SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ २ स्थानकाध्ययने उद्देशः ४ जीवस्य बद्धमुक्तभेदौ ९६ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ દેવલોક અને તે દેવલોકના અંશ તે કલ્પવિમાનાવાસ (૪૪), વર્ષ–ભરતાદિક્ષેત્ર અને વર્ષધર પર્વત તે હિમવાન વગેરે (૪૫), ફૂટ-હિમવતકૂટ વગેરે અને કૂટાગાર–તે ફૂટોમાં જ રહેલ દેવના ભવનો (૪૬), વિજય–ચક્રવર્તીને જીતવા યોગ્ય કચ્છાદિ ક્ષેત્રના ખંડસ્વરૂપ અને રાજધાની–ક્ષેમાદિ નગરી (જ્યાં રાજા રહે તે) 'નીને'ત્યાદ્રિ અહિંયા કહેલું સર્વત્ર જોડવું (૪૭), [૨]. જે પુદ્ગલધર્મો છે તે પણ તેમજ છે. એ હેતુથી કહે છે—'છાયે'ત્યાદ્િ॰ આ પાંચ સૂત્રો કહેલ અર્થવાળા છે, હવે વિશેષ કહે છે—છાયા–વૃક્ષાદિની જાણવી, આતપ–સૂર્યનો જાણવો (૧), 'રોસિનાાતિ વ'ત્તિ જ્યોત્સ્ના એટલે પ્રકાશ અને અંધકાર એટલે તમ (૨), અવમાન-ક્ષેત્ર વગેરેનું પ્રમાણ તે હસ્ત (હાથ), ગજ વગેરે, અને ઉન્માન–ત્રાજવાના તોલ, કર્ષ, માસો વગેરે (જોખવા, તોલવાના સાધન) (૩), અતિયાનગૃહ-નગરાદિના પ્રવેશમાં જે ગૃહ હોય તે, અને ઉદ્યાનગૃહ–બગીચામાં ઘર હોય તે (૪), અવલિંબ અને સણિપ્રપાત રૂઢિથી (દેશ વિશેષથી) જાણી લેવા. આ બધા ય શું છે? તે બતાવે છે—નીવા કૃતિ ૬૦ જીવો વડે વ્યાપ્ત હોવાથી અથવા તે જીવોના આશ્રિતપણાથી અને અનીવા તિ 7 પુદ્ગલાદિ અજીવરૂપ હોવાથી અથવા તે (અજીવ)ના આશ્રિતપણાથી, પ્રો—તે-જિનેશ્વરોએ પ્રરૂપેલ છે. અહિંયાં 'નીવારૂ ચેત્યાવિ' સૂત્રપંચકમાં પણ પ્રત્યેકને કહેવું. હવે સમયાદિ વસ્તુ, જીવ અને અજીવરૂપ જ કયા હેતુથી કહેવાય છે? તે પ્રશ્નના જવાબમાં જણાવે છે કે—જીવ અને અજીવથી જુદી રાશિનો અભાવ છે. એ જ કારણથી કહે છે—'તો રાસી' ત્યાદ્િ॰ સુગમ છે. I૯૫ જીવરાશિ તો બે ભેદે છે (૧) બદ્ધ-કર્મથી બંધાયેલ અને (૨) મુક્ત-કર્મથી છૂટેલ. તેમાં બંધાએલ જીવોના બંધના નિરૂપણને માટે કહે છે— . दुविहे बंधे पन्नत्ते, तंजहा - पेज्जबंधे चेव दोसबंधे चेव । जीवा णं दोहिं ठाणेहिं पावं कम्मं बंधंति, तंजहा - रागेण चेव दोसेण चेव । जीवा णं दोहिं ठाणेहिं पावं कम्मं उदीरेंति, तंजहा - अब्भोवगमिताते चेव वेतणाते, उवक्कमिताते चैव वेयणाते । एवं वेदेंति एवं णिज्जरेंति - अब्भोवगमिताते चेव वेयणाते, उवक्कमिताते चेव વેયખાતે । સૂ॰ ૬૬ ।। (મૂ0) બે પ્રકારે બંધ કહેલ છે. તે આ પ્રમાણે—પ્રેમ (રાગ)બંધ અને દ્વેષબંધ. જીવોને બે સ્થાનક દ્વારા પાપકર્મનો બંધ થાય છે, તે આ પ્રમાણે—રાગથી અને દ્વેષથી. જીવોને બે સ્થાનક દ્વારા પાપકર્મની ઉદીરણા થાય છે, તે આ પ્રમાણે— અભ્યુપગમિકી–સ્વયં શિરોલોચનાદિ વડે સ્વીકારેલ વેદના, અને ઔપક્રમિકી–તાવ, અતિસારાદિ વડે ઉદીરણા થયેલી વેદના. એવી રીતે બે પ્રકારે વેદે અર્થાત્ ઉદયમાં આવેલું કર્મ ભોગવે, બે પ્રકારે નિજ્જરે–ક્ષય કરે, તે આ પ્રમાણે-અભ્યુપગમિકી વેદના વડે નિજ્જરે અને ઔપક્રમિકી વેદના વડે નિજ્જર. ૯૬॥ (ટી૦) પ્રેમ–રાગ, માયા અને લોભ રૂપ કષાયલક્ષણ, અને દ્વેષ તો ક્રોધ અને માન રૂપ કષાયલક્ષણ છે. જે માટે કહે છે કે— माया लोभकषाय-श्चेत्येतद् रागसंज्ञितं द्वन्द्वम् । क्रोधो मानश्च पुनद्वेष इति समासनिर्दिष्टः ।। १२४ || [प्रशम० ३२ इति] પ્રેમ-પ્રેમલક્ષણ ચિત્તનો વિકાર ઉત્પન્ન કરનાર મોહનીય કર્મના પુદ્ગલની રાશિનું બંધન છે. જીવના પ્રદેશોને વિષે યોગપ્રત્યય (નિમિત્ત)થી પ્રકૃતિરૂપપણે અને પ્રદેશરૂપપણે સંબંધ થાય છે. (૧૨૪) તથા કષાયના પ્રત્યયથી સ્થિતિ અને અનુભાગ(રસ)રૂપ વિશેષનું પ્રાપ્ત થવું તે પ્રેમબંધ. એવી રીતે દ્વેષ મોહનીય કર્મનો બંધ તે દ્વેષબંધ છે. કહ્યું છે કે—' ખોળા પડિપલેસ, નિતિઅનુમાાં સાયઓ 'રૂ'ત્તિ॰ [વન્ધશતજે ૧૬] પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી અને સ્થિતિબંધ તથા અનુભાગબંધ કષાયથી કરે છે. પ્રેમ અને દ્વેષ લક્ષણરૂપ ઉદયમાં આવેલ કર્મો વડે 1. ઉદયમાં નહિ પ્રાપ્ત થયેલ કર્મને આકર્ષીને ઉદયમાં લાવવા તે ઉદીરણા કહેવાય, તે જીવના વીર્ય વડે થાય છે અને ઉદય સ્વયં અબાધાકાલ પૂર્ણ થયે આવે છે. 139
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy