SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ २ स्थानकाध्ययने उद्देशः ४ क्रोधादेरात्मस्थतादिसिद्धत्वादि १०० - १०१ सूत्रे श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ તથા સિદ્ધો છે (૨), 'વં સ'ત્તિ એવી રીતે સિદ્ધાદિ સૂત્રોક્ત ક્રમ વડે 'વિહા સવ્વનીને' ત્યાદ્રિ લક્ષણ વડે આ કહેવાતી પ્રસ્તુત સૂત્રની સંગ્રહગાથા અનુસરવા યોગ્ય છે. આ ગાથાના અનુસારે જ તેર સૂત્રો પણ કહેવા. આથી જ કહે છે. 'નાવ સસરીરી નેવ અસરીરી જેવ'ત્તિા 'સિદ્ધ' હા॰ સિદ્ધો અને ઇંદ્રિય સહિત, ઇતર સહિત (સંસારી અને અનિંદ્રિય) કહેવાય. છ્યું 'જા' ત્તિ॰ હ્રાયાઃ–પૃથિવી વગેરે કાય, તેને આશ્રયીને સર્વે જીવો વિપર્યય સહિત કહેવા. એવી રીતે સર્વે પદો કહેવા. વાચના તો આ પ્રમાણે—'સાયન્તેવ અાયન્નેવ' સાયાઃ—પૃથિવી વગેરે છ પ્રકારની કાયવિશિષ્ટ સંસારી જીવો અને માયાઃ—તેથી જુદા ! જીવો (૩), સયોઃ—યોગ સહિત સંસારી જીવો, ગોઃ—અયોગીગુણઠાણાવાળા અને સિદ્ધો (૪), 'વેલે ́ત્તિ વેદ સહિત સંસારી જીવો અને અવેવાઃ—અનિવૃત્તિબાદરસંપરાય વિશેષ વગે૨ે છ ગુણઠાણવાળા અને સિદ્ધો (૫), 'સાય'ત્તિ॰ કષાયવાળાસૂક્ષ્મસંપરાય (દશમા) ગુણઠાણા પર્યંતના જીવો અને અપાયાઃ—ઉપશાંતમોહ વગેરે ચાર ગુણઠાણાવાળા તથા સિદ્ધો (૬), 'તેસાય'ત્તિ॰ સપ્તેશ્યાઃ—સયોગી ગુણઠાણા પર્યંત સંસારી જીવો અને ઞપ્તેશ્યાઃ—લેશ્યા રહિત અયોગી તથા સિદ્ધો (૭), 'નાળે'ત્તિ॰ જ્ઞાનીઓ–સમ્યગ્દૃષ્ટિ જીવો અને અજ્ઞાનીઓ-મિથ્યાદૃષ્ટિ જીવો. કહ્યું છે કે— अविसेसिया मइ च्चिय, सम्माद्दिट्ठिस्स सा मइन्नाणं । मइअन्नाणं मिच्छादिट्ठिस्स सुयंपि एमेव ॥ १२८ ॥ [विशेषावश्यक० ११४ त्ति ] અવિશેષિત (સામાન્યપણે) મતિ જ છે તે મતિ સમ્યગ્દૃષ્ટિને મતિજ્ઞાન અને મિથ્યાદૃષ્ટિને મતિઅજ્ઞાન કહેવાય છે. એ જ પ્રમાણે અવિશેષિત શ્રુત જ છે તે સમ્યગ્દૃષ્ટિને શ્રુતજ્ઞાન તથા મિથ્યાદૃષ્ટિને શ્રુતઅજ્ઞાન કહેવાય છે. (૧૨૮) આ કારણથી અજ્ઞાનતા તો મિથ્યાદૃષ્ટિના બોધને સત્ તથા અસત્ વિશેષણના અભાવથી હોય છે. તે આ પ્રમાણે— પદાર્થો છે. અહિં તેનું સત્ત્વ (અસ્તિપણું) કથંચિત્ (સ્યાત્) છે એમ વિશેષણ ક૨વા યોગ્ય થાય છે અર્થાત્ સ્વરૂપ વડે સત્ત્વ છે; જ્યારે મિથ્યાદૃષ્ટિ તો એમ માને છે કે પદાર્થો છે જ તેમ માનવાથી તો ૫૨રૂપ વડે પણ તે પદાર્થોને અસ્તિપણાનો પ્રસંગ થાય. તથા ‘પદાર્થો નથી’ આમ કહેવામાં તેનું અસત્ત્વ (નાસ્તિપણું) કથંચિત્ વિશેષણ કરવા યોગ્ય થાય છે અર્થાત્ પરરૂપ વડે અસત્ત્વ છે તે મિથ્યાદૃષ્ટિ તો ‘પદાર્થો નથી જ’ એમ માને છે. તેવી રીતે હોય તો પ્રતિષેધક વચનનો પણ અભાવ–નિષેધ' કરે છે. અથવા શશવિષાણ વગેરે નથી, એ વાક્ય પણ કથંચિત્ શબ્દ વડે વિશેષણ કરવા યોગ્ય છે. જે કારણથી તે શવિષાણ વગેરે, સસલાના મસ્તક વડે યુક્તપણાએ જ નથી, પરંતુ સસલા અને વિષાણ-શીંગડાનો અભાવ નથી. અથવા સસલાનું વિશેષણ-શીંગડાવાળા પૂર્વભવના ગ્રહણની અપેક્ષાએ શશવિષાણ છે. તદ્રુપપણાએ પણ ‘શવિષાણ’ નથી આવી રીતે સત્ અને અસત્આના વિશેષણ રૂપ કથંચિત્ શબ્દનો સ્વીકાર ન કરવાથી મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન પણ અયથાર્થપણાએ કુત્સિત (નિંદિત) હોવાથી અજ્ઞાન જ છે. કહ્યું છે કે— जह दुव्वयणमवयणं, कुच्छियसीलं असीलमसतीए । भण्णइ तह णाणं पि हु, मिच्छाद्दिट्ठिस्स अन्नाणं ॥ १२९ ॥ [विशेषावश्यक० ५२० त्ति ] જેમ દુર્વચન તે અવચન તથા અસતી સ્ત્રીનું કુત્સિત શીલ તે અશીલ કહેવાય છે તેમ મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય છે. (૧૨૯) તથા મિથ્યાદૃષ્ટિનો અધ્યવસાય (અભિપ્રાય) જ્ઞાન નથી, કારણ કે મિથ્યાત્વ વગેરેની જેમ ભવ (સંસાર)નો હેતુ છે. તથા યચ્છોપલલબ્ધિથી અર્થાત્ સ્વમતિકલ્પનાથી ગાંડાની જેમ તથા સક્રિયાલક્ષણરૂપ જ્ઞાનના ફલનો અભાવ હોવાથી આંધળાને પોતાના હાથમાં રહેલ દીપકના પ્રકાશની માફક જાણવું. ભાષ્યકાર કહે છે કે— सदसदविसेसणाओ, भवहेउ - जइच्छिओवलंभाओ । णाणफलाभावाओ, मिच्छादिट्ठिस्स अन्नाणं ।। १३० ।। [विशेषावश्यक० ११५ त्ति ] 1. 'ન સંત્યેવ' એ પ્રતિષેધ વચન છે, તેનો અભાવ—નિષેધ કરે છે, અર્થાત્ સંત્યેવેતિ પદાર્થો છે. 145
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy