SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ २ स्थानकाध्ययने उद्देशः ४ जीवाजीववक्तव्यता ९५ सूत्रम् જ્યારે પૂર્વનું પ્રમાણ જાણવાને ઇચ્છીએ ત્યારે પાંચ શૂન્ય અને ઇચ્છિત બીજો અંક (૮૪) લખવો અર્થાત્ ચોરાશી લાખને ચોરાશી લાખ વડે ગુણવા ત્યારે પાંચ શૂન્યને પાંચ શૂન્ય વડે ગુણવાથી બમણા શૂન્ય (દશ) થાય અને ચોરાશીના અંકને ચોરાશીના અંક વડે ગુણવાથી ૭૦૫૬ થાય એટલે સર્વ મળીને ૭૦૫૬0000000000 સંખ્યા થાય. એવી રીતે આગળ પણ ગુણાકાર યાવત્ શીર્ષપ્રહેલિકા થાય ત્યાં સુધી કરવું. શીર્ષપ્રહેલિકા પર્યત સાંવ્યવહારિક સંખ્યાતકાલ છે. તેના વડે પ્રથમ પૃથિવી (રત્નપ્રભા)ના નારકોનું, ભવનપતિ અને વ્યંતરોનું (જઘન્ય મધ્યમ આયુષ્ય) તથા ભરત, ઐરાવત ક્ષેત્રને વિષે સુષમદુષ્પમ સમય (ત્રીજા આરા)ના પશ્ચિમ-ઊતરતા ભાગમાં (અને તેના પછીના) મનુષ્ય અને તિર્યંચોના આયુષ્યનું માન કરાય છે. પરંતુ શીર્ષપ્રહેલિકાની ઉપર પણ સંખ્યાતો કાલ છે તે અતિશય જ્ઞાની સિવાયના મનુષ્યોને વ્યવહારનો વિષય થતો નથી, એમ જાણીને ઉપમાને વિષે દાખલ કરેલ (બતાવેલ) છે. એ જ કારણથી શીર્ષપ્રહેલિકાથી આગળ પલ્યોપમ વગેરે (કાળ)નો ઉપન્યાસ કરેલ છે. તેમાં પલ્ય વડે ઉપમા છે જેમાં તે પલ્યોપમાં અસંખ્યાત કોડાકોડી વર્ષ પ્રમાણ આગળ કહેવામાં આવશે એવા લક્ષણવાળા છે. સાગર વડે ઉપમા છે જેઓને વિષે તે સાગરોપમો-દશ કોટાકોટી પલ્યોપમ પ્રમાણવાળા છે. દશ કોટાકોટી (કોડાકોડી) સાગરોપમ પ્રમાણવાળી ઉત્સર્પિણી છે, એટલા જ પ્રમાણવાળી અવસર્પિણી છે. (૧) કાલના વિશેષ (ભેદ)ની માફક ગ્રામાદિ વસ્તુના વિશેષો પણ (ક્ષત્રભેદો) જીવ અને અજીવ જ છે એ હેતુથી બે પદ દ્વારા સડતાલીશ સૂત્રો વડે કહે છે—'' ત્યાદિ અહિ પ્રત્યેકમાં નવા વા'-ઇત્યાદિ આલાપક કહેવો. ગામાદિનું જીવ અને અજીવપણું તો પ્રતીત જ છે. કર (ટેક્ષ) વગેરેથી ગમ્ય અર્થાત જ્યાં કર વગેરે લેવાતો હોય તે ગામ અને જેઓમાં કર ન લેવાતો હોય તે નકર અર્થાત્ નગર (૧), નિગમ-જ્યાં વેપારીઓનો નિવાસ હોય તે નિગમ અને જેમાં રાજાઓનો અભિષેક થાય તે રાજધાની (૨), ધૂળના ગઢયુક્ત જે સ્થાન હોય તે ખેટ અને જે કુ-નગર હોય તે કબૂટ (૩), જેની ચારે દિશાએ અદ્ધયોજનથી આગળ ગામો રહેલ હોય તે મંડલ અને જે સ્થાનમાં જવાનો અને સ્થલનો એમ બે પ્રકારનો માર્ગ હોય તે દ્રોણમુખ (૪), જે સ્થાનમાં જલમાર્ગ અથવા સ્થલમાર્ગ એ બન્નેમાંથી એક માર્ગ વડે જવું-આવવું થાય તે પત્તન (પાટણ) અને લોહ વગેરેની ઉત્પત્તિવાળી જમીન તે આકર અર્થાત્ ખાણ (૫), જે તીર્થસ્થાન હોય તે આશ્રમ અને સમ (સરખી) ભૂમિમાં ખેતી કરીને જે દુર્ગભૂમિસ્વરૂપ અર્થાત્ કઠણ ભૂમિમાં ખેડૂતો ધાન્યોને રક્ષાને માટે રાખે તે સંવાહ (૬), જ્યાં સાર્થ અથવા સેના ઊતરે તે સન્નિવેશ અને નદીના કાંઠા પાસે વસવાનું સ્થાન–ગાયોને રહેવાનું સ્થાન તે ઘોષ (૭), વિવિધ વૃક્ષની લતા વડે શોભાયમાન અને કદલી (કેળા) વગેરેથી ઢાંકેલ ગૃહને વિષે સ્ત્રી સહિત પુરુષોના જે રમવાના સ્થાનભૂત તે આરામ, તથા પત્ર, પુષ્પ, ફલ અને છાયા યુક્ત વૃક્ષો વડે શોભાયમાન, વિવિધ પ્રકારના વેષવાળા, ઉત્કૃષ્ટ માનવાળા એવા ઘણા જનોને ભોજન કરવાને માટે જે સ્થાનને વિષે જવું થાય તે ઉદ્યાન (૮), જ્યાં એક જાતના વૃક્ષો હોય તે વન અને અનેક જાતના ઉત્તમ વૃક્ષો હોય તે વનખંડ (૯), ચોખ્ખણી તે વાપી (વાવ) અને જે વૃત્ત એટલે ગોળ હોય અથવા જેમાં ઘણા કમલ હોય તે પુષ્કરિણી (૧૦), સરોવર એટલે જલનું સ્થાન અને સરપંક્તિ તે સરોવરની પંક્તિ–બે ચાર શ્રેણી (૧૧), અગડ-કૂપ (કૂખ), તળાવ, દ્રહ તથા નદી પ્રસિદ્ધ છે (૧૨-૧૩), પૃથ્વી-રત્નપ્રભા વગેરે અને ઉદધિ તે રત્નપ્રભાદિ પૃથ્વીની નીચે રહેલ ઘનોદધિ (૧૪), વાતસ્કંધ-ધનવાયુ, તનવાયુ અથવા બીજા પણ વાયુ અને અવકાશાંતર-વાતસ્કંધોની નીચે રહેલ આકાશ-એ ઉપરોક્ત વસ્તુઓનું જીવપણું તો સૂક્ષ્મ પૃથ્વીકાયિક વગેરે જીવો વડે વ્યાપ્ત હોવાથી છે (૧૫), વલય-પૃથ્વીના વેષ્ટન (બંધ)રૂપ ઘનોદધિ, ઘનવાત, તનુવાત લક્ષણ, અને વિગ્રહ-લોકનાડીના વક્ર સ્થાન, એઓનું જીવપણું તો પૂર્વની માફક સમજવું (૧૬), દ્વીપ અને સમુદ્ર પ્રતીત છે (૧૭), વેલા–સમુદ્રના પાણીની વૃદ્ધિ અને વેદિકા પ્રતીત છે (૧૮), દ્વારો-વિજય વગેરે દરવાજાઓ અને તોરણો-તે દરવાજાઓમાં જે રહેલા હોય તે (૧૯), નરયિકો-ક્લિષ્ટ (દુઃખિત) જીવવિશેષો, તેઓનું અજીવપણું કર્મ પુદ્ગલાદિની અપેક્ષાએ જાણવું અને તે નૈરયિકોની ઉત્પત્તિની ભૂમિઓ તે નરકાવાસો, તેનું જીવપણું પૃથ્વીકાયિકાદિની અપેક્ષાએ જાણવું. એવી રીતે ચોવીશ દંડકો કહેવા (૨૦-૪૩), આ જ કારણથી (સૂત્રકાર) કહે – વાવ' વિત્યા૦િ કલ્પ, 138
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy