________________
२ स्थानकाध्ययने उद्देशः ३ भरतादिक्षेत्रस्वरूपम् ८६ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ જંબૂદ્વીપ નામના દ્વીપના મધ્યમાં મેરુપર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશાએ બે ક્ષેત્ર [કહેલ છે, તે આ પ્રમાણે–] અત્યંત સમતુલ્ય અને અવિશેષ છે, યાવત્ લંબાઈ વગેરેથી સરખા છે. તે પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહ. જંબુદ્વીપના મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણ દિશાએ બે કુરુક્ષેત્ર [કહેલ છે, તે આ પ્રમાણે] અત્યંત સમતુલ્ય અને વિશેષ રહિત, યાવતું લંબાઈ વગેરેથી સરખા છે. તે દેવકુફ અને ઉત્તરકુરુ. તે બન્ને ક્ષેત્રોમાં અતિશય મોટા બે વૃક્ષો [કહેલા છે, તે આ પ્રમાણે–] અત્યંત સમતુલ્ય અને વિશેષ રહિત-નાના પ્રકારપણાથી રહિત, પરસ્પર એક બીજાને ઉલ્લંઘન કરતા નથી તેમ જ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ, સંસ્થાન (આકાર) અને પરિધિ વડે સમાન છે, તે આ પ્રમાણે– ફૂટશલ્મકી અને જંબૂ-સુદર્શન. તે વૃક્ષોને વિષે મહદ્ધિક યાવતું મહાસૌખ્યવાળા અને એક પલ્યોપમની સ્થિતિવાળા બે દેવો વસે છે. તે દેવોના નામ આ પ્રમાણે–ગરુડ સુપ(વ)ર્ણકુમાર જાતિનો વેણુદેવ અને જંબૂદ્વીપનો અધિપતિ
અનાદૃત દેવ છે (૨). ll૮૬ // (ટી0) આ સૂત્ર સુગમ છે, વિશેષ એ કે—અહિં જંબૂદ્વીપ પ્રકરણ છે. જંબુદ્વીપ પરિપૂર્ણ ચંદ્રમંડલના આકારવાળો છે, તેની મધ્યમાં રિહેલ] મેરુની ઉત્તર અને દક્ષિણ દિશાથી અનુક્રમે વર્ષ (ક્ષેત્રો) ને સ્થાપન કરીએ, તે આ પ્રમાણે– भरहं हेमवयं ति य, हरिवासं ति य महाविदेहं ति । रम्मयमेरनवयं, एरवयं चेव वासाइं ॥४१॥ [बृहत्क्षेत्र० २३ त्ति]
૧ ભરત, ૨ હૈમવત, ૩ હરિવર્ષ, ૪ મહાવિદેહ, ૫ રમ્યફવર્ષ, ૬ ઠેરણ્યવત્ અને ૭ એરવત–આ સાત વાસક્ષેત્રો છે. (૪૧)
પ્રજ્ઞાપકની અપેક્ષાએ આ પ્રત્યક્ષ દેખાતો ભરત ક્ષેત્ર છે તેની ઉત્તર દિશાએ ક્રમથી ક્ષેત્રની અપેક્ષાએ બીજા હૈમવતાદિ ક્ષેત્રો વ્યવસ્થિત છે. ભરતાદિ ક્ષેત્રોના અંતરમાં વર્ષધર પર્વતોને સ્થાપીએ, તે આ પ્રમાણે: हिमवंत १ महाहिमवंत २, पव्वया निसढ ३ नीलवंता य ४ । रुप्पी ५ सिहरी ६ एए, वासहरगिरी मुणेयव्वा ।।४२।।
[વૃક્ષેત્ર ૨૪ તિ] ૧ લઘુહિમવાનું, ૨ મહાહિમવાનું, ૩ નૈષધ, ૪ નીલવાનું, પ રુકુમી અને ૬ શિખરીએ છ વર્ષધર પર્વતો પ્રજ્ઞાપકની અપેક્ષાએ ક્રમથી વ્યવસ્થિત જાણવા. (૪૨)
એવી રીતે સર્વત્ર જાણવું. મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં (અહિં ૩ત્તરક્ષિયોઃ એ વાક્યમાં 'ન' પ્રત્યયના વિધાનથી સત્તરક્ષિોના આ રૂપ થાય છે.) જિનેશ્વરોએ બે ક્ષેત્ર કહેલ છે. સમતુલ્ય સમાન અર્થવાળો છે, પ્રમાણથી અત્યંત સમતુલ્ય છે. અવિશેષ-પર્વત, નગર અને નદી વગેરેથી કરેલ વિશેષ રહિત, અનાનાત્વ-અવસર્પિણી વગેરેથી કરેલ આયુષ્યાદિ ભાવના ભેદથી વર્જિત. (આ કથનનું તાત્પર્ય શું છે?) એટલા માટે કહે છે–અન્યોઅન્ય એકબીજાને ઉલ્લંઘન કરતા નથી. કેવા કારણોથી? તે કહે છે–લંબાઈપણે, પહોળાઈપણે, સંસ્થાન-પણછ ચડાવેલ ધનુષ્યના આકારે તેમજ પરિધિ વડે. અહિં તંદ્ર સમાસમાં એકવભાવ એટલે એકવચન કરવું, અથવા લંબાઈથી બહુ સમતુલ્ય છે, તે આ પ્રમાણે–ભરતક્ષેત્રપર્યત આ શ્રેણીचोद्दस य सहस्साई, सयाइं चत्तारि एगसयराइं । भरहद्भुत्तरजीवा, छा य कला ऊणिया किंचि ॥४३।। [बृहत्क्षेत्र० ४९]
ચૌદ હજાર, ચારસો એકોત્તેર યોજન અને ઉપર કિંચિત્ જૂન છ કલા ઉત્તરભરતાદ્ધની જીવા' છે. (૪૩).
કલા એટલે યોજનનો ઓગણીશમો ભાગ જાણવો. એવી રીતે એરવત ક્ષેત્રમાં જાણવું. તથા અવિશેષ-પહોળાઈથી બન્ને આ પ્રમાણે છે—'પંઘ સહ છવ્વીસ, છન્ન ના વિOડું મરહવાસ' (વૃદ્ધક્ષેત્ર ર૧ તિ] ત્તિ પાંચસો છવીસ યોજન અને છ કલા અધિક ભરતક્ષેત્ર પહોળું છે. એ જ પ્રમાણે ઐરાવત ક્ષેત્રનું પણ પહોળાઈપણું જાણવું. અનાનાત્વ-બન્ને ક્ષેત્ર સંસ્થાનથી પરસ્પર સરખા છે. પરિધિ એટલે જીવા અને ધનુપૃષ્ઠનું જે પ્રમાણ તે પરિધિ. તેમાં જીવાનું પ્રમાણ ઉપર કહેલું છે, ધનુપૃષ્ઠનું 1. હરકોઈ ક્ષેત્રની પૂર્વથી પશ્ચિમ સુધીની ઉત્કૃષ્ટ-વધારેમાં વધારે લંબાઈ તે જીવા' કહેવાય છે.
– 105.