________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
२ स्थानकाध्ययने उद्देशः ३ हृदादिस्वरूपम् ८८ सूत्रम् पउमे १ य महापउमे २ तिगिंछी ३ केसरी ४ दहे चेव । हरए महापुंडरिए ५, पुंडरीए चेव य ६ दहाओ ।।६।।
વૃિદ્ધક્ષેત્ર ૧૬૮] ૧ પદ્મ, ૨ મહાપદ્મ, ૩ તિબિંછી, ૪ કેશરી, ૫ મહાપુંડરીક અને ૬ પુંડરીક. આ છ દ્રહો ક્રમશઃ છે. (૬૬)
હિમવાન પર્વતની ઉપર બહુમધ્યભાગને વિષે પદ્ધ છે જેની અંદર તેવો પદ્મદ્રહ નામનો ડ્રદ છે. એવી રીતે શિખરી પર્વતની ઉપર બહુમધ્યભાગને વિષે પુંડરીક નામનો દ્રહ છે. તે બન્ને દ્રહ, પૂર્વ અને પશ્ચિમમાં હજાર યોજન લાંબા અને પાંચસો યોજન પહોળા, ચાર ખૂણાને વિષે દશ યોજન ઊંડા, ચાંદીના કાંઠાવાળા, વજમય પાષાણવાળા, તપનીય (રક્તસુવર્ણ)ના તલીઓવાળા, સુવર્ણ મધ્ય રજતમણિની વેળુવાળા છે, ચારે દિશાએ મણિના પગથિઆવાળા', સુખપૂર્વક ઉતરી શકાય એવા, તોરણ, ધ્વજ અને છત્ર વગેરેથી સુશોભિત, નીલોત્પલ અને પુંડરીક કમલ વગેરેથી રચિત વિવિધ પક્ષી અને મત્સ્યો જેમાં ફરી રહેલા છે એવા તેમજ ભ્રમરોના સમૂહ વડે ઉપભોગ્ય છે. 'તત્વ 'ત્તિ. તે બે દ્રહને વિષે બે દેવીઓ વસે છે, પદ્મદ્રહમાં શ્રીદેવી અને પુંડરીકદ્રહમાં લક્ષમીદેવી છે. તે બન્ને દેવીઓ ભુવનપતિનિકાયમાં અંતર્ભત છે, કારણ કે તેઓ પલ્યોપમના આયુષ્યવાળી છે. વ્યંતરની દેવીઓનું તો ઉત્કૃષ્ટ અદ્ધપલ્યોપમનું આયુષ્ય હોય છે. ભવનપતિની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાડાચાર પલ્યોપમ પ્રમાણ હોય છે. કહ્યું છે કેअद्भुट्ठ अद्धपंचम, पलिओवम असुरजुयलदेवीणं । सेस वणदेवयाण य, देसूण[आद्धपलियमुक्कोसं ॥६॥
વૃિદનં ૬ તિ] દક્ષિણ દિશાના અસુરકુમારની દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડાત્રણ પલ્યોપમની અને ઉત્તર દિશાના અસુરકુમારની દેવીઓની સાડાચાર પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. (૬૭)
શેષ ઉત્તર દિશાના નાગકુમારાદિ નવ ભવનપતિની દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશે ઊણી એક પલ્યોપમની, અને દક્ષિણ દિશાના નવ ભવનપતિની દેવીની તથા વ્યંતરની બન્ને દિશાની દેવીની સ્થિતિ અદ્ધપલ્યોપમની હોય છે. તે બે મોટા દ્રહના મધ્યમાં એકેક યોજનના લાંબા-પહોળા કમળ છે અને તે અદ્ધયોજન જાડા છે, જલમાં દશ યોજન બૂડેલા છે અને અદ્ધયોજન ઊંચા છે. વળી તેમાં વજમય મૂલ, રિષ્ઠરત્નમય કંદ, વૈડૂર્યરત્નમય નાળ, વૈડૂર્યરત્નમય બાહ્યપત્રો જાંબૂનદ (સુવર્ણ)મય અંદરના પત્રો, પીળા સુવર્ણની કર્ણિકા (ડોડો) અને તપાવેલ સુવર્ણની કેશરા તંતુઓ છે. તે બે કમલની બે કર્ણિકા અદ્ધયોજનની લાંબી પહોળી અને એક કોશ (બાહલ્ય) ઊંચી છે. તેના ઉપર બે દેવીઓના ભવન છે. 'ga'નિત્યાદ્રિ માહિમવાન પર્વતમાં મહાપદ્મદ્રહ અને રુક્ષ્મી પર્વતમાં તો મહાપુંડરીકદ્રહ છે. તે બંને દ્રહ બે હજાર યોજન લાંબા અને એક હજાર યોજન પહોળા છે. બે યોજનના લાંબા-પહોળા કમળવાળા છે, તે બે કમળમાં બે દેવીઓ વસે છે. મહાપદ્મમાં હીદેવી અને મહાપુંડરીકમાં બુદ્ધિદેવી છે. 'સ્વ'નિત્યાદિ નિષધ પર્વતને વિષે તિગિંછિદ્રહમાં ધૃતિદેવી અને નીલવાન પર્વત પર કેશરીદ્રહમાં કીર્તિદેવી વસે છે. તે બે ત્રણ ચાર હજાર યોજન લાંબા અને બે હજાર યોજન પહોળા છે. આ સંબંધની ગાથા નીચે પ્રમાણે છે– एएसु सुरवहूओ, वसंति पलिओवमद्वितीयाओ । सिरि-हिरि-धिति-कित्तीओ, बुद्धीलच्छीसनामाओ ।।६८॥
[વૃદક્ષેત્ર ૨૭૦] શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી નામની દેવીઓ પલ્યોપમની સ્થિતિવાળી વસે છે. (૬૮)
ત્યા૦િ તેમાં રોહિતુ નદી, મહાપદ્મદ્રહથી દક્ષિણ તરફના તોરણથી નીકળીને એક હજાર, છસો પાંચ યોજન કાંઈક અધિક (પાંચ કળા) દક્ષિણ દિશાએ પર્વત ઉપર જઈને (વહીને) હારના આકારને ધારણ કરવાવાળા, કંઈક અધિક બશે યોજનપ્રમાણવાળા, મગર(મસ્ય)ના મુખ જેવા પડનાળરૂપ પ્રપાત-પ્રવાહ વડે મહાહિમવાન પર્વતના રોહિતુ 1. ટીકામાં ચતુર્દશમણિસોપાની પાઠ છે, પણ બૂઢીપપન્નતી વગેરેમાં ચારે દિશાએ પગથિઆનું વર્ણન છે માટે તે પ્રમાણે લખેલ છે.
114