SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ २ स्थानकाध्ययने उद्देशः ३ ज्ञानाद्याचाराः प्रतिमा सामायिकं च ८४ सूत्रम् ભદ્રાપ્રતિમા અને સુભદ્રા પ્રતિમા (૩), બે પ્રતિમા કહેલ છે, તે આ પ્રમાણે–મહાભદ્રા અને સર્વતોભદ્રાપ્રતિમા (૪), બે પ્રતિમા કહેલ છે, તે આ પ્રમાણે–લઘુમોકપ્રતિમા અને વડીમોકપ્રતિમા (૫), બે પ્રતિમા કહેલ છે, તે આ પ્રમાણે-ચવમધ્યચંદ્રપ્રતિમા અને વજમધ્યચંદ્રપ્રતિમા (૬), બે પ્રકારે સામાયિક કહેલ છે, તે આ પ્રમાણે—ગૃહસ્થની સામાયિક દેશવિરતિરૂપ અને અનગારની સામાયિક-સર્વવિરતિરૂપ. ll૮૪ll (ટી૦) વિહે યાર'ત્યા૦િ ચાર સૂત્ર સુગમ છે, વિશેષ કહે છે–આચરણ કરવું તે આચાર–વ્યવહાર, જ્ઞાન-શ્રુતજ્ઞાન, તે સંબંધી કાલ વગેરે આઠ પ્રકારનો આચાર તે જ્ઞાનાચાર. કહ્યું છે— काले विणए बहुमाणे, उवहाणे चेव तहअ निह्नवणे । वंजणमत्थ तदुभए, अट्ठविहो नाणमायारो ।।३५।। [:વૈ.નિ. ૨૮૪, નિશીથ બ૦ ૮ રિ (૧) શ્રુતના કાલમાં ભણવું તે કાલાચાર, (૨) વિનયપૂર્વક ભણવું તે વિનયાચાર, (૩) અંતરંગ પ્રીતિપૂર્વક ભણવું તે બહુમાનાચાર, (૪) જે તપ વડે સૂત્રાદિક ઉપ-નજીક પીયતે કરાય છે તે ઉપધાનાચાર, (૫) તથા અનિહ્નવણ એટલે સૂત્રાદિનું અનપલાપ-ઉત્થાપન કરવું નહિ, (૬) શુદ્ધ સૂત્ર પાઠ જેમ હોય તેમ બોલવું તે વ્યંજનાચાર, (૭) સૂત્રનો યથાર્થ અર્થ કરવો તે અર્થાચાર અને (૮) સૂત્ર તેમજ અર્થ ઉભયનું યથાર્થ કથન કરવું તે તદુભયાચાર–આ પ્રમાણે જ્ઞાનના આઠ આચાર છે (૩૫) (૧). નોજ્ઞાનાચાર-જ્ઞાનથી વિલક્ષણ તે દર્શનાદિ આચાર, દર્શન એટલે સમ્યકત્વ, તેના નિઃશંક્તિાદિ આઠ પ્રકારના આચાર છે. કહ્યું છે– हिस्संकिय निक्कंखिय, निव्वितिगिच्छा अमूढदिट्ठी य । उववूह थिरीकरणे, वच्छल्लपभावणे अट्ठ ।।३६।। [..વિ. ૮ર, નિશીથ મા ૨૨] ત્તિ (૧) નિગ્રંથ પ્રવચનમાં શંકાનો અભાવ તે નિઃશંકિત, (૨) અન્ય દર્શનને ગ્રહણ કરવાની ઇચ્છાનો અભાવ તે નિષ્કાંક્ષિત, (૩) ધર્મના ફલના સંદેહનો અભાવ તે નિર્વિચિકિત્સા, (૪) તત્ત્વાર્થમાં મૂઢદૃષ્ટિનો અભાવ તે અમૂઢદૃષ્ટિ, (૫) ગુણવાનની પ્રશંસાપૂર્વક ગુણની વૃદ્ધિ કરવી તે ઉપબૃહણા, (૬) ધર્મથી ચલિત થનારને સ્થિર કરવું તે સ્થિરીકરણ, (૭) સાધર્મિકોની સેવા-ભક્તિ તે વાત્સલ્ય અને (૮) જિનશાસનની પ્રભાવના-ઉદ્યોત કરવો તે પ્રભાવના. આ આઠ આચાર દર્શનના છે (૩૬) (૨). નોદર્શનાચાર તે ચારિત્રાદિ, ચારિત્રાચાર સમિતિ અને ગતિરૂપ આઠ પ્રકારે છે. કહ્યું છે, पणिहाणजोगजुत्तो, पंचहिं समिईहिं तीहिं गुत्तीहिं । एस चरित्तायारो, अट्ठविहो होइ नायव्वो ॥३७॥ શિ.વ.નિ. ૧૮૧, નિશીથ મા રૂ] ત્તિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વડે ચિત્તની સ્થિરતામાં યોગના મુખ્ય વ્યાપાર યુક્ત આઠ આચાર ચારિત્રના જાણવા (૩૭) (૩), નોચારિત્રાચાર તે તપાચાર વગેરે. તેમાં તપાચાર બાર પ્રકારે છે. કહ્યું છે કેबारसविहमि वि तवे, सब्मिंतरबाहिरे कुसलदिढे । अगिलाइ अणाजीवी, नायव्वो सो तवायारो ॥३८॥ શિ.વૈ.નિ. ૨૮૬, નિશીથ ના ૪૨] ઉત્ત કુશલ પરુષોએ જોયેલ કિહેલ] અત્યંતર સહિત બાહ્ય બાર પ્રકારના તપને વિષે પણ ગ્લાનિ રહિતપણાએ આજીવિકાની ઇચ્છારહિત-આશંસા વિના જે [તપ કરે છે] તે જ તપાચાર જાણવો (૩૮) (૪). વર્યાચાર એટલે જ્ઞાનાદિને વિષે શક્તિનું ગોપન ન કરવું-શક્તિને છૂપાવવી નહિ તેમજ શક્તિનું ઉલ્લંઘન પણ કરવું નહિ. કહ્યું છે– 100
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy