાલી થતાં જે કાળ થાય તે 1. ઉત્તરકુરુક્ષેત્રના યુગલીઆના વાલાન્ગ્રો લેવા એમ જંબૂટ્ટીપપન્નતિમાં કહેલ છે. ગ્રન્થાંતરમાં સામાન્ય વાલાગ્ર શબ્દ છે અને ક્ષેત્ર સમાસમાં વાલાગ્રના ખંડ કરવા એમ પણ કહેલું છે. 143
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy