SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ २ स्थानकाध्ययने उद्देशः ३ पुद्गलभेदादिः ८२-८३ सूत्रे કહેલા છે, તે આ પ્રમાણે–પોતાની મેળે ભેદાય એવા સ્વભાવવાળા અને ન ભેદાય એવા સ્વભાવવાળા (૨), બે પ્રકારે પુદ્ગલો કહેલા છે, તે આ પ્રમાણે–પરમાણુપુદ્ગલો અને નાપરમાણુપુદ્ગલો (સ્કંધો) (૩), બે પ્રકારે પુદ્ગલો કહેલા છે, તે આ પ્રમાણે સૂક્ષ્મપુગલો ચાર સ્પર્શવાળા અને બાદરપુગલો આઠ સ્પર્શવાળા (૪), બે પ્રકારે પુદ્ગલો કહેલા છે, તે આ પ્રમાણે સારી રીતે મજબૂત બંધાયેલા અને માત્ર સ્પર્શ કરાયેલા (૫), બે પ્રકારે પુગલો કહેલા છે, તે આ પ્રમાણે–પયયાતીત-પૂર્વના પર્યાયને છોડેલા અને અપર્યાયાતીત-પૂર્વના પર્યાયને નહિ છોડેલા (૬), બે પ્રકારે પુદ્ગલો કહેલા છે તે આ પ્રમાણે—જીવોએ પરિગ્રહપણે સ્વીકારેલા તે આત્તા અને જીવોએ પરિગ્રહપણે . નહિ સ્વીકારેલા તે અનાત્તા (૭), બે પ્રકારે પુદ્ગલો કહેલા છે, તે આ પ્રમાણે—ઈષ્ટપુદ્ગલો અને અનિષ્ટપુદ્ગલો (૮), એવી રીતે કાન્ત પુદ્ગલો (૯), પ્રિય પુદ્ગલો (૧૦), મનોજ્ઞપુલો (૧૧) અને મનને પ્રિય તે મણામા. તેથી વિપરીત અકાંત વગેરે જાણવા (૧૨). l૮૨/l બે પ્રકારે શબ્દો કહેલા છે, તે આ પ્રમાણે–જીવે ગ્રહણ કરેલા અને જીવે ગ્રહણ નહિ કરેલા (૧), એમ ઈષ્ટ, કાંત વિગેરે શબ્દો યાવત્ મણામા પર્વત, પ્રતિપક્ષે અનિષ્ટ વગેરે સહિત જાણવા (૨-૬). બે પ્રકારે રૂપ કહેલ છે, તે આ પ્રમાણે-જીવ વડે ગ્રહણ કરાયેલ અને જીવ વડે ગ્રહણ નહિ કરાયેલ (૧), એવી રીતે યાવતું મણામા સુધી બબ્બે ભેદ જાણવા (૨-૬). એવી રીતે ગંધ, રસ અને સ્પર્શના બબ્બે ભેદ જાણવા. એવી રીતે એકૅકમાં છ આલાપકો કહેવા (૧૩-૩૦). ll૮all (ટી0) 'રોટી'ત્યાદિ પાંચ સૂત્રો સુગમ છે. વિશેષ એ છે કે– સ્વયં વે'ત્તિ સ્વભાવથી જેમ વાદળા વગેરેને વિષે પુગલો સંબંધવાળા થાય છે તેમ, (આ કર્મકતૃપ્રયોગ છે.) 'પણ વા' તથા પુરુષ આદિ વડે પુદ્ગલો સંબંધવાળા કરાય છે. (આ સકર્મકપ્રયોગ છે) (૧), એવી રીતે ભેદાય છે-જુદા પડે છે (૨), તથા પર્વતના શિખરથી જેમ પડે છે તેમ પુગલો પડે છે (૩), કોઢ વગેરેના નિમિત્તથી જેમ આંગળી વગેરે સડે છે તેમ પુલો સડે છે (૪), વાદળાની સમૂહની જેમ પુલો નાશ પામે છે (૫). હવે બાર સૂત્ર વડે પુગલોનું જ નિરૂપણ કરતા થકા કહે છે–'વિદે ત્યા૦િ જુદા પડેલા અને જુદા ન પડેલા (૧), જે પોતાની મેળે ભેદાય છે તે ભિદુર અર્થાત્ ભિદુરસ્વ ધર્મ છે જેઓનો તે ભિદુરવાળા (આ વાક્યમાં ભાવ પ્રત્યય અંતર્ભત છે), ભિદુત્વ ધર્મથી વિપરીત તે નોભિદુરધર્મવાળા [વજ વગેરે) (૨), જે અત્યંત સૂક્ષ્મ તે પરમાણુપુલો અને સ્કંધો તે નોપરમાણુપુગલો (૩), જેઓનો સૂક્ષ્મપરિણામ છે તેમજ શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ લક્ષણવિશિષ્ટ ચાર જ સ્પર્શવાળા તે ભાષા વગેરે ચાર વર્ગણાના પુલો સૂક્ષ્મ છે, અને બાદરો તો જેઓનો બાદર પરિણામ છે તેમજ પાંચ વગેરે સ્પર્શવાળા જે છે તે ઔદારિક વગેરે વર્ગણાના પુદ્ગલો છે (૪), શરીરની ચામડીની રજની જેમ સ્પર્શાયલા તે પાર્શ્વસ્કૃષ્ટો, તેઓથી બંધાયેલા શરીરમાં પાણીની જેમ અતિશય મળેલા, પાર્થસ્પષ્ટરૂપ બંધાયેલા તે બદ્ધપાર્શ્વસ્પષ્ટપુદ્ગલો. અહિં રાજદંતાદિગણથી ‘બદ્ધ' શબ્દનો પ્રથમ પ્રયોગ કરેલ છે. કહ્યું છે કે–પુરું ? વ તણુભિ વધુમખીયે પ તિ સૃષ્ટ-શરીરમાં રજની જેમ સ્પર્શ કરેલ અને બદ્ધ-પ્રદેશો વડે પોતાના કરેલ અર્થાત્ તેની સાથે મળેલ. આ બદ્ધપાર્શ્વધૃષ્ટ પુલો ઘાણંદ્રિયાદિને ગ્રહણગોચર છે, તથા નોબદ્ધા–બંધાયેલા નહિ પરંતુ પાર્શ્વધૃષ્ટો એટલે બદ્ધ પદના નિષેધવાળા પુદ્ગલો શ્રોત્રેદ્રિયને ગ્રહણગોચર છે. આવશ્યક સૂત્રમાં કહ્યું છે કેपुढे सुणेइ सई, रूवं पुण पासई(इ) अपुढे तु । गंधं रसं च फासंच, बद्धपुढे वियागरे ॥३४।। [विशेषाव० ३३६ त्ति] સ્પર્શમાત્ર વડે જ સંબંધ કરાયેલ શબ્દને શ્રોત્રંદ્રિય સાંભળે છે અને સ્પર્શ કરાયેલા રૂપને ચહ્યુઇદ્રિય જુએ છે, તથા ગંધ, 1. ગંધાદિ દ્રવ્યો કરતાં ભાષાનાં દ્રવ્યો સૂક્ષ્મ, વિશેષ સંખ્યાવાળા અને વાસિત કરનાર હોય છે. વળી શ્રોત્રંદ્રિય વિષયને ગ્રહણ કરવામાં પ્રાણાદિ ઇંદ્રિયો કરતાં વિશેષ પટુ હોવાથી સ્પર્શ માત્ર ગ્રહણ કરે છે. 98.
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy