SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ २ स्थानकाध्ययने उद्देशः ४ जीवाजीववक्तव्यता ९५ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ તે એમ વિચારે છે કે શું આ પતાકા છે? અથવા બલાકા (બગલાની પંક્તિ) છે? એ પ્રમાણે પ્રતિનિયત ધર્મીના વિષયમાં સંશય થાય છે. જો કેવલ અભેદ હોય તો સર્વથા સંશયની ઉત્પત્તિ જ નહિં થાય, કારણ કે ગુણના ગ્રહણથી તેનું (ગુણીનું) પણ ગ્રહણ થાય છે. આ સૂત્રમાં તો અભેદ નયનો આશ્રય કરવાથી 'નીવાર્ યા' ત્યાવિ॰ કહેલું છે. અહિં તો સમય અને આવલિકા લક્ષણ બે અર્થને, જીવ અને અજીવરૂપ ચાત્મકપણાએ કહેવાથી બે સ્થાનકમાં અવતાર જાણવો. એવી રીતે આગળના સૂત્રો પણ ગણી લેવા. એમાં જે વિશેષ છે તે અમે કહીશું. 'બળાપાનૂ' ત્યાદ્રિ 'ઞાનપ્રાના' વિતિ॰ ઉચ્છ્વાસનિઃશ્વાસકાલ છે તે સંખ્યાત આવલિકા પ્રમાણવાળો છે. કહ્યું છે કે— हट्ठस्स अणवगल्लस्स, निरुवकिट्ठस्स जंतुणो । एगे ऊसासनीसासे, एस पाणु तिच्च ॥ ११९ ॥ [બૃહત્સં॰ ૨૦૭, તંબૂદીપ પ્ર॰ ૨/૬ ત્ત] હર્ષિત, અગ્લાનિ–રોગ રહિત, નિરુપત્કૃષ્ટ–ક્ષુધા, તૃષા, શ્રમ વગેરેથી રહિત પ્રાણીનો જે એક ઉચ્છ્વાસનિઃશ્વાસ છે તેને પ્રાણ [આનપ્રાણ] કહેવાય છે. (૧૧૯) તથા સ્તોક, તે સાત ઉચ્છવાસનિઃશ્વાસ કાલ પ્રમાણવાળો છે. સંખ્યાત આનપ્રાણવાળા ક્ષણો છે. અને સાત સ્તોક પ્રમાણ કાલવાળો લવ કહેવાય છે. એ પ્રમાણે જેમ પૂર્વના ત્રણ સૂત્રમાં જીવ અને અજીવ એવી રીતે કહેવાય છે એમ કહ્યું, તેમજ બધા ૫ આગળના સૂત્રો જાણવા સતોંતેર લવ પ્રમાણવાળા મુહૂર્તો હોય છે. કહ્યું છે કે– सत्त पाणि से थोवे, सत्त थोवाणि से लवे। लवाणं सत्तहत्तरीए, एस मुहुत्ते वियाहि ॥१२०॥ [ત્નબૂદીપ પ્ર॰ ૨/૨, બૃહત્સં° ૨૦૮] સાત પ્રાણનો એક સ્તોક, સાત સ્તોકનો એક લવ, સત્યોત્તર લવનો એક મુહૂર્ત કહેલ છે. (૧૨૦) तिण्णि सहस्सा सत्त य, सयाणि तेवत्तरिं च ऊसासा । एस मुहुत्तो भणिओ, सव्वेहिं अनंतनाणीहिं ।। १२१ ।। [जंबूद्वीप प्र० २/३, बृहत्सं० २०९] ત્રણ હજાર, સાતસો અને તોંતેર ઉચ્છ્વાસનિઃશ્વાસનો એક મુહૂર્ત સર્વે અનંતજ્ઞાનીઓએ કહેલ છે. (૧૨૧) ત્રીશ મુહૂર્ત પ્રમાણ એક અહોરાત્રિ કાલ છે. પંદર અહોરાત્રિ પ્રમાણ એક પક્ષ છે. બે પક્ષ પ્રમાણ એક માસ છે. બે માસ પ્રમાણ એક વસંતાદિ ઋતુઓ છે. ત્રણ ઋતુના પ્રમાણવાળા અયનો છે. બે અયનના પ્રમાણવાળા વર્ષો છે. પાંચ વર્ષ પ્રમાણવાળા યુગો છે. સો વર્ષ વગેરે પ્રતીત છે. ચોરાશી લાખ વર્ષ પ્રમાણવાળા પૂર્વાંગો છે. પૂર્વાંગને ચોરાશી લાખ વડે ગુણવાથી એક પૂર્વ થાય છે. આ પૂર્વનું માન નીચે પ્રમાણે છે— पुव्वस्स उ परिमाणं, सयरिं खलु होंति कोडिलक्खाओ । छप्पन्नं च सहस्सा, बोद्धवा वासकोडीणं ।।१२२।। [બૃહત્સં॰ ૩૬ તિ] ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ પૂર્વનું પ્રમાણ તો સિંતેર લાખ ક્રોડ અને છપ્પન હજા૨ ક્રોડ વર્ષનું હોય છે એમ જાણવું.(૧૨૨) પૂર્વને ચોરાશી લાખે ગુણા ક૨વાથી એક ત્રુટિતાંગ થાય છે એવી રીતે પૂર્વ-પૂર્વની સંખ્યાને ચોરાશી લાખ વડે ગુણવાથી ઉત્તર–ઉત્તર (આગળ)ની સંખ્યા થાય છે. એમ યાવત્ શીર્ષપ્રહેલિકા પર્યંત જાણી લેવું. તે શીર્ષપ્રહેલિકાનું એકસો ને ચોરાણું1 અંકનું સ્થાન હોય છે. અહિં કરણ (ક૨વાની રીત) ગાથા કહે છે— इच्छियठाणणे गुणं, पणसुन्नं चउरसीतिगुणितं च । काऊणं तइवारे, पुव्वंगाईण मुण संखं ॥ १२३ ॥ પ્રથમ પાંચ શૂન્ય (મીંડાં) લખવા, પછી ઇચ્છિત સ્થાને અહિં એક અંક (એકડો) લખવો. તેને એક વડે ગુણવાથી તે જ સંખ્યા થાય અર્થાત્ એક લાખ થાય, તેને ચોરાશી વડે ગુણવાથી ચોરાશી લાખ થાય, એ પૂર્વાંગનું પ્રમાણ થયું. (૧૨૩) 1. એકસો ને ચોરાણુ અંક પર્યંત સંખ્યા થાય છે તેનાથી ઉપર સંખ્યાનો વિષય સરસવના પ્રમાણથી બતાવેલ છે, અંકનો વિષય નથી. 137
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy