________________
२ स्थानकाध्ययने उद्देशः ३ उपपातोद्वर्तनच्यवनादि ८५ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ अणिगृहियबलविरिओ, परक्कमइ जो जहुत्तमाउतो । जुंजइ य जहाथाम, नायव्वो वीरियावारो ॥३९॥
[.વૈ.નિ. ૧૮૭, નિશીથ ના જરૂત્તિ પ્રગટબલ-વીર્યવિશિષ્ટ અને ઉપયોગવાળો સાવધાન થયો થકો જે યથોક્ત (જ્ઞાનાદિ) પ્રત્યે પરાક્રમ કરે છે અને યથાશક્તિ જોડાય છે તે વીર્યાચાર જાણવો (૩૯) (૫).
હવે વીર્યાચારનું જ વિશેષ કથન કરવા માટે છ સૂત્રો કહે છે– પરિમે'ત્યાતિ પ્રતિજ્ઞા પર્યત સ્વીકાર તે પ્રતિમા, પ્રશસ્તભાવરૂપી શાંતિ તે સમાધિ, તેની પ્રતિમા તે સમાધિપ્રતિમા. દશાશ્રુતસ્કંધ સૂત્રમાં આ સમાધિપ્રતિમા બે ભેદવાળી કહેલી છે. શ્રતસમાધિપ્રતિમા અને સામાયિકાદિચારિત્રસમાધિપ્રતિમા. (૧) સમાધિપ્રતિમા, (૨) ઉપધાન તપ તેની પ્રતિમા તે ઉપધાનપ્રતિજ્ઞા, તે ભિક્ષુની બાર પ્રતિમા અને શ્રાવકની અગ્યાર પ્રતિમારૂપ છે (૧), વિવેચન-વિવેક અર્થાત્ ત્યાગ, તે અંતરંગ કષાયાદિનો અને અનચિત બાહ્ય–ગણ (ગચ્છ), શરીર, ભાત પાણી વિગેરેનો ત્યાગ, તેની પ્રતિજ્ઞા તે વિવેકપ્રતિમા. કાયોત્સર્ગનું કરવું તે વ્યુત્સર્ગપ્રતિમા (૨), પ્રત્યેક પૂર્વાદિ ચાર દિશામાં ક્રમશઃ ચાર પ્રહર કાયોત્સર્ગ કરવારૂપ બે અહોરાત્રના પ્રમાણવાળી જે પ્રતિમા તે ભદ્રાપ્રતિમા. સુભદ્રાપ્રતિમા પણ એ જ પ્રકારે સંભવે છે, કારણ કે શાસ્ત્રમાં ન જોયેલ હોવાથી તેનું વર્ણન કર્યું નથી (૩), મહાભદ્રા પણ તેમજ જાણવી. વિશેષ કહે છે–અહોરાત્ર (આઠ પ્રહર) પ્રત્યેક દિશામાં ક્રમશઃ કાયોત્સર્ગરૂપ ચાર અહોરાત્ર પ્રમાણવાળી છે (૪), મોકપ્રતિમા તે પ્રસવણપ્રતિમા, તે કાળના ભેદ વડે નાની અને મોટી હોય છે. વ્યવહારસૂત્રમાં તે માટે કહ્યું છે–વૃદ્ધિાં મોયપડિમ ડિવાઇસે' વ્યિવહાર૦ ૬/૨૪૨] ત્યાદિ આ મોકપડિમા દ્રવ્યથી પ્રસવણ વિષયવાળી, ક્ષેત્રથી ગામ વગેરેથી બહાર, કાલથી શર અને ગ્રીષ્મ ઋતુમાં સ્વીકારાય છે, જો ભોજન કરીને સ્વીકારાય તો ચતુર્દશ ભક્ત (છ ઉપવાસ) વડે સમાપ્ત કરાય છે, જો ભોજન ન કરીને સ્વીકારાય તો સોળ ભક્ત (સાત ઉપવાસ) વડે સમાપ્ત કરાય છે, ભાવથી તે દિવ્યાદિ દેવ મનુષ્ય વગેરે)ના ઉપસર્ગનું સહન કરવું તે ક્ષુલ્લક (નાની) પ્રતિમા, એમ જ મોટી પ્રતિમા પણ જાણવી. વિશેષ કહે છે–જો ભોજન કરીને સ્વીકારાય તો સોળ ભક્ત વડે સમાપ્ત કરાય છે અને ભોજન વિના જો સ્વીકારાય તો અઢાર ભક્ત વડે સમાપ્ત કરાય છે (૫), યવની જેમ મળે છે જેણીનો તે યવમધ્યા, ચંદ્રની માફક કળાની વૃદ્ધિ અને હાનિ વડે જે પ્રતિમા તે ચંદ્રપ્રતિમા, તે આ પ્રમાણે–શુક્લપક્ષના પડવાને દિવસે એક કવળ (કોળિયો) આહાર કરીને, ત્યારપછી દિન દિન પ્રત્યે એકૈક કવળની વૃદ્ધિ વડે પૂર્ણિમાના દિવસે પંદર કવળ આહાર કરે, અને કૃષ્ણપક્ષના પડવાને દિવસે પંદર કવળનો આહાર કરીને પ્રત્યેક દિવસે એકેક કવળની હાનિ વડે યાવત્ અમાવાસ્યાના દિવસે એક કવળ આહાર કરે તે યવમધ્યાચંદ્રપ્રતિમા. જે પ્રતિમામાં કૃષ્ણપક્ષના પડવાને દિવસે પંદર કવળ આહાર કરીને એકૈક કવળની હાનિ વડે અમાવાસ્યાને દિવસે એક કવળ અને શુક્લપક્ષના પડવાને દિવસે એક જ કવળ આહાર કરીને ત્યારપછી પુનઃ એકૈક કવળની વૃદ્ધિ વડે યાવત્ પૂર્ણિમાને દિવસે પંદર કવળ આહાર કરે, એટલે કે વજની જેમ મધ્યભાગ જેમાં ઝીણો હોય તે વજમધ્યાચંદ્રપ્રતિમા. એવી રીતે ભિક્ષાદિને વિષે પણ જાણવું (૬). પ્રતિમાઓ સામાયિકવાળાઓને હોય છે, આ કારણથી સામાયિકને કહે છે–
"ત્યાદ્રિ સમ–જ્ઞાન, દર્શન અને ચારિત્રનો, આય-લાભ તે સમાય, તે જ સામાયિક છે. તે સામાયિક અગારવાનુંગૃહસ્થ અને અનગાર-સાધુરૂપ સ્વામીના ભેદથી દેશવિરતિ અને સર્વવિરતિરૂપ બે પ્રકારે છે. ૮૪ll
જીવ ધર્મના અધિકારમાં જીવના બીજા ધર્મોને રોકવવાપ' ઇત્યાદિ ચોવીશ સૂત્ર વડે કહે છે– दोण्हं उववाए पन्नत्ते, तंजहा-देवाणं चेव नेरइयाणं चेव १। दोहं उव्वट्टणा पन्नत्ता, तंजहा–णेरइयाणं चेव भवणवासीणं चेव । दोण्हं चयणे पन्नत्ते, तंजहा–जोइसियाणं चेव वेमाणियाणं चेव ३। दोण्हं गब्भवक्कंती पन्नत्ता, तंजहामणुस्साणंचेव पंचेंदियतिरिक्खजोणियाणं चेव ४।
– 101