________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
२ स्थानकाध्ययने उद्देशः ३ भाषाशब्दादि ८१ सूत्रम्
अथ द्वितीयस्थानकाध्ययने तृतीयः उद्देशः
બીજો ઉદેશક કહ્યો, હવે ત્રીજાનો આરંભ કરે છે. ત્રીજા ઉદેશકનો બીજા ઉદેશકની સાથે સંબંધ છે. અનંતર ઉદ્દેશકમાં જીવ–પદાર્થ અનેક પ્રકારે કહ્યો, ત્રીજા ઉદેશકમાં તો જીવને સહાય કરનાર પુલધર્મ, જીવધર્મ, ક્ષેત્ર અને દ્રવ્યરૂપ પદાર્થની પ્રરૂપણા કહેવાય છે. આ સંબંધને દર્શાવતા આ ઉદેશકના પહેલા આઠ સૂત્ર નીચે પ્રમાણે दुविहे सद्दे पन्नत्ते, तंजहा–भासासद्दे चेव णोभासासद्दे चेव १। भासासद्दे दुविहे पन्नत्ते, तंजहा–अक्खरसंबद्धे चेव णोअक्खरसंबद्धे चेव २। णोभासासद्दे दुविहे पन्नत्ते, तंजहा–आउज्जसद्दे चेव णोआउज्जसद्दे चेव ३। आउज्जसद्दे दुविहे पन्नत्ते, तंजहा–तते चेव वितते चेव ४। तते दुविहे पन्नत्ते, तंजहा–घणे चेव झुसिरे चेव५।एवं विततेऽवि ६। णोआउज्जसद्दे दुविहे पन्नत्ते, तंजहा–भूसणसद्दे चेव नोभूसणसद्दे चेव ७। नोभूसणसद्दे दुविहे पन्नत्ते, तंजहा-तालसद्दे चेव लत्तिआसद्दे चेव । दोहिं ठाणेहिं सहुप्पाते सिया, तंजहा-साहन्नताण चेव पुग्गलाणं सहुप्पाए सिया, भिज्जताण चेव पोग्गलाणं સદુખાસિયા //સૂ૦ ૮. (મૂળ) બે પ્રકારે શબ્દ કહેલ છે, તે આ પ્રમાણે–ભાષાશબ્દ-તાલ અને જીભના સંબંધથી બોલાતો અને નોભાષાશબ્દ–
ભાષાશબ્દના જેવો (૧), ભાષાશબ્દ બે પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—અક્ષરના સંબંધવાળો અને અક્ષરના સંબંધ વગરનો (૨), નોભાષાશબ્દ બે પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે–આતોદ્ય-તાડન કરવાથી થયેલ શબ્દ અને નોઆતોદ્યતાડન વગર થયેલ શબ્દ (૩), આતોઘશબ્દ બે પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—તત (વીણા) વગેરેનો અને વિતતચામડાથી મઢેલ અને તંત્રી રહિતનો (૪), તત પણ બે પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—ઘન અને સુષિર-પોલું (૫), એમ વિતત પણ બે પ્રકારે છે (૬), નોઆતોઘ શબ્દ બે પ્રકારે છે, તે આ પ્રમાણે–ભૂષણશબ્દ--ઝાંઝર વગેરે ભૂષણનો શબ્દ અને નોભૂષણશબ્દ-ભૂષણ સિવાયનો (૭), નોભૂષણશબ્દ બે પ્રકારે છે, તે આ પ્રમાણે—તાલજન્ય શબ્દહાથના તાલથી થયેલ તે તાલશબ્દ અને લત્તિ (કાંસીનો) શબ્દ (૮), બે સ્થાન (કારણ) વડે શબ્દોની ઉત્પત્તિ થાય, તે આ પ્રમાણે–એકત્રિત થતાં અથવા તાડના કરાતાં પુદ્ગલોથી શબ્દોની ઉત્પત્તિ થાય, અને ભેદ થતાં એટલે
ચીરાતાં પુદ્ગલોથી શબ્દોની ઉત્પત્તિ થાય. ૮૧// (ટી0) આ સૂત્રનો પૂર્વ સૂત્રની સાથે નીચે પ્રમાણે સંબંધ છે–અહિં બીજા ઉદ્દેશકના અંત્ય સૂત્રમાં દેવોના શરીરનું નિરૂપણ કર્યું પણ તે શરીરવાળા તો શબ્દાદિના ગ્રાહક હોય છે, માટે અહિં પ્રથમ શબ્દનું નિરૂપણ કરાય છે. આ પ્રમાણે સંબંધની વ્યાખ્યા સુગમ છે, વિશેષ એ કે ભાષાશબ્દ-ભાષાપર્યાપ્તિનામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ જીવનો શબ્દ, અને બીજો નોભાષાશબ્દ (૧), અક્ષરસંબંધ-અક્ષરના ઉચ્ચારવાળો અને બીજો નોઅક્ષરસંબંધ-અક્ષરના ઉચ્ચાર વગરનો (૨), આતોદ્ય-ઢોલ વગેરેનો જે શબ્દ તે આતોઘ શબ્દ અને નોઆતોદ્ય-વંશ (વાંસડા) વગેરેને ફાડવાથી થયેલ શબ્દ તે નોઆતોઘ શબ્દ (૩), તંત્રી તેમજ ચર્મ વગેરેથી બંધાયેલ જે આતોદ્ય તે તતશબ્દ (૪), તે કિંચિત્ ઘન (નિબિડ), જેમ પિંજનિક (પીંજણ) વગેરે, અને કાંઈક શુષિર (પોકળ), જેમ વીણા, પટ વગેરે, તેનાથી ઉત્પન્ન થયેલ જે શબ્દ તે ઘન અને શુષિર કહેવાય છે (૫), વિતતતતથી વિલક્ષણ (ભિન્ન), તંત્રી વગેરેથી રહિત, તે વિતત પણ ભાણક થાળી) વગેરે વાજિંત્રની જેમ ઘન અને કાલા' વગેરે વાજિંત્રની જેમ 1. રણશીંગડું, શરણાઇ, ભેરી વગેરે
96.