________________
२ स्थानकाध्ययने उद्देशः ३ उपपातोद्वर्तनच्यवनादि ८५ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ શરીરથી નીકળવું-મરણ જાણવું. તે નરયિકો અને ભવનવાસી દેવોને જ એ પ્રમાણે વ્યપદેશ કરાય છે કારણ કે મનુષ્યાદિને તો મરણ જ કહેવાય છે. નારકોની તથા ભવનોને વિષે–અધોલોકમાં રહેલા દેવોના આવાસ વિશેષોમાં વસવાનો સ્વભાવ છે જેઓનો તે ભવનવાસીઓની' ઉદ્વર્તના છે (૨), જ્યોતિષ્કો અને વૈમાનિકોનું મરણ તે અવન કહેવાય છે. જ્યોતિર્મુનક્ષત્રોમાં ઉત્પન્ન થયેલ જ્યોતિષ્કો. આ પ્રમાણે શબ્દવ્યુત્પત્તિ છે, પણ પ્રવૃત્તિના નિમિત્તનો આશ્રય કરવાથી તો જ્યોતિષ્કો ચંદ્ર વગેરે છે. ઊર્ધ્વલોકમાં વર્તનારા વિમાનોમાં ઉત્પન્ન થનારા સૌધર્માદિવાસી દેવો, તે વૈમાનિકો. તે બન્નેનું મરણ) અવન કહેવાય છે (૩), ગર્ભ–ગર્ભાશયમાં જે ઉત્પત્તિ તે ગર્ભવ્યુત્ક્રાંતિ, મનુના અપત્યો-સંતાનો તે મનુષ્યો તેઓની, અને જે તિર્શી જાય છે તે તિર્યંચો, તેઓના સંબંધવાળી યોનિ-ઉત્પત્તિનું સ્થાન છે જેઓને તે તિર્યંચયોનિકોની ગર્ભવ્યુત્ક્રાંતિ થાય છે. તે તિર્યંચયોનિકો એકેંદ્રિય વગેરે પણ હોય છે, માટે વિશેષણવિશિષ્ટ કહે છે કે–પંચેંદ્રિયવિશિષ્ટ તિર્યંચયોનિકોની ગર્ભથી ઉત્પત્તિ હોય છે (૪), ગર્ભમાં રહેલા બન્ને (મનુષ્ય-તિર્યચ) ને આહાર હોય છે, બીજા (દેવ-નારક)ને ગર્ભનો જ અભાવ હોય છે (૫), વૃદ્ધિ-શરીરનું વધવું (૬), વાત, પિત્ત વગેરેથી હાનિ થાય છે તે નિવૃદ્ધિ. “નિવૃદ્ધિ’ શબ્દમાં ‘નિ’ શબ્દનો અર્થ અભાવ છે. 'નિવર જા'-પતિના અભાવવાળી કન્યાની માફક (૭), વૈક્રિયલમ્બિવાળા (મનુષ્ય-તિર્યંચો)ને વિદુર્વણા હોય છે (૮), ગતિપર્યાય-ચાલવું અથવા મરીને ગત્યંતરમાં ગમન કરવારૂપ અથવા વૈક્રિયલબ્ધિવાળો ગર્ભમાંથી નીકળીને પ્રદેશો વડે બહાર સંગ્રામ કરે છે તે ગતિપર્યાય. શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે– નીવે જ સંતો મા સમાજને ગેરરૂપસુ સવવન્ને ના? गोयमा! अत्थेगइए उववज्जेज्जा अत्थेगइए नो उववज्जेज्जा, से केणटेणं०? गोयमा! से णं सन्नी पंचिंदिए सव्वाहिं पज्जत्तीहिं पज्जत्तए वीरियलद्धीए विउव्विअलद्धीए पराणीयं आगतं सोच्चा णिसम्म पएसे निच्छुब्भइ २ वेउब्वियसमुग्घाएणं समोह[भान्नइ २ चाउरंगिणिं सेणं [सेन्न) विउव्वइ २ चाउरंगिणीए सेणाए पराणीएणं सद्धिं संगाम સંમેર્યું ત્યાર [પાવતી સૂત્ર ૨/૭/૧૨ ફુટ્યારિ [પ્રશ્ન] હે ભદંત! જીવ ગર્ભમાં રહ્યો થકો નારકોમાં ઉત્પન્ન થાય? [ઉત્તર] હે ગૌતમ! કોઈ એક ઉત્પન્ન થાય અને કોઈ એક ઉત્પન્ન ન થાય. [પ્રશ્ર]તે શા માટે એમ કહો છો?[ઉત્તર] ગૌતમ! તે સંક્ષીપંચેદ્રિય, સર્વ પર્યાપ્તિ વડે પર્યાપ્તક, પર–અન્યની સેનાને આવેલી સાંભળીને, વિચારીને વીર્યલબ્ધિ વડે અને વૈક્રિયલબ્ધિ વડે પ્રદેશોને બહાર કાઢે, કાઢીને વૈક્રિયસમુદ્દાત વડે નવીન પુદ્ગલોને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને ચાર અંગવાળી સેનાની વિફર્વણા કરે અને વિકર્વણા કરીને ચાર અંગવાળી સેના વડે અન્યની સેના સાથે સંગ્રામ કરે છે (તેથી નરકાયુ બાંધીને નરકમાં ઉત્પન્ન થાય છે.) (૯), સમુદ્ધાત–મારણાન્તિક વગેરે (૧૦), કાળસંયોગ-કાળ વડે કરાયેલી અવસ્થા (૧૧), આયાતિગર્ભથી નીકળવું (૧૨), મરણ-પ્રાણનો ત્યાગ (૧૩), રોઢું છવિપડ્ય'ત્તિ બંન્નેના 'છવિ'ત્તિ મતપૂ પ્રત્યાયના લોપથી ચામડીવાળા પત્ર'ત્તિ પર્વો–સંધિનાં બંધનો છે, 'છવિયત્ત'ત્તિ એવો પાઠ છે ત્યાં ચામડીના યોગ (સંબંધ)થી છવિ તે જ છવિક, તે 'મત્ત'તિ આત્મા-શરીર અર્થાત્ છવિકાત્મક શરીર, 'છવિપત્ત'ત્તિ આ પાઠાંતરમાં પ્રાપ્ત થયેલ ચામડી એવો અર્થ છે. ગર્ભસ્થ મનુષ્ય અને તિર્યંચોનો પાંચમા સૂત્રથી ચૌદમા સૂત્ર સુધીનો સંબંધ જોડવો (૧૪), 'રો સુ” ત્યારબેની (મનુષ્ય અને પંચેદ્રિયતિર્યંચની) વીર્ય અને રુધિર વડે ઉત્પત્તિ થાય છે (૧૫), 'જયટિતિ'ત્તિ કાય-નિકાયમાં પૃથ્વી વગેરેની માફક અસંખ્યાત ઉત્સર્પિણી સામાન્યરૂપે રહેવું તે કાયસ્થિતિ, ભવને વિષે સ્થિતિ અથવા ભવરૂપ સ્થિતિ તે ભવસ્થિતિ અર્થાત્ ભવકાલસ્વરૂપ (૧૬), 'તો હૃત્તિ. બન્નેની (મનુષ્ય અને પંચેદ્રિયતિર્યંચોની) સાત અથવા આઠ ભવગ્રહણરૂપ કાયસ્થિતિ હોય. પૃથ્વીકાયિક વગેરેની પણ કાયસ્થિતિ છે. [મૂલ પાઠમાં] પંચંદ્રિયતિર્યંચ શબ્દ વડે પૃથ્વી આદિનો નિષેધ જાણવો નહિ, 1. ભવનવાસી શબ્દથી વ્યંતરોનું પણ ગ્રહણ થાય છે, કારણ કે તેઓના નગરો પણ અધોલોકમાં છે. અહિં બે સ્થાનકનો અધિકાર હોવાથી
વંતરનો અંતર્ભાવ કરેલ છે. 2. પ્રત્યંતરમાં નિવૃદ્ધિ’ શબ્દ છે અને ત્યાં નિરુદરા કન્યાનું દૃષ્ટાંત આપેલ છે. ત્યાં નિશબ્દ અભાવાર્થક છે. અથવા નિર્ધનો રાજા પણ કહેવાય છે. 3. આ યુક્તિ લૌકિક આધારે આપેલી છે. 4. પન્નવણા સૂત્રના કાયસ્થિતિપદમાં એકેંદ્રિયાદિની કાયસ્થિતિ કહેલ છે.
103